________________
પ્ર૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં પાંચ અવનનીય : પાંચ ઉદાહરણ ]
૪૮૧ પાંચ પ્રકારનાં વન્દનમાં દ્રવ્ય અને ભાવ વન્દનના ભેદને સમજાવવા માટે પાંચ ઉદાહરણ કહ્યાં છે. તેમાં ૧-ગુરુના ગુણેની સ્તુતિ કરવી તે સત્કારવન્દન, ૨-દ્રવ્યથી રજોહરણદિને ધારણ કરવાં-ભાવથી જ્ઞાનાદિ ગુણેને ધારણ કરવા તે ચિતિ (સંચયરૂ૫) વન્દન,૭-વાંદણુનાં આવ વગેરે સાચવી વિધિથી વન્દન કરવું તે આવતવન્દન, ૪–મસ્તક નમાવવું વગેરે નમસ્કારવન્દન, અને પ-વિનય કરે તે વિનયવન્દન કહેવાય છે. ગુરુવન્દનભાગ્યમાં અને શ્રીઆવશ્યકનિર્યુક્તિ વગેરેમાં આ પાંચેય વન્દનોનાં અનુક્રમે “વન્દનકર્મ, ચિતિકમ, કૃતિકમ, પૂજનકર્મ અને વિનયકર્મ-એવાં નામો આપ્યા છે, તેનું દ્રવ્ય અને ભાવથી સ્વરૂપ સમજાવવા અનુક્રમે ૧-શિતલાચાર્યનું, ૨-ફુલકાચાર્યનું, ૩-કૃષ્ણજી અને વીરકનું, ૪-બે રાજસેવકેનું, અને ૫કરવામાં આવે, તે જમાલી વગેરે નિદ્દાને પણ વન્દન કરવાને પ્રસંગ આવે. અહીં એ પ્રશ્ન થાય છે કે-“અપરિચિત સાધુના આચાર-વિચાર જાણ્યા ન હોય તેને વજન કરવું કે નહિ? વળી સાધુઓના ભાવને કોણ જાણી શકે? સાધુ જેવી પ્રવૃતિ કરનારા છતાં વિનયનની જેમ અભવ્યો પણ હોય અને બહારથી શિથિલ દેખાતાં છતાં સાધુતાના રાગી-ઉતમ પણ હેય.” એનું સમાધાન એ છે કે –“ પૂર્વ
જોયેલા કે નહિ જાણેલા અપરિચિત સાધુને પણ પ્રથમ સત્કાર-સન્માન કરવાનો નિષેધ નથી, સત્કાર કરનારને વિનયગણ જેને કદાચ તે સાધુને શિથિલતામાંથી સન્મા આવી જવાનો સંભવ છે. ગુરૂવન્દનાદિ વિશિષ્ટ વ્યવહાર તે તેની ઉતમતાને જાણ્યા પછી જ કરવો.. પરિચિત સાધુ માટે છે, જે તે ઉઘતવિહારી હેય તે અભુત્થાન–વન્દન વગેરે સઘળે વ્યવહાર કરે અને શિથિલવિહારી હોય તો સકારાદિ પણ ન કરવું. કઈ ગાઢ કારણે, તેમના પર્યાય-બ્રહ્મચર્ય—સમાજમાં તેમનું મહત્ત્વ–પીઠબળક્ષેત્રબળ-કાળબળ કે તેમના આગમબળને વિચાર કરીને, ગુરલાઘવતા(લાભહાનિ)ને વિચાર કરતાં જેમ ઓછું નુકશાન અને વધુ લાભ થાય તેમ સત્કાર, સન્માન કે વદન પણ કરવું.” કોઈ પ્રશ્ન કરે કે“તીર્થકરની પ્રતિમા નિગુણી છે, છતાં તેમાં ગુણોને આરોપ કરીને પૂજન કરાય છે, તેમ ગુરૂને પણ ગુણવાન માનીને વન્દનાદિ કરે એમાં શું વાંધો ?” તેના સમાધાનમાં જણાવવાનું કે-“તે પ્રશ્ન વ્યાજબી નથી, કારણ કે- તીર્થકરની મૂર્તિમાં ગુણરોપણ કરીને પૂજવા છતાં અવગુણનું પોષણ થતું નથી, શિથિલાચારીમાં અવગુણ હોય છે તેથી તેનું વિણ થાય છે, તેથી તેને તથા વન્દનાદિ કરનારને દુર્ણ હનું પોષણ કરવા-કરાવવા રૂપ અહિત થાય છે. હા, અપરિચિત પાસત્યાદિને પણ નિષ્પક્ષપાતપણે ચકાસી જવા છતાંય છદ્મસ્થપણાને લીધે તેમનાં દૂષણ જાણવા-જોવામાં ન આવે, અને તેથી સુસાધુ માનીને ઉપાસના કરે તે કરનારને લાભ થાય, પણ દૂષણે જાણવા જેવા “છતાં ઉપાસના કરે તે ભલે ભાવ રાદ્ધ હોય, પણ બંનેનું અહિત થાય જ છે; માટે જ” અભવ્ય ગુરૂએથી પણ, તેઓને અજાણપણાથી શુદ્ધ માનીને ઉપાસના કરનારાઓ તરી ગયાનાં અને જાણ થતાં જ પિતાના ઉપકારી હેય-ગુરૂ હાય-શિષ્ય હાયસ્વજનસંબંધી હોય કે ગચ્છના આચાર્ય હોય, તેવાને પણ ત્યજી દીધાનાં દૃષ્ટાન્ત શાસ્ત્રમાં મળે છે. ” અહીં એમ પ્રશ્ન થાય કે-“ જે અવનનીય પાસત્ય વગેરે છે તેઓનું જીવન તો સમાજ ઉપર જ છે, જે તેને છોડી દેવામાં આવે તે તે બીચારાનું શું થાય ? આંગણે આવેલા ભિખારીને પણ નિરાકા નહિ કરવાને શ્રાવકને આચાર છે, તે અનુકંપબુદ્ધિથી પાસસ્થાદિની સેવા કરવામાં શું છે ?” એનું સમાધાન એમ સમજવું કે-“ એવા કપાત્રને તે અનુકંપાના પાત્ર પણ નથી માન્યા. ભિખારીને ટુકડે આપવાથી તે જૈનશાસનને નુકશાન થતું નથી, પણ ઊલટી જેનોની ઉદારતા, દયા વગેરે ગુણેની પ્રસિદ્ધિ થાય છે; જ્યારે પાસત્યાદિને સહાય કરવાથી તેઓ દ્વારા સાધુતાની–શાસનની અપકીતિ થાય છે, તેઓનાં માયા-કપટ વગેરે દૂષણે પોષાય
૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org