SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ [[ધ સંo ભાવ ૧ વિ. ૧-ગા. ૧-૨ “તરવાં' આ પદથી ભગવાનને “જ્ઞાનાતિશય વર્ણવ્યા છે. તત્વ એટલે “વસ્તુ માત્રનું ભૂત, ભાવિ તથા વર્તમાન પર્યાયપૂર્વકનું સ્વરૂપ', તેને ભગવાન જાણતા હોવાથી તેઓનું જ્ઞાન અનન્ય સામાન્ય છે. એ તેઓશ્રીને જ્ઞાનાતિશય છે. સરદાર”આ પદથી ભગવાનને “વચનાતિશય” વર્ણવ્યો છે. તત્ત્વને જણ વવામાં ભગવાનનું વચન અતિશયવાળું હોય છે. “નિરોત્તમમ્”—આ પદથી પ્રભુને “અપાયાપગમાતિશય” વર્ણવ્યું છે. અપાય એટલે દુ:ખે, તેના કારણભૂત રાગ-દ્વેષાદિ અંતરંગ શત્રુઓને મૂળમાંથી નાશ કરી ભગવાન સ્વ-સ્વરૂપને પામેલા છે. દુઃખના કારણભૂત અંતરંગ શત્રુઓ (રાગ-દ્વેષ વગેરે)ને જીતવાથી તેઓ “જિન” કહેવાય છે. જો કે સામાન્ય કેવલીઓ પણ “જિન” કહેવાય છે, પરંતુ ભગવાન તીર્થસ્થાપક છે, માટે ઉત્તમ હોવાથી જિનેત્તમ છે. આ રીતિએ રાગ-દ્વેષાદિ શત્રુઓ, કે જે દુબેનાં મૂળ છે તેનો નાશ કરવાથી તેઓને દુખોને સર્વથા નાશ થયે છે. આ દુખના સંબંધથી સર્વથા છૂટકારે એ ભગવાનને જ અપાયાપગમ” નામને મહા અતિશય છે. - આ રીતિએ “yત્તાશેવસુતાપુનેશ્વર' વિશેષણથી પૂજાતિશય, “તરવશ થી જ્ઞાનાતિશય, “તરણથી વચનાતિશય અને “વિનોત્તમમ્'પદથી અપાયાપગમાતિશય, એમ ચારેય અતિશય દ્વારા ભગવાનનું સદ્ભૂતગુણત્કીર્તન-સ્તવન કરવાપૂર્વક શુદ્ધ ભાવથી મન, વચન અને કાયા દ્વારા નમસ્કાર કરી મંગલ કર્યું છે. અહીં ભગવાનના “મહાવીર” નામની સાર્થકતા જણાવતાં કહે છે કે ભગવાન કર્મનું વિદારણ કરનાર, તપથી વિરાજમાન અને તપાવીય સહિત હેવાથી “વીરનામથી પ્રસિદ્ધ થયા છે. ભગવાનમાં વીરપણું ત્રણ પ્રકારે યથાસ્થિત છે, કારણ કે-વાર્ષિક દાનાવસરે ક્રોડે સેનૈયાના ૨. પ્રત્યક્ષ, પક્ષ, વિદ્યમાન કે અવિદ્યમાન દરેક પદાર્થોના ત્રણેય કાલના તે તે સ્વરૂપના સંપૂર્ણ જ્ઞાતા હોવાથી તથા ભવ્યના સંશને છેદનાર હોવાથી ભગવાનને જ્ઞાનગુણુ અતિશાયી છે. ૩. સ્વયં જાણવા છતાં કેટલાય છે એવા હોય છે કે તે બીજાને સમજાવી શકે નહિ. પ્રભુની વાણું તે પાંત્રીશ ગુણયુક્ત હોય છે : દે, મનુષ્ય કે તિર્યએ ભગવાનનાં વચનને પિતપિતાની ભાષામાં સમજી શકે છે : દરેકને એમ જ ભાન થાય છે કે–મને ઉદ્દેશીને જ પ્રભુ બેલે છે : તેઓનાં વચનને રસ એ ઉત્તમ હોય છે કે-ભૂખ, તૃષા, ટાઢ, તડકે, થાક વિગેરેના અનુભવ પણ થતો નથી : કલાના કલાક સુધી તન્મયપણો સાંભળવા છતાં સાંભળવાની ઈછા ખૂટતી જ નથી : વિગેરે અચિત્ય વાણીમહિમા શાસ્ત્રમાં જે વર્ણવ્યું છે તે મહિમા માત્ર પ્રભુનાં વચનને જ હોય છે, તેથી તેઓને તે “વચનાતિશય’ ગણાય છે. (વાણીના પાંત્રીશ ગુણે અભિધાનચિંતામણિ કેષના દેવાધિદેવકાપ્ત શ્લેક ૫ થી ૭૧ માં જુઓ.) ૪. જ્યાં સુધી મૂળ હોય છે ત્યાં સુધી તેમાં અંકુરે સ્ફરવાનો સંભવ છે, એટલે કે--સંસારવત જીવો ગમે તેવા સુખી હોય તે પણ રાગ-દ્વેષયુક્ત હોવાથી વાસ્તવિક સુખથી રહિત જ છે. તેઓ જે કત્રિમ બાહ્ય સુખ પામે છે, તે સુખ પણ રાગ-દ્વેષાદિના વેગે આખરે દુઃખરૂપે પરિણમતું હોવાથી પરિણામે દુઃખ જ છે. જ્યારે ભગવાનને કમંજન્ય રાગ-દ્વેષાદિને નાશ થવાથી સ્વભાવરમણુતારૂ૫ અનિર્વચનીય અનંત સુખ પ્રગટ થયેલું છે, તેમાં વિદન કરનાર કારણરૂપ રાગાદિક અપાયે સર્વથા નષ્ટ થયા છે; વળી તેઓ જ્યાં જ્યાં વિચરે ત્યાં સવાસો જન સુધીમાં બીજા નાં પણ કષ્ટ ટળી જાય છે, તે પ્રભુને * અપાયાપગમ” નામને અતિશય છે. Jain Education International For Private & Personal use.Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy