________________
--
-
--
---
-
૪૬૪
[ ધ૮ સં૦ ભા. ૧-વિ૦ ગા ૬૨ રાયકર્મને બંધ તથા તે જેને બચાવી ન શકાય તેથી હિંસાને રોષ પણ લાગે.)
એમ સર્વ ધર્મકાર્યોમાં આશાતના ટાળવા માટે વિવેકીઓએ વિવેક રાખવો જોઈએ. (વસ્તુતઃ નિષ્પક્ષપાતપણે–મધ્યસ્થપણે વર્તવાથી જ લાભ છે, કારણ કે-રાગ-દ્વેષાદિ કે લેભ-મૂછ–અજ્ઞાનપક્ષપાત આદિથી કરાતી સારી પ્રવૃત્તિ પણ અનુચિત છે, દરેક પ્રવૃત્તિમાં આ રહસ્ય સમજવું) એ પ્રમાણે “આશાતનાના પરિહાર રૂપ મૂલ બાસઠમી ગાથાનું પ્રથમ પાદ વર્ણવ્યું’. હવે “પોતાની શક્તિ પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરવી’–એ બીજા પાદનું વર્ણન કરે છે. આ માણસ પિતાની સંપત્તિ, શક્તિ કે યોગ્યતા પ્રમાણે કાર્યો કરે છે તે કાર્યો તેમાં આદરપાત્ર બને છે અને શક્તિથી વિશેષ કે ઓછા પ્રમાણમાં કરે છે તે તે શોભાસ્પદ તેમજ પિતાને કે પરને લાભકર્તા થતાં નથી, માટે અહીં જણાવે છે કે–ચત્ય સંબંધી કાર્યો પિોતાની શક્તિને અનુસારે કરવાં, જેવાં કે મંદિરને પ્રદેશ સાફ રાખ, અર્થાત્ મંદિરની આજુબાજુને કે ઉપરને ભાગ ભીંતે, છત, શિખરો, કમાને, પરસાળ, બહારના મંડપ વગેરે સાફ કરવાં, તથા મંદિરની ભૂમિ (નીરોનું તળીયું) વગેરે પ્રમાર્જન કરવું (સાફ કરવું); પૂજા માટેની સામગ્રી વસાવવી; શ્રીજિનપ્રતિમાઓ તથા પરિક વગેરેને નિર્મળ બનાવવાં, અર્થાત-ઓપ-ઊટકણું કરાવવા વગેરેથી વિશેષ નિમળ કરવાં; સુંદર ૬૪ અંગરચના, દીવાની રોશની વગેરેથી શોભા કરવી; અક્ષત, નૈવેદ્ય વગેરે રક્ષણ કરવા ગ્ય વસ્તુને સાચવવી, ચંદન, કેસર, ધૂપ, ઘી વગેરે ઉત્તમ જાતિની વસ્તુઓને સંગ્રહ કરે, દેવદ્રવ્યાદિની ઉઘરાણીમાં ઉદ્યમ રાખવે, દેવદ્રવ્ય વ્યવસ્થિત સ્થલે મૂકવું; તેની આવક-જાવક તેમજ ઉપજ- ખર્ચને હિસાબ સ્પષ્ટ રાખવે, અર્થાત નામું ચોક્ખું રાખવું, જ્યારે તેને જ્યાં ઉપયોગ કરે જરૂરી હોય ત્યારે ત્યારે ત્યાં તેને ઉપયેગ વિવેકથી કરે; પૂજારી વગેરે નેકરે (ઉત્તમ સ્વભાવના, સારા પગારથી સંતોષ પામે તેમ) રાખવા વગેરે દરેક કાર્યોની ચિંતા કરવી: અર્થાત શક્તિ પ્રમાણે તે કાર્યો કરવાં એ ગૃહસ્થને (શ્રાવકને) વિશેષ ધર્મ છે. અહીં તાત્પર્ય એ છે કે-ઉપર જણાવ્યાં તે પૈકી ધન પરિવાર,
કરો વગેરે દ્વારા કરી શકાય તેવાં તે તે કાર્યો કરવા-કરાવવા રૂપ શ્રી જિનમંદિરની ચિંતા (સંભાળ) કરવી તે ધનાઢોને સહેલી છે, અને સામાન્ય શ્રાવકોને પિતાની જાતમહેનતથી કે કુટુંબના માણસેથી થઈ શકે તેવાં કાર્યો રૂપ સેવા-સંભાળ કરવી સહેલી છે, ધન કે નેકરે આદિથી કરવા જેવી સંભાળ તેઓને દુષ્કર છે. માટે જેનું જે કાર્યમાં જેટલું સામર્થ્ય હેય, તેણે તે તે કાર્યો પિતાના સામર્થ્યને છૂપાવ્યા સિવાય શકિતને અનુસાર વિશેષ પ્રમાણમાં કરવાં. તેમાં પણ સ્વ૯૫ (થોડા જ ) સમયમાં થઈ શકે તેવાં કાર્યો બીજ નિસિહ કહ્યા પહેલાં જ કરવાં અને વિશેષ વખત લાગે તેવાં કાર્યો પિતાની અનુકુળતા મુજબ યથાસમયે પાછળથી પણ કરવામાં વાંધો નથી. વસ્તુતઃ ગૃહસ્થપણુની આ જ સાચી કમાણી (સાર) છે. કહ્યું છે કે –
તે ના = વિના, તે સામુ જ જોઢા ૬૪. અંગરચના તથા દીપકની રેશનીને અંગે મોહપ્તા માટે અનુચિત વસ્તુઓ વાપરવાને વ્યવહાર હાનિકર છે. ભગવંતની આજ્ઞાને ભંગ કરીને કરાતા કેઈ પણ કાર્યમાં લાભને બદલે હાનિ થાય છે. વસ્તુતત્ત્વ સમજવા છતાં, જિનાજ્ઞાની વિરુદ્ધ કાર્ય ત્યારે જ થાય છે જ્યારે ભક્તિને બદલે મોહનું જોર, વધુ હોય ! મોહના પરિણામ જિન-આજ્ઞાનો છેદ અને ભક્તિના પરિણામ તેનું પાલન કરાવનારા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org