SearchBrowseAboutContactDonate
Page Preview
Page 535
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૪૮૨ [[ ધ સં૦ ભા૧-વિ૦ ૨-ગા૦ દર શાખ તથા પાલકનું એમ પાંચ દષ્ટાન્ત શાસ્ત્રોમાં કહેલાં છે. કહ્યું છે કે હ મારે ઘંટા-ચારોળss નમન-વિજf . સારું-હુ-શબ્દ-સેવા-ચ-૩૯હરના શા” ભાવાર્થ-૧૧-વન્દન, ૨-રજેહરણ આદિ સંગ્રહ, ૩–આવર્ત (વાંદણું), ૪-નમસ્કાર અને પ–વિનય,-એ પાંચ પ્રકારનાં “દ્રવ્ય અને ભાવ” વન્દનેમાં અનુક્રમે ૧-શીતલ, ૨-ક્ષુલ્લક, ૩-કૃષ્ણ, ૪–સેવક અને પ–પાલકનાં ૭૪ ઉદાહરણે જાણવાં.” એ ગુરૂવન્દનમાં પાંચ ઉદાહરણરૂપ નવમું દ્વાર કહી “ગુરૂ અવગ્રહનું દસમું કહે છે. ગુરૂ મહારાજના આસનની ચારે બાજુ સાડાત્રણ હાથ સુધીની જગ્યાને “ગુરૂને અવગ્રહ કહેવાય છે, તેનું સ્વરૂપ ચાલુ અધિકારમાં જ આગળ વન્દનસૂત્રના અર્થોમાં કહેવાશે. છે, એમ ઘણું નુકશાન છે. ૫. ઉપા. મહારાજ કહે છે કે- “દેપ કુપાત્રે પાત્રમતિ એ, નહિ અનુકંપા માન રે ભવિકા” અર્થાત-કુપાત્રમાં પાત્રતાની બુદ્ધિ કરવી તે અનુકંપા નથી, પણુ તેના દુર્ગણને પિપણુ કરવા રૂપ દોષ છે. અનુકંપાદાન દયાપાત્રને માટે છે, બાકી અવગુણીની ભિક્ષા તો “પૌરષશ્રી' કહી છે, આપનારને પણ નુકશાન કરે છે, માટે સર્વત્ર શાસ્ત્રકથિત વચનમાં વિવેકને આદર કરવો. ૭૪. ૧, શીતલાચાય—આ નામના એક જૈનાચાર્ય હતા, તેમની બહેનના ચાર પુત્રોએ અન્ય ગુરૂ પાસે દીક્ષા લીધી હતી. એક વખત તેઓ (પિતાના મામા ) શીતલાચાર્યને વન્દન કરવા માટે નીકળ્યા, માર્ગમાં વિલંબ થવાથી શીતલાચાર્ય હતા ત્યાં ન પહોંચી શકવાથી રાત્રિએ ગામની બહાર એક સ્થાનમાં રહ્યા અને પિતાના આગમનના સમાચાર શ્રી શીતલાચાર્યને પહોંચાડયા. શીતલાચાર્ય ખૂશી થયા અને સવારે “હમણાં આવશે-હમણાં આવશે' એમ રાહ જોવા લાગ્યા. અહીં તે ચારેય મુનિઓને તે રાત્રિમાં ગુરૂવન્દન કરવાની નિર્મળ ભાવનારૂપ શુભ ધ્યાનને વેગે કેવલજ્ઞાન થયું, તેથી વન્દન કરવા ગયા નહિ. આખરે રાહ જોતા શીતલાચાર્ય, અભિમાનથી “તેઓ આવ્યા નહિ માટે હું તેમની સામે જાઉં'-એમ વિચારીને તેમની પાસે ગયા, છતાં કેવલી હોવાથી તેઓએ સત્કાર કર્યો નહિ. આથી શિતલાચાર્યો ગુસ્સે થઈને પિતે મોટા છતાં તેઓને વન્દન કર્યું, ત્યારે (કેવલી) મુનિઓએ કહ્યું કે-એ તે દ્રવ્યવન્દન કર્યું, હવે ભાવવન્દન કરે!' આચાર્યો પૂછયું–કેમ જાણ્યું ?' મુનિઓ બેલા-“જ્ઞાનથી.' આચાર્યો પૂછયું-' કયા જ્ઞાનથી?' કેવલી બોલ્યા- અપ્રતિપતિ (કેવલ) જ્ઞાનથી.’ આથી આચાર્યો, અરે, અરે ! મેં કેવલીની આશાતના કરી”—એમ પશ્ચાતાપ કરીને ખમાવ્યા અને ફરીથી ભાવપૂર્વક તે ચારેયને વન્દન કર્યું. અહીં તે શતલાચાર્યનું પહેલી વારનું “વ્યવન્દન' અને બીજી વારનું ભાવવન્દન’ જાણવું. ૨ ફુલાચાય–ગુણસુંદર નામના એક આચાર્યો નાની ઉમ્મરના એક ક્ષુલ્લક સાધુને આચાર્ય પદવી આપી, સાધુઓને-સંધને તેઓની આજ્ઞામાં સોંપી પિતે કાલધર્મ પામ્યા. સર્વ સંઘ એ ક્ષુલ્લકાચાર્યની આજ્ઞામાં વર્તવા લાગે અને એ નવા આચાર્ય પણ ગીતાર્થો પાસે અભ્યાસ કરવા લાગ્યા. કર્મના જોરે એ તેને ચારિત્ર છવાની ઈચ્છા થઈ. તેથી સ્થડિલને હાને ચાલ્યા અને સાથે સાધુને અમુક સ્થાને રેકી પતે આગળ વધ્યા ત્યાં માર્ગમાં એક ખીજડીના વૃક્ષની ચારેય બાજુ પીઠિકા (એટલી) બાંધેલી જોઈ અને લોકોને તે વૃક્ષની પૂજા કરતા જોયા, તેથી તેમણે વિચાર્યું કે અહીં ઉત્તમ હોવા છતાં આ કંટાળ વૃક્ષને લેકે પૂજે છે, તેમાં તેની ચારેય બાજુ બાંધેલી પીઠ કારણું છે, નિર્ણય કરવા માટે લેકેને પૂછવાથી પણ તે જ જવાબ મળ્યો. આથી પિતે વિચાર્યું કે-જ્ઞાનાદિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy