SearchBrowseAboutContactDonate
Page Preview
Page 558
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩-દિનચર્યા–પચ્ચકખાણના પ્રકારે ] ૫૦૫ ખ્યાને કહ્યાં છે, તે “તેના પ્રતિપક્ષી ભાવના ત્યાગરૂપ” છે. (જેમકે–પિંડવિશુદ્ધિ એટલે પિંડની અશુદ્ધિને ત્યાગ, સમિતિ એટલે અસમિતિને ત્યાગ વગેરે.) એમ આવશ્યકસૂત્રની તથા યોગશાસ્ત્રની ટીકાઓમાં કહ્યું છે. ગૃહસ્થ તથા સાધુ, જેને જે યોગ્ય હોય તે બન્નેને ઉપયોગી ઉત્તરગુણનાં સર્વથી પચ્ચફખાણે “અનાગત' વગેરે દશ (આવ નિકિત અધ્યયન ૬માં) આ પ્રમાણે કહાં છે– “ TIMયમફત, શહિદિ નિબંદિ જેવા सागारमणगारं, परिमाणकडं निरवसेसं ॥१॥" , “ સંગ જેવા , પશ્ચાતાપ તુ રસવિહું દોડ્ડા सयमेवाणुपालणया, दाणुवएसे जह समाधि ॥२॥' (गा० १५६४-६५) ભાવાર્થ-“(૧) અનાગત, (૨) અતિક્રાન્ત, (૩) કેટિસહિત, (૪) નિયંત્રિત, (૫) આગારસહિત, (૭) પરિમાણકૃત, (૯) નિરવશેષ, (૯) સાંકેતિક, અને (૧૦) અદ્ધા –એ દશ પચ્ચકખા નું સ્વયં પાલન કરવું, પણ બીજાને આહાર આપવાનું કે તે ઉપદેશ દેવાને નિષેધ નથી, અર્થાત્ આહાર કે ઉપદેશ આપવો અપાવવામાં સમાધિ અનુસારે (વધુ લાભ થાય તેમ) વર્તવું.” તેમાં પર્યુષણ વગેરે પર્વોમાં કરવાને તપ “વૈયાવચ્ચ કે બીજા કારણેથી તે દિવસોમાં ન થઈ શકે તે પહેલાં કરી લે તે ૧-અનાગત, પર્વદિવસમાં કરવાને તપ ભાવના છતાં તેવાં કેઈ કારણેથી ન કરી શકાય, તે કારણે નિવૃત્ત થયે પાછળથી કરે તે ૨-અતિક્રાન્ત, એક પચ્ચક્ખાણ પૂર્ણ થતાં સાથે જ બીજું પચ્ચક્ખાણ કરવું–એમ બે પચ્ચકખાણુના છેલ્લે પહેલે બે છેડા ભેગા કરવા તે ૩-કેટિસહિત, તેમાં પણ છઠ્ઠની સાથે છઠ્ઠ, અઠ્ઠમની સાથે અઠ્ઠમ, આયંબીલની સાથે આયંબીલ, નીવીની સાથે નિવિ, એકાસણુની સાથે એકાસણું(વગેરે)જોડવું તે‘સમકેટિસહિત” અને ઉપવાસ ઉપર આયંબીલ વગેરે પૂર્વ પચ્ચકખાણથી ઉત્તર પચ્ચકખાણ અન્ય પ્રકારનું કરવું તે વિષમકેટિસહિતી જાણવું. અમુક મહિનામાં કે અમુક દિવસમાં અમુક “અદૃમ વગેરે કેઈ નિશ્ચિત પચ્ચખાણ “ગી કે નિગી કેઈ હાલતમાં પણ કરવું જ એ (નિરપવાદ) નિર્ણય, તે ૪-નિયંત્રિત આ પચ્ચકખાણ ચૌદ પૂર્વધરાનો તથા જિનકલ્પને વિચ્છેદ થવાની સાથે જ વિચ્છેદ થયું છે (કારણ કે તેવા વિશિષ્ટ ભાવિકાળના–સંઘયણ કે આયુષ્ય વગેરેના જ્ઞાન વિના, આ પચ્ચક્ખાણ કરવાથી તેને ભંગ થવાને પ્રસંગ આવે.) જેમાં “મહત્તરાગાર વગેરે આગારો (અપવાદ) રાખવામાં આવે તે પ–સાગાર, અને જેમાં આગારે રાખવામાં ન આવે તે ૮-અનાગાર (નિરાકાર) પચ્ચકખાણુ, અહીં છદ્મસ્થને આવશ્યક હેવાથી “અનાભોગ અને સહસાકાર બે આગારે તે અનાગારમાં પણ હોય જ, માટે તે સિવાયના “મહત્તરાગાર વગેરે આગાર વિનાનું નિરાગાર જાણવું. જેમાં દત્તી, કવલ (કેળીયા), ઘર કે દ્રવ્યની “અમુક-આટલી સંખ્યાનું પ્રમાણ વધુ નહિ વાપરવાનો નિયમ) કરવામાં આવે તે ૭૫રિણુમકૃત,(અહીં હાથ કે પાત્રમાંથી એક સાથે કે એક ધારાથી જેટલે આહાર વગેરે પીરસવામાં આવે તે દત્તી જાણવી. તેનું પ્રમાણુ કરવું, ૭૭, એ પચ્ચકખાણું પ્રથમ સંધાણુવાળા જીને પ્રાણાન્ત સંકટ કે ભિક્ષાના સર્વથા અભાવમાં હોય છે. હાલમાં તેવા સંઘયણને અભાવ હોવાથી સાગાર પચ્ચખાણ જ થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy