________________
પ્ર૦ ૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં ૩ર દેશ ]
૪૮૫ ભેગા કરી, બે હાથ પેટ ઉપર ભેગા રાખી વન્દન કરવું, કે સૂત્રના ઉચ્ચારમાં અક્ષરને, પદને અને સંપદાઓને યથાસ્થાને અટક્યા વિના જ અસ્પષ્ટ ભેગો ઉચ્ચાર કરે વગેરે, ૫. લગતિદોષ-તીડની જેમ આગળ-પાછળ કુદતાં કૂદતાંઠેકડા મારતાં વન્દન કરવું. ૬ અંકુશદાષઉભા રહેલા, સુતેલા કે અન્ય કાર્યો કરતા ગુરૂને એ વગેરે ઉપકરણે, ચલપટ્ટો, વસ્ત્ર કે હાથ પકડીને, હાથીને ખેંચે તેમ અવજ્ઞાપૂર્વક ખેંચીને વન્દન માટે આસને બેસાડીને વન્દન કરવું, પૂજ્ય ગુરુઓને એમ ખેંચવા તે અવિનય હોવાથી અગ્ય છે-એ એક અર્થ, બીજો અર્થ– પિતાના ઘા કે ચરવાળાને બે હાથથી અંકુશની જેમ પકડીને વંદન કરવું અને ત્રીજો અર્થ– અંકુશના પ્રહારથી પીડાતા હાથીની જેમ વંદન કરતાં પિતાનું મસ્તક ઉંચું નીચું કરવું. એ ત્રણ પ્રકારે અંકુશષ જાણ ૭. કચ્છપરિગિતષ-ઉભા ઉભા “તિસરથાણ ગાવાથrg” વગેરે કે બેઠા બેઠા “મો વાર વગેરે પાઠ બેલતાં વિના કારણે કાચબાની જેમ આગળ કે પાછળ ખસ્યા કરવું. અર્થાત્ વિના કારણે વંદન કરતાં આગળ-પાછળ ખસવું. ૮. મ દ્વર્તનદોષ-માછલું પાણીમાં એક દમ નીચે જાય, એક દમે ઉપર આવે અને એક દમે પાસું ફેરવી નાખે તેમ વંદન કરતાં ઉછળીને ઉભે થાય, પડતાની જેમ બેસી જાય અને એકને વંદન કરી ખસ્યા વિના જ “માછલાની જેમ પાસું ફેરવીને બીજા સાધુને વંદન કરે, વગેરે. ૯. મન પ્રદૃષ્ટદોષ-ગુરુ, વન્દન કરનારને કે તેના કોઈ સંબંધી વગેરેને ઠપકો આપે કે કઠોર શબ્દો કહે, તેથી તેઓ પ્રત્યે મનમાં પ્રષિ રાખીને વંદન કરવું, અથવા “વંદનીય સાધુ પિતાનાથી ગુણમાં હીન હોય તે હું એ ગુણહીનને કેમ વાંદું? અથવા આવા ગુણહીન પણ વંદન કરાવે છે વગેરે અસૂયાપૂર્વક વંદન કરવું. ૧૦ વેદિકાબદ્ધદેષ-વંદનનાં આવર્ત દેતાં બે હાથને બે ઢીંચણની વચ્ચે રાખવાને બદલે ૧-એ હાથ બે ઢીંચણ ઉપર રાખે, ૨–એ ઢીંચણની નીચે રાખે, ૩–બે હાથ ખોળામાં રાખે, ૪-બે ઢીંચણની (બહાર) પડખે બે હાથ રાખે કે પ–બે હાથ વચ્ચે એક ઢીંચણને રાખીને વંદન કરે,–એમ પાંચ પ્રકારે વેદિકાબદ્ધદેષ થાય. ૧૧. ભયદેષ‘વંદન નહિ કરું તો સંઘમાંથી, સમુદાયમાંથી, ગચ્છમાંથી કે આ ક્ષેત્રમાંથી દૂર કરશે--બહાર કરશે” વગેરે ભયથી વંદન કરવું. ૧૨, ભજતદેાષ-“વન્દનાદિ સેવા કરું છું તેથી ગુરુ પણ મારી સેવા કરે છે અથવા “અત્યારે સેવા કરવાથી, મારી સેવાથી દબાયેલા ગુરૂ પણ ભવિષ્યમાં મારી સેવા કરશે–એમ થાપણું મૂકવાની જેમ વંદન કરવું. ૧૩. મૈત્રીદેષ-આ આચાર્યાદિની સાથે મારે મિત્રી છે માટે, અગર વંદન કરૂં તો મિત્રી થાય –એમ સમજી વંદન કરવું. ૧૪, ગૌરવ દોષ-હું “ગુરુવંદન વગેરે વિધિમાં કુશળ છું—એમ બીજાઓને જણાવવા માટે વિધિપૂર્વક આવત વગેરે સાચવીને “પોતેજ વિધિ સાચવે છે એવા અભિમાનથી વંદન કરવું. ૧૫. કરણદોષ-જ્ઞાનાદિ સિવાય વસ્ત્ર, પાત્ર વગેરે વસ્તુઓ મેળવવા માટે વંદન કરવું, અગર ‘હું જ્ઞાન વગેરે ગુણેથી લેકમાં પૂજાઉં'—એવા આશયથી જ્ઞાનાદિ ગુણ મેળવવા વંદન કરવું, અથવા “વંદનથી વશ થયેલા ગુરુ મારૂં કહ્યું કરે” માટે વશ કરવા વંદન કરૂં, એવા દુષ્ટ આશયથી વંદન કરવું. ૧૬. તેનષ-સ્તન એટલે ચાર કે વંદન કરતાં દેખશે તે મને હલકે માનશે-હું હાને દેખાઈશ”—એવા ભયથી ચોરની જેમ બીજાઓની આડમાં છૂપાઈને કઈ દેખે-કોઈ ન દેખે તેમ જહદી વંદન કરવું. ૧૭. પ્રત્યનીકષ-પહેલાં કહ્યું તેમ ગુરુ વ્યગ્ર ચિત્તવાળા, અવળા બેઠેલા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org