SearchBrowseAboutContactDonate
Page Preview
Page 513
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૬૦. | [ ધ સં. ભા. ૧-વિ૦ ૨-ગાય દુર થાય છે), અથવા તે. નરકનું આયુષ્ય બાંધીને અવશ્ય નરકમાં ઉપજે છે.” તેમાં ચૈત્ય(દેવ)દ્રવ્ય તે પ્રસિદ્ધ છે અને સાધારણ દ્રવ્ય તેને કહેવાય છે કે જે મંદિરને, પુસ્તકાદિને (ઉપાશ્રયને) કે આપત્તિવાળા શ્રાવકને ઉદ્ધાર વગેરે કરવા માટે ઋદ્ધિવાળા શ્રાવકે તરફથી એકઠું થયેલું હોય. એ બે પ્રકારનાં દ્રવ્યોને જે નાશ કરે અથવા તેનાથી પિતે વ્યાજ ઉપજાવે કે વ્યાપાર કરીને તેને નફે પોતે ખાય, તે મેહ મૂઢ મતિવાળે જીવ ધર્મ ન જાણે (અર્થાત્ ધર્મવિમુખ થાય) કે નરકનું આયુષ્ય બાંધીને નરકમાં જાય. સાધુને અંગે પણ કહ્યું છે કે " चेईअदव्वविणासे, तदव्वविणासणे दुविहभेए । साहू उविक्खमाणो, अर्णतसंसारिओ भणिओ॥१॥" (संबोधन देवाधि०गा०१०६) આ ગાથાને અર્થ તેની ટીકામાં આ પ્રમાણે છે-“એક ચિત્યદ્રવ્ય એટલે સેનું, રૂપું, નાણું વગેરે અને બીજું તદ્રવ્ય એટલે બે પ્રકારનું જિનમંદિરનું દ્રવ્ય, “એક નવું ખરીદ કરેલું અને બીજું જુનું ઉતરેલું” મંદિરનું લાકડું, પત્થર, ઈટ વગેરે. અથવા બીજી રીતિએ એમ પણ અર્થ થાય છે કે- એક થાંભા, કુંભિએ વગેરે મૂળદ્રવ્ય અને બીજું છત વગેરે ઉપ૨નું એટલે ઉત્તરદ્રવ્ય” એમ બે પ્રકારે, એ બંને પ્રકારના દેવદ્રવ્યનો નાશ થવા છતાં, એમ અર્થ સમજવો. બીજી રીતિએ પણ અર્થ થાય છે કે-એક સ્વપક્ષ એટલે સાધર્મિક (શ્રાવકાદિ) વર્ગ અને પરપક્ષ એટલે વિધર્મિક લેક, એમ બે પક્ષ દ્વારા ઉપર જણાવ્યું તે દરેક પ્રકારનું દેવદ્રવ્ય (અર્થાત્ ધન કે મંદિરની ચીજો) નાશ થતું હોય, ત્યારે શ્રાવક તે શું, પણ સર્વસાવદ્ય ત્યાગ કરનારા સાધુ પણ ઉપેક્ષા કરે, ઉપદેશ વગેરે દ્વારા તેને રોકે નહિ (રક્ષા કરે નહિ), તે તેને અનંતસંસારી કહ્યો છે.” પ્રશ્ન-પાપ વ્યાપારને મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ કરનાર સાધુને દેવદ્રવ્યની રક્ષા કરવાનો અધિકાર વ્યાજબી કેમ ગણાય? ઉત્તર–તમારા કહેવા પ્રમાણે સાધુને રાજા વગેરેની પાસેથી આદેશ (આજ્ઞા) કરીને ઘર, ગામ વગેરે નવું ભેગું કરવાથી દોષ ભલે લાગે ! પણ કઈ યથાભદ્રિક (સરલ પરિણામી ધર્મરૂચિવાળા) વગેરે મનુષ્યએ પહેલાં આપેલું હોય કે બીજી રીતિએ એકઠું થયેલું હોય તેવું દેવદ્રવ્ય નાશ પામતું હોય ત્યારે રક્ષા કરનારા સાધુને તેનાં પચ્ચક્ખાણમાં કઈ હરકત-હાનિ થતી નથી; ઊલટું જિનાજ્ઞાના પાલનથી ધમનું પોષણ થાય છે. આને અંગે કહ્યું છે કે “ રોપ-વેફગા, સિત્તળેિ જ મળવા लग्गंतस्स उ जईणो, तिगरणसोहि कहं नु भवे ? ॥१॥" મwા વિમાસા, જો દારુ સર્ષ વિશે ! ___ तस्स न होइ विसोही, अह कोई हरिज्ज एआइं ॥२॥" " तत्थ करंतु उवेह, सा. जा भणिआ उ तिगरणविसोही। सा य न होइ अभत्ती, तस्स य तम्हा निवारिज्जा ॥३॥" " सव्वत्थामेण तहिं, संघेण य होइ लग्गिअव्वं तु । सचरित्तचरित्तीण य, सव्वेहिं होइ कजं तु ॥४॥” (पञ्चकल्पभाष्य.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy