SearchBrowseAboutContactDonate
Page Preview
Page 583
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩૦ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨-ગા૦ ૬૨ અર્થાત્ ઘી વગેરે એવું અ૫ લગાડેલું હોય કે તેને સ્વાદ ન આવે તે “કીત્સાહિત કહેવાય. ચેપડવા છતાં નહિ પડવા સરખું હેઈ, તેવી ત્યાગ કરેલી વિગઈ કદાચ વપરાય તે પણ આ આગારથી પચ્ચખાણ ભાગે નહિ. આમાં વિધિ એ છે કે–જેમાં આંગળીથી તેલ કે ઘી આદિ લગાડયું (ટુયું) હોય, તેવા રોટલા-રેટલી વગેરે તે વિગઈને ત્યાગ છતાં ક૯પી શકે, પરંતુ ધારાબદ્ધ=ધારથી નાખ્યું હોય, તે યદિ તે અ૮૫ હોય તથાપિ કરી શકે નહિ. એ વિગઈના (અને ઉપલક્ષણથી નિર્વિગઈના) આગાર કહ્યા. તે પ્રમાણે છૂટ રાખીને એટલે ત્યાગ કરે છે. અહીં કઠિન ગોળ વગેરે જે મૂકેલી ઉપાડી શકાય તેવી વિગઈઓના ત્યાગમાં નવ અને દૂધ વગેરે પ્રવાહી વિગઈઓના ત્યાગમાં આઠ આગારે જાણવા. પ્રશ્ન-“આ આગાર સર્વ વિગઈઓના ત્યાગરુપ નિવિના પચ્ચકખાણમાં કહ્યા, તે જેમાં વિગઈ. એનું પ્રમાણ એટલે અમુકનો ત્યાગ કરીને બાકીની વિગઈએ છૂટી રાખી હોય તેવા પચ્ચકખાણમાં આગારે કયા સમજવા?? ઉત્તર-નિર્વિગઈની સાથે ઉપલક્ષણથી પરિમિત વિગઈનું પચ્ચકખાણ પણ આવી જવાથી તે જ આગારો સમજી લેવા, એટલે કે-જે આગારે નિર્વિગઈના કહ્યા તે જ વિગઈ પચ્ચક્ખાણના પણ છે.” વળી પચ્ચખાણનાં સૂત્રમાં એકાસણું, પિરિસી અને પુરિમનાં પચ્ચકખાણ કહ્યાં છે, તે પણ અપ્રમત્તપણાની વૃદ્ધિનું કારણ હોવાથી એકાસણાની સાથે બેઆસણાનું, પિરિસીની સાથે સાદ્ધ પિરિસીનું અને પુરિમાદ્ધની સાથે અપાદ્ધ (અવ)નું—એમ તે તે પચ્ચકખાણ સાથે ગણવામાં દેષ નથી. આગારે પણ તેમાં આસન વગેરેની સમાનતા હોવાથી એકાસણુના બેસણામાં, પિરિસીના સાદ્ધપરિસીમાં અને પુરિમાદ્ધને અપામાં સમજવા, કારણ કે–જેમ ચઉવિહારના જે છે તે જ દુવહાર-તિવિહારના છે તેમ બેસણું આદિમાં પણ એકાસણા આદિના જ આગારો વ્યાજબી છે. પ્રશ્ન-વિચાર કરતાં બે આસણું વગેરે અભિગ્રહ રૂપે સમજાય છે, તે તેમાં અભિગ્રહ પચ્ચકખાણુથી વધારે આગારો શા માટે ?” ઉતર-બેસણું વગેરેનું પણ એકાસણું વગેરેની જેમ જ ગ્રહણ-પાલન (રક્ષણ) કરવાનું હોવાથી તેની એકાસણું વગેરેની સાથે સમાનતા છે, માટે તેમાં એકાસણદિની જેટલાજ આગારે વ્યાજબી છે. બીજા આચાર્યોનું મન્તવ્ય એમ છે કે–આ બેસણુ વગેરેને પચ્ચક્ખાણે માનતાં પચ્ચકખાની કહેલી મૂલ સંખ્યા તૂટી જાય છે, માટે પચ્ચકખાણે તો “એકાસણું' વગેરે દશ જ બરાબર છે, પરંતુ એકાસણું વગેરે કરવામાં અશક્ત આત્મા પોતાની ભાવના ( સહનશક્તિ) પ્રમાણે પેરિસી વગેરે (લઘુ) પચ્ચખાણ કરે અને વધુ લાભ મેળવવા માટે તે ઉપરાંત ગંઠિસહિત વગેરે પચ્ચકખાણ કરે તે વ્યાજબી છે, કારણ કે ગંઠિસહિત (વગેરે) પચ્ચકખાણું હંમેશાં અપ્રમત્તપણામાં નિમિત્તભૂત હેવાથી મહા ફલદાયી છે. (શ્રીદેવસૂરિકૃત યતિદિનચર્યામાં) કહ્યું છે કે જો નિષમત્તા, કિં વંયંતિ દિવસ सग्गापवग्गसुक्खं, तेहिं निबद्धं सगंठिम्मि ॥१॥" " भणिऊण नमुकारं, निचं विस्सरणवजिआ धना । छोडंति गठिसहिअं. गंठिं सह कम्मगंठिहिं ॥२॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy