SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩-દિનચર્યા–ગુરૂવન્દનમાં પાંચ અવંદનીયનું સ્વરૂ૫] ૪૭૮ સાત વડે દાતાર (ગૃહસ્થ)ની સાથે પિતાની સમાનતા બતાવીને દાતારને પિતાના તરફ આદર વધારીને આહારાદિ મેળવે, તે “આજીવક” કહેવાય. જેમ કે કઈ સાધુ બ્રાહ્મણને કહે કે-હું પણ બ્રાહ્મણ છું, તેથી તેને સાધુ ઉપર પ્રીતિ થાય અને આહારાદિ વસ્તુઓ વહરાવે, એમ જાતિની સમાનતાથી આજીવિકા ચલાવનારે “જાતિ–આજીવક' વગેરે સ્વયં સમજવું. શઠતાથી બીજાઓને ઠગવા તેને “કકકુરૂકા” કહેવાય છે. અન્ય આચાર્યો તે, પ્રસુતિ આદિ રેગમાં ખારપાતન કરાવવું કે પોતાના શરીરે લેધક વગેરેનું ઉદ્દવર્તન કરવું તેને “કક અને સ્નાન કરવું કે સ્ત્રીપુરૂષાદિનાં લક્ષણે કહેવાં તે “કુરૂકા” એમ જુદે જુદે અર્થ કરે છે, જેની અધિષ્ઠાતા દેવી હોય તે “વિદ્યા” અને જેને અધિષ્ઠાતા દેવ હોય તે “મંત્ર” અગર સાધના કરવી પડે તે “વિદ્યા” અને સાધ્યા વિના જ પાઠ (ઉચ્ચાર) માત્રથી સિદ્ધ થાય તે “મંત્ર” જાણ, સામુદ્રિક શાસ્ત્રોક્ત સ્ત્રી-પુરૂષની રેખાઓ-મસ-તલ વગેરે લક્ષણે જોઈ ભૂત-ભાવિ ભાવેને કહેવા તે “લક્ષણ” સ્ત્રી-પુરૂષને પરસ્પર દ્વેષ કરાવે કે દ્વેષ હોય તે મેળ કરાવ, અથવા ગર્ભધારણ કરાવે કે નાશ કરાવે તે “મૂલકમતથા ચૂર્ણ—ગના પ્રયોગ, શરીરશોભા ઈત્યાદિ કૌતુક સમજવું. ચારિત્રને મલિન કરનારા આ કાર્યોને કરનાર સાધુ ચરણકુશીલ જાણવો. હવે “સંસકત’નું સ્વરૂપ કહે છે-સંવેગી-અસંવેગી જે જે સાધુઓ મળે તેની તેની સાથે તે બને (તેના જેવો વર્તાવ કરે) તે “સંસક્ત” જાણ કહ્યું છે કે " पासत्थाईएमुं, संविग्गेसुं च जत्थ मिलई उ । तहिं तारिसओ होई, पिअधम्मो अहव इयरो अ॥११८॥" " सो दुविअप्पो भणिओ, जिणेहिं जिअरागदोसमोहिं । uો ય સંવિત્રિો, સંઝિદ્દિો તાગ ૨૨મા” (માતા). ભાવાથ–“ઉપર કહ્યું તે પાસસ્થાદિની કે સંવિની જેની સાથે મળે ત્યાં ત્યાં તે પ્રિયધમી અથવા અપ્રિયમી થાય તે સંસક્ત, તેના “સંકલિક” અને “અસંકલિષ્ટ' એમ બે ભેદે રાગ-દ્વેષ અને મહાદિને જીતનારા શ્રીજિનેશ્વરોએ કહ્યા છે.” 1 ઉપર કહ્યું તેમ ગુણ અને દોષથી મિશ્ર થઈ જાય તે સંસક્ત કહેવાય. જેમ ગાયના ખાણના ટોપલામાં ખળ, કપાસ વગેરે એઠું–જુઠું અને ચેકનું બધું ભેગું હોય, તેમ સંસકતમાં અહિંસાવ્રતાદિ મૂલગુણે અને પિંડવિશુદ્ધિ આદિ ઉત્તરગુણે સાથે ઘણું દોષ પણ હોય, માટે તે સંસકત. તેમાં “પ્રાણાતિપાત, અસત્ય” આદિ પાંચ આશ્ર (પાપ)માં પ્રવૃત્તિ કરનારે તથા ત્રાદ્ધિ આદિ ત્રણ ગારોમાં આસકત, સ્ત્રી પ્રતિસેવી અને ગૃહસ્થનાં ધન-ધાન્ય–ઠેર તેમજ માણસોની સંભાળ રાખનારે ઈત્યાદિ દેજવાળે તે “સંકિલષ્ટ” સંસકન, અને ઉપર કહ્યું તેમ જેની સાથે ભળે-તેના જેવો થઈ જાય તે “અસંકિલન્ટ” સંસકત જાણ “સંકિલન્ટ-સંસક્ત” ધર્મરહિત અને “અસંકિલષ્ટ-સંસકત” ધર્મપ્રિય હોય, એમ સંસકતનું સ્વરૂપ કહ્યું. હવે “યથાઈદનું સ્વરૂપ કહે છે. ગુરુઆજ્ઞા કે આગમની મર્યાદા વિના સર્વ કાર્યોમાં પિતાના અભિપ્રાય પ્રમાણે-જેમ ફાવે તેમ વર્તન કરે, તે “યથા છંદ” જાણ કહ્યું છે કે “કહ્યુત્તમyવÉ, સવિદ માણવા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy