SearchBrowseAboutContactDonate
Page Preview
Page 578
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રઃ ૩-દિનચર્યા–પચ્ચક્ખાણમાં વિગઈઓનાં નિવિઆતાં ] પાપ કારણ કે-દિવસ શબ્દનો અર્થ દિવસ થાય છે તેમ અહેરાવ (રાત્રિસહિત દિવસ) પણ થાય છે. તેમાં જે સાધુ વા ગૃહસ્થને રાત્રિભેજનને ત્યાગ હોય, તેઓને પણ આ પચ્ચખાણથી પુનઃ રાત્રિભજનના ત્યાગનું સ્મરણ થતું હોવાથી સફલ જ છે, “મરવર્િ પચ્ચક્ખાણુમાં એટલું વિશેષ છે કે-) જ્યારે એમ સમજાય કે- “મહત્તર અને સર્વસમાધિ પ્રત્યય” આગારની જરૂર નથી, ત્યારે “અનાભોગ અને સહસાત્કાર” એ બે આગાથી પણ આ પચ્ચકખાણ થાય. ઉપયોગ શૂન્યતાથી કે સહસા આંગળી વગેરે મુખમાં નાખવાને સંભવ હોવાથી એ બે આગારે તે જરૂરી છે જ. એથી જ “મહત્તર અને સર્વસમાધિ પ્રત્યય” આગાર ન રાખે, તે પૂર્વે કહ્યા પ્રમાણે એને “અનાગાર” પચ્ચખાણ પણ કહેવાય છે. હવે “મિ પચ્ચખાણનું સ્વરૂપ કહે છે. વિવિધ અભિગ્રહો દંડ પ્રમાર્જન કરવું વગેરે અનેક રીતિએ કરી શકાય છે. તેવા “કઈ પણ અભિગ્રહ (નિયમ)વાળું “અભિગ્રહ પચખાણું કહેવાય છે, તેમાં ચાર આગારે છે, પાઠ આ પ્રમાણે છે-“ અમિmહું ઘણજાર સન્નીUામોને રાજી મત્તા નવરાવિત્તિમા વો”િ આમાં કેઈ કાવરણ (વસ્ત્રો)ને ત્યાગરુપ અભિગ્રહ પચ્ચક્ખાણ કરે, ત્યારે “ોઢvટ્ટા' એ પાંચમે આગાર પણ કહ્યો છે, અર્થાત્ કારણે ચેલપટ્ટો પહેરવા માટે આ આગાર છે. એ અભિગ્રહ સ્વરૂપ જાણવું. હવે વિતિ (વિગઈ)ના પચ્ચખાણમાં આઠ અથવા નવ આગારો છે, પાઠ આ પ્રમાણે છે “विगईओ पच्चक्खाइ, अन्नत्थणाभोगेणं सहसागारेणं लेवालेवेणं गिहत्थसंसट्टेणं उक्तिसविवेगेण पडुच्चमक्खिएणं पारिठावणियागारेणं महत्तरागारेण सव्वसमाहिवत्तिआगारेणं वोसिरह" અહીં વિકારમાં કારણભૂત તે “વિકૃતિ' (વિગઈ), તેના દશ પ્રકારે છે. કહ્યું છે કે “ વીરં જાવીયું, તા તેને માં મદ વ તા, કાદિમાં રવિવો ” (પંજવતુ-ર૭૨) ભાવાથ–“૧-દૂધ, ૨-દહીં, ૩-માખણ, ૪-ઘી, તેલ, ૬-ગેળ, ૭-દારૂ, ૮-મધ, હ-માંસ અને ૧૦–અવગાહિમ એટલે તળેલું (પકવાન્ન),-એમ વિગઈએ દશ છે, તેમાં– ૧. દૂધ-ગાય, ભેંસ, ઉંટડી, બકરી અને ઘેટીનું દૂધ, તે દૂધ વિગઈના પાંચ પ્રકારે છે. ૯૨ઉંટડીના દૂધનું દહીં વગેરે થતું નથી માટે ઉંટડી સિવાયનાં ૨, દહીં, ૩. માખણ અને ૪. ઘી,-એ ત્રણ વિગઈઓના ચાર ચાર પ્રકારે છે. ૫, તેલ-તલ-અળશી-લટ્ટ (કુસુંબીનું ઘાસ) તથા સર્ષવ (સરિસવ)–એ ચારનાં તેલ, તે તેલ વિગઈના ચાર પ્રકારે છે. બાકીનાં (દીવેલ–ડોળીયું– કોપરેલ-મગફળી-કપાસીઓ વગેરેનાં) તેલે તેલ વિગઈ નહિ પણ લેપકૃત ગણાય છે. ૬. ગળશેરડીના રસને ઉકાળવાથી બનેલ એક દ્રવ (નરમ-પ્રવાહી) અને બીજો કઠિન, એમ ગોળ વિગઈના બે ભેદ છે. ૭.મધ-આ વિગઈના પણ બે પ્રકારે છે; એક મહુડાં-તાડી વગેરેના ૯. દશવૈકાલિક સૂત્રમાં જણાવ્યા પ્રમાણે મત્તે; અવારકા' એટલે ઠંડીના સમયે ઉત્તમ મુનિઓ વિશેષ કર્મનિર્જરા અર્થે ઠંડીને સહન કરવા માટે વસ્ત્રત્યાગને અભિપ્રહ કરે. તે વેળાએ જે કે ગૃહસ્થ આવે તે ચલપટ્ટો પહેરવો આવશ્યક હેવાથી આ આગાર રાખવાને હેય છે. ૯૨. ઉંટડીના દૂધને પિંડનિર્યુક્તિમાં અપેક્ષાએ અન્યોક્તિથી અભક્ષ્ય જણાવેલ છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy