________________
પ્ર૦ ૩-હિનચર્યા-ધાર્મિક દ્રવ્યમા વિવેક જિનમંદિરનું ઔચિત્ય]
૪૫. सा बुद्धी पोरिसं तं च, देवकज्जेण जं वए॥१॥" ભાવાર્થ–“તે જ જ્ઞાન છે, તે જ વિજ્ઞાન છે, તે જ કળા-કૌશલ્ય છે, તેજ બુદ્ધિ તથા તે જ પુરૂષાર્થ (બળ) છે, કે જે પરમ તારક શ્રીજિનેશ્વરદેવના કાર્યોમાં વપરાય.” પ્રાચીન શ્રીજિનમંદિરોને ઉદ્ધાર કરવામાં તે ઘણું જ ફળ જણાવ્યું છે. કહ્યું છે કે
" अप्पा उद्धरिओ चिअ, उद्धरिओ तह य तेहि निअवंसो।
अन्ने अ भव्वसत्ता, अणुमोअंता उ जिणभवणं ॥१॥" " खवि नीआगो, उच्चागोरं च बंधिसं तेहिं ।
कुगइपहो निविओ, सुगइपहो अज्जिओ तेण (य तहा) ॥२॥" " इहलोगंमि सुकित्ती, सुपुरिसमग्गो अ देसिओ होइ ।
अन्नेसिं भव्वाणं, जिणभवणं उदरंतेणं ॥३॥" “सिझंति केई तेणेव, भवेण सिद्ध(इंद)त्तणं च पार्विति । इंदसमा केइ पुणो, सुरसुक्खं अणुभवेऊणं ॥४॥"
(શા૦િ , ગા૨૦૨ થી ૨૦%) ભાવાર્થ-“જેઓએ શ્રીજિનમંદિરને ઉદ્ધાર કર્યો. તેમણે વસ્તુતઃ તે પિતાના આત્માને, પિતાના વંશને, અને તેની અનુમોદના કરતા બીજા ભવ્ય આત્માઓને પણ ઉદ્ધાર કર્યો સમજ. તેઓએ શ્રીજિનમંદિરના જિર્ણોદ્ધારથી નિર્ગોત્ર ખપાવીને ઉચ્ચગેત્રને બંધ કર્યો અને દુર્ગતિને માર્ગ પૂરે કરીને સદ્ગતિને માર્ગ પ્રાપ્ત કર્યો. શ્રીજિનમંદિરને જિર્ણોદ્ધાર કરનારની આ લેકમાં નિર્મળ કીતિ વધે છે અને તેઓએ બીજા ભવ્ય આત્માઓને પુરૂષને માર્ગ બતાવ્યા છે. (એટલે કે–પૂર્વકાળે “શ્રીઅષ્ટાપદ વગેરે તીર્થોને ઉદ્ધાર કરાવનારા શ્રીસગર ચક્રવતીના પુત્ર વગેરેએ તીર્થોદ્ધાર-જિર્ણોદ્ધાર કરનારા પ્રાચીન સત્પરૂષનો માર્ગ બીજ ભવ્ય આત્માઓને બતાવ્યું છે. તાત્પર્ય કે–બીજા આત્માઓ તેમને જિર્ણોદ્ધાર કરાવેલે જોઈને પિતે પણ કરે છે.) શ્રીજિનમંદિરને જિર્ણોદ્ધાર કરાવનાર કઈ પુણ્યાત્મા તે જ ભાવમાં સર્વકને તેડી સિદ્ધિગતિમાં જાય છે, કે સ્વર્ગના ઈન્દ્ર બને છે, તે કઈ ઈન્દ્ર સમાન અદ્ધિવાળા (સામાનિક દેવ) થઈને દેવસુખોને ભેગવીને (મનુષ્યપણે ઉત્તમ કુલમાં જન્મ પામીને) સિદ્ધિગતિને પામે છે.”
એ પ્રમાણે ધર્મશાળા (પૌષધશાળા-ઉપાશ્રય), ગુરુ અને જ્ઞાન વગેરેનાં કાર્યોની ચિન્તામાં પણ શકિતને અનુસાર ઉદ્યમ રાખવો, શક્તિ પ્રમાણે તે કાર્યો સંભાળવાં; કારણ કે–દેવ-ગુરૂ-જ્ઞાન વગેરેની ચિન્તા (સંભાળ–સેવા) કરવાને ધર્મ શ્રાવકને જ છે, બીજાને નથી. માટે શ્રાવકોએ જ તે ચિત્તા (સંભાળ) કરવાની હોય છે. આ મૂલ ગાથાના “ઉચિત પ્રવૃત્તિ અંશનું વર્ણન કર્યું. હવે “વિનયપૂર્વક ગુરૂની પાસે પચ્ચક્ખાણ કરવું તે કહે છે.
ઉપર મુજબ શ્રીજિનપૂજા વગેરે કર્યા પછી, જે સાધુ મુનિરાજ દેવદર્શન કે સ્નાત્ર મહાત્સવાદિના દર્શન માટે શ્રીજિનમંદિરે આવેલા હોય અને ધર્મોપદેશ આપવા ત્યાં રોકાયેલા હોય, તે ત્યાં (જિનમંદિર), નહિ તે તેઓ જ્યાં હોય તે ઉપાશ્રય-ધર્મશાળાદિ સ્થાને જઈને, ત્યાં પણ શ્રીજિનમંદિરની જેમ “ત્રણ વાર નિસિહી, પાંચ અભિગમ વગેરે યથાયોગ્ય વિધિપૂર્વક પ્રવેશ
પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org