SearchBrowseAboutContactDonate
Page Preview
Page 524
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - ------ -- -- પ્ર૦ ૩-દિનચર્યા–“ગુરૂવન્દનમાં મુહપત્તિ પડિલેહવાન વિધિ ] ૪૭૧ ત્રણ પ્રમાર્જીન (પડિલેહણ), પછી જમણા હાથની જેમ ડાબા હાથમાં મુહપત્તિને વધૂટક કરીને તેનાથી જમણી હથેળીને (પાછળને) મધ્ય, જમણે અને ડાબે એમ ત્રણ ભાગને પ્રમાર્જવા રૂપ જમણી ભુજાની ત્રણ પ્રમાર્જના, તે પછી વધૂટક બેલી નાખીને, બે પડવાળી મુહપત્તિને બે હાથથી બે છેડે પકડીને મસ્તક (લલાટ)ને મધ્ય, જમણું અને ડાબા ભાગને પ્રમાજવાથી મસ્તકની ત્રણ પ્રમાર્જનાઓ, પછી એ જ ક્રમે મુખ (હઠ પાસે)ના મધ્ય, જમણું અને ડાબા ભાગને પ્રમાર્જતાં મુખની ત્રણ પ્રમાજનાઓ, અને એ જ ક્રમે હૃદયના મધ્ય, જમણ અને ડાબા ભાગને પ્રમાર્જતાં હૃદયની ત્રણ પ્રમાર્જનાઓ થાય છે. એમ પાંચ ત્રિકની પંદર પ્રમાર્જનાઓ કર્યા પછી મુહપત્તિને વધૂટકથી જમણે હાથમાં પકડીને, જમણે ખભે પાછળના વાંસાના ભાગ સહિત પડિલેહવાથી એક જમણા ખભાની; એ જ પ્રમાણે ડાબા હાથમાં મુહપત્તિને પકડીને ડાબે ખભે પાછળના ભાગ સહિત પ્રમાજવાથી બીજી ડાબા ખભાની; પછી તે જ ડાબા હાથમાં પકડેલી મેહપત્તિથી જમણ કક્ષા (બગલની નીચે )ના પાછળના ભાગને પડિલેહવાથી ત્રીજી જમણી કક્ષાની અને જમણા હાથમાં મુહપત્તિ પકડીને ડાબી કક્ષાને ભાગ પડિલેહવાથી ચાથી ડાબી કક્ષાની, એમ બે બે પીઠની મળી ચાર પ્રમાર્જનાઓ ગણાય છે. પછી સાધુએ આઘાથી અને શ્રાવકે ચરવળાથી પહેલાં જમણા પગના (ઢીંચણથી નીચેના) મધ્ય, જમણ અને ડાબા ભાગેને પ્રમાજવાથી ત્રણ જમણુ પગની, અને તે જ રીતિએ ડાબા પગને મધ્ય, જમણે અને ડાબે ભાગ પ્રમાર્જતાં ત્રણ ડાબા પગની પ્રમાજનાઓ થાય છે; એમ કુલ અંગની પચીસ પ્રમાર્જનાઓ કરાય છે. (પ્રવચનસારોદ્ધારની ટીકામાં પગની પ્રમાર્જનાઓ પણ મુહપત્તિથી કરવાની કહી છે, પણ આજકાલ તેમ કરાતું નથી; સર્વત્ર એવા–ચરવળાથી કરવાને વ્યવહાર જોવામાં આવે છે.) પહેલાં જણાવ્યા પ્રમાણે પચીસમાં સ્ત્રીઓને પંદર અને સાધ્વીને મસ્તક ખુલ્લું રાખવાનું વિધાન હોવાથી મસ્તકની ત્રણ ગણતાં અઢાર પ્રમાર્જનાઓ થઈ શકે છે, એમ શ્રીજ્ઞાનવિમલસૂરિકૃત ભાષના ટબામાં જણાવ્યું છે; ભાષ્યની અવચૂરી કે પ્રવચનસારદ્વારમાં એ સ્પષ્ટીકરણ નથી. આમાં પણ ચિંતવવાના પચીસ બેલ આ પ્રમાણે છે– “ દા વગર, મય–સોમ-છા જ નિના भुअजुअलं पेहतो, सीसे अपसत्थलेसतिगं ॥१॥" “ गारवतिगं च वयणे, उरि सल्लतिगं कसायचउ पिढे । पयजुगि छज्जीववहं, तणुपेहाए वि जाणमिणं ॥२॥" ભાવાર્થ–“અનુક્રમે ડાબી હથેળીની પાછળ પ્રમાર્જના વખતે “હાસ્ય, રતિ, અરતિ પારહરૂં!” એ ત્રણ જમણુની પ્રાર્થનામાં ‘ભય, શેક, દુર્ગચ્છા પરિહરૂ!” એ ત્રણ; એમ હાસ્યાદિષકના ત્યાગનું ચિંતવન કરવું. મસ્તકે પ્રમાર્જના કરતાં “કૃષ્ણલેશ્યા, નીલલેસ્યા, કાપતલેશ્યા પરિહરૂં!' એ ત્રણ અપ્રશસ્ત લેશ્યાઓના ત્યાગનું ચિંતવન, અને મુખને પ્રમાર્જતાં “રસગારવ, ઋદ્ધિગારવ, શાતાગારવ પરિહરૂં!” એ ત્રણ બેલનું ચિંતન કરવું. પછી પીઠની (તથા કક્ષાની મળી) ચાર પ્રમાર્જનામાં અનુક્રમે “ક્રોધ, માન, માયા, લોભ પરિહરૂં!' એમ ચિંતવવું અને બે પગેની પ્રમાનામાં “પૃથ્વીકાય, અપૂકાય, તેઉકાયની રક્ષા કરૂં!' તથા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy