SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં૦ ભા૧-વિ. ૨-ગાટ દૂર સૂત્રપાઠ, તેને અર્થ, પચ્ચકખાણનું ફળ અને તે તે પચ્ચખાણમાં શું કલ્પ?, શું ન કલ્પે ? ઈત્યાદિ જ્ઞાન હોય તે જ જાણકાર ગણાય. (માટે હવે તેનું વર્ણન કરે છે,) પરચકખાણનું સ્વરૂપ – તેના પ્રકારો પૂર્વક પ્રારંભમાં જ કહ્યું. પચ્ચકખાણુનાં ઉચ્ચારસ્થાને પાંચ છે, પહેલા સ્થાનમાં નમુક્કારસહિ આદિ પાંચ કાળપચ્ચખાણે તથા “અંગુઠસહિ” આદિ આઠ સંકેત પચ્ચકખાણે આવે છે આ નમુક્કારસહિ આદિ કે અંગુઠસહિ આદિ પહેલા ઉચ્ચારસ્થાનનાં પચ્ચકખાણેમાં પ્રાયઃ ચારે પ્રકારના આહારને ત્યાગ હોય છે. બીજા ઉચ્ચાસ્થાનમાં વિગઈ, નિર્વિગઈ અને આયંબિલનાં પચ્ચખાણે આવે છે, તેમાં વિગઈનું પચ્ચખાણું ભક્ષ્ય છ વિગઈઓ પૈકી એકેયને ત્યાગ ન કર્યો હોય, તે પણ પ્રાયઃ અભક્ષ્ય ચાર મહાવિગઈઓના ત્યાગથી પણ સર્વને કરી શકાય છે. ત્રીજા ઉચ્ચારસ્થાનમાં એકાસણું-બેસણું– એકલઠાણું (વગેરે) પચ્ચકખાણે તિવિહાર કે ચેવિહારપૂર્વક અપાય છે, એટલે કે એકાસણું વગેરે કર્યા પછી પાછુ સિવાય ત્રણને કે પાછું સાથે ચારેય આહારને ત્યાગ કરવાપૂર્વક પણ થઈ શકે છે. ચોથા ઉચ્ચારસ્થાનમાં “પાર વગેરે પાઠથી સચિત્ત પાણુને ત્યાગ કરવારૂપ પચ્ચખાશું આવે છે અને પાંચમાં ઉચ્ચારસ્થાનમાં (પૃ. ૨૨૭ માં કહ્યા પ્રમાણે) પહેલેથી નિશ્ચિત કરેલા “સચિત્ત દ્રવ્ય વગેરેના સંક્ષેપ રૂપ ચૌદ નિયમને અંગે દેસાવગાસિક વ્રતનું પચ્ચખાણ અપાય છે. આ પાંચ ઉચ્ચારસ્થાને, ભજન કરવાનું હોય તેવા પચ્ચકખાણનાં જાણવાં, ઉપવાસ કે ષષ્ટભકત વગેરે તપ કરનારને તે ચાર હોય છે. તેમાં પહેલા સ્થાનમાં અભક્તાર્થ (ઉપવાસના પાઠને ઉચ્ચાર, બીજા સ્થાનમાં (તિવિહાર ઉપવાસવાળાને) પાણહાર (સાથે પિરિસી આદિ)ના પાઠને ઉચ્ચાર, ત્રીજા સ્થાનમાં સચિત્ત પાણીના ત્યાગ રૂપ “gira વગેરેને ઉચ્ચાર અને ચોથા સ્થાનમાં દેસાવગાસિક ત્રત(ચૌદ નિયમ)ના પચ્ચકખાણને ઉચ્ચાર આવે છે. કહ્યું છે કે " पढमे ठाणे तेरस, बीए तिनि उ तिगा य तइयंमि । पाणस्स चउत्थंमि, देसवगासाइ पंचमए ॥१॥" (पभाष्यमूलगा०६) ભાવાર્થ-“પહેલા ઉચ્ચારસ્થાનમાં તેર, બીજામાં ત્રણે, ત્રીજામાં ત્રણ, ચેથામાં પાણસનું એક અને પાંચમામા દેસાવગાસિક વગેરેનું,-એમ (પાંચ સ્થાનમાં ર૧) પચ્ચકખાણ કરાય છે.” એમાં ઉપવાસ, આયંબિલ, નિર્વિગ વગેરે પચ્ચખાણે પ્રાયઃ ત્રિવિધાહારના કે ચતુવિધાહારના ત્યાગથી (ભજન પછી તિવિહાર કે ચઉવિહારથી થાય છે) અને અપવાદે (વિશિષ્ટ 'કારણે) નિર્વિગઈ વગેરે તથા પૌરૂષી વગેરે દુવિહારથી પણ થાય છે, નમુક્કારસહિનું પચ્ચખાણ તે વિહાર જ (ચારેય આહારના ત્યાગથી જ) થાય એ સંપ્રદાય-પરંપરા છે. કહ્યું છે કે “ હા તુ નો, ત્તિ , મુળા સેતુ-તિ-હા !” ૮૧. પચ્ચખાણુભાષ્યની ગા. ૮ માં તે ઉપવાસના પચ્ચકખાણમાં પણ સાંજના પાણહાર (વિ- હાર)ના પચ્ચકખાણુ સાથે પાંચ ઊચ્ચારસ્થાને કહ્યાં છે. ૮૨. પહેલા સ્થાનમાં નમુ, પિરિસી, સાદ્ધપરિ૦ પુરિમાદ્ધ અને અપાર્ધએ પાંચ “અદ્ધા તથા આઠ “સંકેત મળી તેર, બીજામાં વિગઈ–નિર્વિગઈ અને આયંબિલ મળી ત્રણ, ત્રીજામાં બેઅણું-એકાસણું અને એકલઠાણું એ ત્રણ, ચોથામાં એક પાણક્સ અને પાંચમામા એક દેસાવગાસિકાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy