SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા–“સિદ્ધાણં બુદ્ધાણં' સૂત્રના અર્થ ] ઉત્કૃષ્ટ બત્રીસ સુધી, સાત સમય સુધીમાં એકથી અડતાલીસ સુધી, છ સમય સુધીમાં એકથી સાઈઠ સુધી, પાંચ સમય સુધીમાં એકથી બહેતર સુધી, ચાર સમય સુધીમાં એકથી ચોરાશી સુધી, ત્રણ સમય સુધીમાં એકથી છ— સુધી, બે સમય સુધીમાં એકથી એકસે બે સુધી અને એક સમયમાં એકથી માંડી એકસાથે ઉત્કૃષ્ટ એકસો આઠ સિદ્ધ થાય, પછી નિયમાં અંતર ૫ડે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-“આ સિદ્ધના પંદર ભેદમાં પહેલા તિર્થસિદ્ધ અને બીજા અતીર્થસિદ્ધ એ બેમાં જ સર્વ સિદ્ધો આવી જાય છે, કારણ કે–તીર્થંકરસિદ્ધ વગેરે બધા તીર્થસિદ્ધ કે અતિર્થસિદ્ધ હોય જ તે બાકીના ભેદનું શું પ્રયોજન છે?” ઉત્તર-તમારૂં કથન સત્ય છે. બે ભેદમાં સર્વ સિદ્ધો આવી જાય છે, છતાં બે જ ભેદથી બાકીના ભેદનું જ્ઞાન થઈ શકે નહિ, માટે વિશેષ જ્ઞાન કરાવવાના હેતુથી બીજા ઉત્તરભેદે જણાવ્યા છે.” આ ગાથાને સળંગ અર્થ એમ થયે છે કે “સિદ્ધ થયેલા, બુદ્ધ થયેલા, સંસારના પારને પામેલા, પરંપરાએ સિદ્ધ થયેલા, લેજના અગ્રભાગે રહેલા–એવા સર્વ સિદ્ધોને સદા નમસ્કાર થાઓ!” સિદ્ધોની સ્તુતિ રૂપ ચિત્યવંદનાને આ આઠમે અધિકાર કહ્યો. એમ સામાન્યથી સર્વ સિદ્ધોની સ્તુતિ કરીને શ્રીવર્ધમાન પ્રભુ, કે જેઓ વર્તમાન શાસનના નાયક હોવાથી વિશેષ ઉપકારી છે, તેઓની સ્તુતિ કરે છે કે " जो देवाण वि देवो. जं देवा पंजली नमसंति । સં વવનદિ, સિરસા યંત્રે નવરારા” અર્થ— –જે મહાવીર “રેવાનામ=ભવનપતિ વગેરે સર્વ દેવેને પણ પૂજ્ય હોવાથી દેવના પણ લેવડ–દેવ છે, અને એથી જ “ જેવા કાઢવો નત્તિ =જેઓને દે (પણ) વિનયપૂર્વક બે હાથની અંજલિ કરીને નમસ્કાર કરે છે,” “રં દેવઃ હિત તે દેવના પણ દેવ શક્રેન્દ્ર વગેરેથી પૂજાએલા “નદા' =ભગવાન શ્રી મહાવીરને ‘વિરસા વ=મસ્તક નમાવીને વન્દન કરું છું. અહીં “મહાવીર” શબ્દનો અર્થ કરે છે કે-જે “વિશેષતયા (સર્વથા) કર્મોનું ઈણ” (નાશ) કરે તે (વિ = ) વીર, અથવા શિવ (મેક્ષ)માં વિશેષતયા-પાછા નહિ ફરવા રૂપે જાય તે (વિરૃર) વીર, એવા વીરેમાં પણ મહાન હવાથી “મહાવીર' એવું દેવોએ આપેલું નામ છે જેઓનું તેમને “મસ્તકથી વાંદું છું.” એમાં એ આશય છે કે-ઉત્તમ અંગ (મસ્તક) દ્વારા વન્દન કરનાર પિતાને વંદન કરવાને આદર” જણાવે છે. ગાથાને સળંગ અર્થ એ થયો કે “જે દેવના પણ દેવ છે, તેથી જેઓને સર્વ દે બે હાથથી અંજલિ જેડીને નમસ્કાર કરે છે, તે ઈન્દ્રો વગેરેથી પૂજાએલા ભગવાન શ્રીમહાવીરને હું મસ્તકવડે વાંદું છું.” એમ એક સ્તુતિ કરીને પુનઃ “તેઓની સ્તુતિનો મહિમા જણાવવારુપ અન્યને ઉપકાર કરવા માટે અને પિતાના ભાવની વૃદ્ધિ માટે શ્રી મહાવીરની સ્તુતિનું ફળ જણાવનારી બીજી સ્તુતિ કરે છે કે " ए(इ)को वि नमुक्कारो, जिणवरवसहस्स वद्धमाणस्स ।। ___ संसारसागराओ, तारेइ नरं व नारिं वा ॥३॥" અથ-“gs નમ :=બહુ નમસ્કારની વાત તો દૂર રહી, માત્ર એક જ વાર પણ દ્રવ્યથી “મસ્તકાદિ નમાવવા રૂપ શરીર સંકોચ” અને ભાવથી ‘મનની એકાગ્રતા (નમ્રતા) રૂપ (કષાય) સંકોચ–એમ દ્રવ્ય અને ભાવસંકોચ રૂપ એક નમસ્કાર પણ “નવરફ્યુમ=જિન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy