________________
સૂરીશ્વરજી મ નું જીવન ચરિત્ર] રાગી કે ત્યાગી સહુની ઉપર ઓછા-વધુ પ્રમાણમાં પિતાનો પ્રભાવ પાથર્યો, થવા પેડ્ય થઈ ગયું, આખરે “દુઃખનું ઓસડ દહાડા ધીમે ધીમે એ વિસરતું ગયું, પણ ઉપકાર અવિસ્મૃત રહ્યો. વિજળીના વેગે સમાચાર ફેલાયા, અનેક સ્થળે ખબર પહોંચી ગઈ, સ્મશાન યાત્રા બીજે દિવસે કાઢવાનું નિશ્ચિત થયું અને ભક્તિવંત આત્માઓએ જીવંત દેહની જેમ મૃત દેહને પણ ભક્તિ-પૂજા કરી સુંદર પાલખી બનાવી તેમાં પધરાવ્યા.
સ્મશાન યાત્રા:–આસો સુદ ૨ ની સવારે શહેર અને બહારથી માનવ સમૂહ આવવા લાગ્યો અને લગભગ દશ હજાર જેટલી માનવ મેદની વચ્ચે સ્મશાન યાત્રા નીકલી. તે પુણ્યાત્માના પુણ્ય પક્ષ-પ્રતિપક્ષના ભેદની જાળને તોડી નાખી, સહને એક સરખી રીતે આકર્ષ્યા, સુરત વિગેરે બહારગામથી પણ ભાવુકે આવી પહોંચ્યા અને પળે પળેથી, પરાં પરાંઓમાંથી રાજનગરનો શ્રાવક વર્ગ પણ આવ્યા. શહેરના મુખ્ય ગણાતા શ્રીમંત શ્રાવક-શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ પન્નાલાલ ઉમાભાઈ શેઠ ચીમનલાલ લાલભાઈ શેઠ ભેગીલાલ છોટાલાલ સુતરીયા, શેઠ બકુભાઈ મણીલાલ, શા. કેશવલાલ લલુભાઈ શેઠ મયાભાઈ સાંકળચંદ, શા. કીકાભાઈ ભગુભાઈ, શા. ગીરધરલાલ છોટાલાલ, શા. મેહનલાલ છોટાલાલ, શા. ભેગીલાલ મગનલાલ સુતરીયા, શા. સારાભાઈ હઠીસીંગ, શા. ચંદ્રકાન્ત ટાલાલ ગાંધી, શેઠ શાન્તિકુમાર જગાભાઈ, શેઠ જગાભાઈ ભેગીલાલ, શા. ચંદુલાલ તારાચંદ ઝવેરી, શા. ચીમનલાલ મંગળદાસ, શા. સેમચંદ મંગળદાસ, શા. કેશવલાલ મેહનલાલ સંઘવી, શા. મણલાલ લલુભાઈ તેલી, શા. રતિલાલ નાથાલાલ, શા. ચીમનલાલ કેશવલાલ કડી, શા. જીવણલાલ છોટાલાલ ઝવેરી, શા. જેસ્સીંગભાઈ ઊગરચંદ, શા. અમૃતલાલ જેસીંગભાઈ દલાલ, શા. છગનલાલ લક્ષ્મીચંદ, શા. છોટાલાલ જમનાદાસ, શા. રમણલાલ વજેચંદ, શા. છોટાલાલ ત્રીકમલાલ વકીલ, શા. રતનલાલ જીવાભાઈ, શા. ચીમનલાલ પિપટલાલ, શા.મેહનલાલ વાડીલાલ, સાણંદવાળા શેઠ ચુનીલાલ પદમચંદ વિગેરે, શા. ચંદુલાલ ચુનીલાલ, નરેશચંદ્ર મનસુખરામ, શા. ડાહ્યાભાઈ પ્રેમચંદ, શા. ચીમનલાલ વાડીલાલ, શા. કલ્યાણભાઈ મણીલાલ રાવ, શા. અમૃતલાલ દલસુખભાઈ હાજી, શા. જેસીંગભાઈ કાલીદાસ જરીવાળા, શા. વાડીલાલ દેવચંદ, શા. કાન્તિલાલ ભેગીલાલ નાણાવટી, ઈત્યાદિ દરેક ઉપાશ્રયના અગ્રેસર વિગેરે તથા બહારગામથી પણ અનેક શ્રાવકે આવ્યા અને બરાબર આઠ વાગતાં “જય જય નંદા જય જય ભદા’ની ઘેષણ પૂર્વક સ્મશાન યાત્રા નીકળી. શહેરના રાજમાર્ગોમાં શેરીએ અને અટારીયે ચઢી જેન જેનેતર માનવ સમુહ હજારોની સંખ્યામાં એ પુણ્ય દેહનાં દર્શન કરી કૃતાર્થ થતો હતે, “પુણ્યવાન આત્માને આધાર દેહ પણ એટલો જ પૂજ્ય બને છે. એમ તે દશ્ય જેનારને સાક્ષાત્ અનુભવ થતું હતું. આગળ શેઠ કસ્તુરભાઈ લાલભાઈ દેઘ લઈને ચાલતા હતા અને પાછળ હજારોની સંખ્યામાં પાલખી લઈ ભાવુક વેગથી ચાલી રહ્યા હતા. રસ્તે જતાં દેઘ તથા પાલખી ઉપાડવાને લાભ લેવા માટે ભાવુક શ્રાવકે બદલાતા જતા હતા, ખરેખર! એ જેનારા પણ ભાગ્યવંત આત્માએ પિતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org