SearchBrowseAboutContactDonate
Page Preview
Page 546
Loading...
Download File
Download File
Page Text
________________ પણ નાના નાના નાના ગામડાના કાકા - - - - - પ્ર૦ ૩-દિનચર્યા-ગુરૂવંદન સૂત્રને અર્થ: ૩૩ આશાતનાઓ ] ૪૯૩ થવારૂપ આશાતના થાય છે, માર્ગ દેખાડવા કે કોઈ વૃદ્ધ, અંધ વગેરેને સહાય માટે આગળ ચાલવામાં દેષ નથી, (૨) “ગુરૂની સાથે જ જમણું કે ડાબા પડખે ચાલવાથી અને (૩) “ગુરૂની પાછળ ચાલવાથી, પાછળ પણ બહુ નજીકમાં તેઓની લગોલગ ચાલવાથી નિઃશ્વાસ, છીંક, ગ્લેમ વગેરે લાગવાને સંભવ હોવાથી આશાતના કહી છે. ચાલવાની જેમ (૪) નિષ્કારણ આગળ, (૫) બરાબર બાજુમાં, અને (૬) પાછળ બહુ નજીકમાં “ઉભા રહેવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. એ જ રીતિએ નિષ્કારણ (9) ગુરુની આગળ, (૮) બરાબર બાજુમાં જ, તથા ૯) બહુ નજીક પાછળના ભાગમાં બેસવાથી પણ ત્રણ આશાતનાઓ થાય. (૧૦) ગુરૂની-આચાર્યની સાથે થંડિલ ગયેલે સાધુ ગુરૂની પહેલાં દેહશુદ્ધિ વગેરે આચમન કરે તે “આચમન” નામની, (૧૧) કેઈ ગૃહસ્થાદિની સાથે ગુરુને વાત કરવાની હોય કે કોઈને બોલાવવાનું હોય, તેને પોતે જ ગુરુની પહેલાં બોલાવે કે વાત કરે તે પૂર્વાલાપન” નામની, (૧૨) આચાર્યની સાથે બહાર ગયેલે કે ત્યાંથી પાછા આવેલે શિષ્ય ગુરૂની પહેલાં જ “ગમનાગમન આલેચે તે “ગમનાગમન આલોચના” નામની, (૧૩) ભિક્ષા (ગોચરી)ની આલોચના–પહેલાં જ કેઈ અન્ય સાધુની સમક્ષ કરીને પછી ગુરૂસમક્ષ કરવાથી, (૧૪) એ જ પ્રમાણે પહેલાં જ અન્ય સાધુને દેખાડી પછી ગુરૂને ભિક્ષા દેખાડવાથી, (૧૫) ભિક્ષામાંથી ગુરૂને પૂછ્યા વિના જ ન્હાના સાધુઓને તેઓની ઇચ્છાનુસાર માગે તેટલું ઘણું આપવાથી, (૧૬) પહેલાં કોઈ ન્હાના સાધુને આહારાદિ નિમંત્રણ કરી પછી ગુરૂને નિમંત્રણ કરવાથી, (૧૭) ભિક્ષામાંથી આચાર્ય(ગુરૂ)ને કંઈક માત્ર આપીને ઉત્તમ વર્ણગંધ–રસ સ્પર્શવાળાં સ્નિગ્ધ (ધણ વિગઈવાળા) તથા મધુર-મનને ગમે તેવાં આહાર કે શાક વગેરે પિતે વાપરવાથી, (૧૮) રાત્રિએ ગુરૂ પૂછે કે- હે સાધુઓ ! કે જાગે છે ? ત્યારે જાગવા છતાં જવાબ નહિ આપવાથી, એમ (૧૯) દિવસે કે અન્ય સમયે પણ ગુરૂએ પૂછવા છતાં જવાબ નહિ આપવાથી, (૨૦) ગુરૂ બોલાવે ત્યારે જ્યાં બેઠે કે સુતા હોય ત્યાંથી જ ઉત્તર આપવાથી, અર્થાત્ ગુરૂ બોલાવે ત્યારે આસન કે શયનથી ઉઠીને પાસે જઈને “મરથur “વામિ કહીને તેઓ કહેતે સાંભળવું જોઈએ તે પ્રમાણે નહિ કરવાથી, (૨૧) ગુરૂ બેલાવે ત્યારે “ઘgT ચંનિ' કહી પાસે જવું જોઈએ, તેને બદલે “શું છે ? શું કહો છો ?” વગેરે ઉત્તર આપવાથી, (૨૨) ગુરૂની સામે ‘તું–તારૂં” વગેરે અપમાનજનક “તુંકાર' બોલવાથી, (૨૩) કે પ્લાન (માંદા-બાલ-વૃદ્ધ) વગેરેની વિયાવચ્ચ માટે અમુક કામ કર”—એમ ગુરુ કહે, ત્યારે જવાબમાં ‘તમે કેમ કરતા નથી ? મને કેમ કહો છે?”—એમ બેલે, ગુરુ કહે કે તું આળસુ છે, ત્યારે કહે કે તમે આળસુ છે;” એમ ગુરુ કહે તેવું જ શિષ્ય ગુરૂને સ્વામું સંભળાવે તે “તજજાતવચન” નામની, (૨૪) ગુરૂની આગળ ઘણું, કઠોર (કરડાં) વચનથી કે મોટા અવાજે બેલવાથી, (૨૫) ગુરૂ વ્યાખ્યાન કરે ત્યારે આ હકીકત આમ છે -ઈત્યાદિ વચ્ચે બોલવાથી, (૨૬) ગુરૂ ધર્મકથા (વ્યાખ્યાન) કરતા હોય તેમાં “આ અર્થ તમેને સ્મરણમાં નથી, ભૂલી ગયા છો, કહે છે તે અર્થ બરાબર નથી-ઇત્યાદિ બલવાથી, (૨૭) ગુરૂ ધર્મ સંભળાવતા હોય ત્યારે તેમના પ્રત્યે પૂજ્ય ભાવ નહિ હોવાથી ચિત્તમાં પ્રસન્ન નહિ થવું, ગુરૂના વચનની અનુમોદના નહિ કરવી અને આપે સુંદર સમજાવ્યું—એમ પ્રસંશા નહિ કરવી તે “ઉપહતમનરત્વ' નામની, (૨૮) ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે ભિક્ષા લેવા જવાનો સમય છે, સૂત્ર ભણવાનો અવસર છે, ભજન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy