SearchBrowseAboutContactDonate
Page Preview
Page 547
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - - - - - - - - - - માતા નાના નાના-નાનાં - - - - [ ધ સં. ભા. ૧-વિ૦ ૨૦ગા. ૬૨ કરવાનો સમય થઈ ગયો છે” વગેરે કહીને સભાને તોડવાથી, (૨૯) ગુરુ ધર્મકથા કરે ત્યારે શિષ્ય “એ વાત હું તમને કહીશ—એમ શ્રોતાઓને કહી કથાને તેડી નાખવાથી, “કથા છેદન” નામની આશાતના, (૩૦) ગુરૂનું વ્યાખ્યાન સમાપ્ત થતાં–સભા ઉઠયા પહેલાં જ શિષ્ય પિતાની ચતુરાઈ વગેરે જણાવવા વિશેષ જાણતા હોય તેમ ધર્મકથા કરવાથી; (૩૧) ગુરૂની સામે શિષ્ય ગુરૂથી ઉંચા કે સરખા આસને બેસવાથી, (૩૨) ગુરૂનાં શા-સંથારો-કપડાં વગેરેને પગ લગાડવાથી, તેમની રજા વિના હાથ પણ લગાડવાથી અને તેની ક્ષમા નહિ માગવાથી, કહ્યું છે કે – “ સંપત્તા , તા ૩ાિવિ ! ઉમે ગત્તરાઉં મે, રન્ન ન પુરિ મ (હરાવૈ - ૨-૩૦ ૨-૨૮) ભાવાર્થ-“ગુરૂને તથા તેઓનાં કપડાં વગેરે વસ્તુઓને શરીરથી સ્પર્શ થઈ જાય કે તેમની રજા સિવાય સ્પર્શ કરે, તો “મારા અપરાધને ક્ષમા કરે–એમ કહીને શિષ્ય ક્ષમા માગવી અને ફરીથી આવી ભૂલ નહિ કરૂ –એમ કહેવું તથા (૩૩) ગુરૂની શયા–સંથાર–આસન વગેરે ઉપર ઉભા રહેવાથી, બેસવાથી અને શયન કરવાથી (અર્થોપત્તિએ તેઓનાં વસ્ત્ર-યાત્રાદિ કઈ પણ વસ્તુને વાપરવાથી) આશાતના થાય છે. આ તેત્રીશ આશાતનાઓને જણવનારી ગાથાઓ શાસ્ત્રમાં નીચે પ્રમાણે છે. "पुरओ-पक्खासन्ने, गमणं ३ ठाणं ६ निसीअणं ९ ति नव । सेहे पुव्वं आयमई १०, आलबइ ११ य तहय आलोए १२ ॥१॥" " असणाइअमालोएइ १३, पडिदंसह १४ देइ १५ उवनिमंतेइ १६ । દસ સદા નિતાર ગુરુપુર ૨૭ શ” " राओ गुरुस्स वयओ, तुसिणि सुणिरो वि १८ सेसकाले वि १९ । तत्थगओ वा पांडसुणइ २०, बेइ किं ति व २१ तुमं ति गुरू २२ ॥३॥" " तज्जाए पडिहणइ २३, बेइ बहुं २४ तह कहतरे वयइ । एवमिमं ति अ२५ न सरसि २६, नो सुमणे २७ भिंदईपरिसं २८॥४॥" " छिदइ कह २९ तहाणु-द्विआइ परिसाइ कहइ सविसेसं ३० । गुरुपुरओ वि निसीअइ, ठाइ समुच्चासणे ३१ सेहो ॥५॥" " संघट्टई पाएणं, सिज्जासंथारयं गुरुस्स तहा ३२। तत्थेव ठाइ निसीअइ, सुजइ व ३३ सेहोत्ति तेत्तीसं ॥६॥" (આ ગાથાઓને ભાવાર્થ ઉપર ૩૩ આશાતનાઓના વર્ણનમાં કહ્યો તે પ્રમાણે સમજ.) ગુરૂની આ આશાતનાઓ સાધુની જેમ યથાસંભવ (જેને જે જે થવાનો સંભવ હોય તે) શ્રાવકને પણ લાગે માટે શ્રાવકોએ પણ સમજીને વર્જવી. (આ આશાતનાઓ પૈકી એક, બે કે સઘળી આશાતનાથી થયેલા અપરાધનું પ્રતિક્રમણ કરું છું-એમ સંબંધ સમજ) હવે એ આશાતનાઓ સંબંધી જ કાંઈક વિશેષથી કહે છે–વંવિત્તિ નિછાપ (ચન્દ્ર વિન નિષr)=જે કઈ ખરાબ-જુઠાં, જેવાં–તેવાં નિમિત્ત લઈને “મિથ્યા ખેટ ભાવ (અસદભાવ)કરવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy