________________
[સ્વ. પૂ આ શ્રીવિજય મેઘઅનેક સ્થળે ઉપરાંત પ્રતિકુળ પવન નાવડીને અથડાવીને ભાગી નાખે છે, તેમ આખા જીવન સુધી નિરતિચાર સંયમને પાળનાર આત્માને પણ મરણ કાળે થતી અસહ્ય યાતનાઓ ચિત્તક્ષોભ કરી સંયમના અધ્યવસાયનો નાશ કરી દે છે, આત–રૌદ્ર ધ્યાનને વશ કરી આત્મભાન ભૂલાવી દે છે, એ અણીના અણમેલ પ્રસંગે હાલામાં વહાલા સંબંધીઓ પણ જે કરી શકતા નથી તે સહાય નિર્યામકે કરી શકે છે. અને એથી જ જૈન સમાજમાં અંતકાળે સગાસંબંધીઓ વિગેરે રાગી વર્ગને દૂર કરી આરાધના કરાવનારાઓ મરણ સન્મુખ થએલા આત્માને સમાધિ પેદા કરાવવા પ્રયત્ન કરે છે. આવા સહાયક ભરણકાળે મળી આવવા એ પરમ ભાગ્યની અને ભાવિ કલ્યાણની નિશાની છે.
- પૂજ્યપાદ સ્વગત આચાર્ય ભગવંતના નિર્યામકે ઉત્તમ હતા, મુખ્યમાં પરમ વાત્સલ્યવંત પિતાના જ ગુરૂદેવ વારંવાર ધ્યાનસ્થ રહેવાની પ્રેરણા આપતા હતા, તે ઉપરાંત અત્યંત લઘુતાગુણનું ભાજન પ્રશમનિધિ પૂ. આ૦ મ૦ શ્રીવિજય કનકસૂરિજી મહારાજ, ગીતાર્થ સેવાભાવી પૂ. આ. ભ. શ્રી વિજય મેમસૂરિજી મહારાજ, બાજુમાં છેક નજીકમાં તેઓશ્રીના વિનીત મુખ્ય શિષ્ય પૂ. આ. ભ. શ્રીવિજયમનહરસૂરિજી મહારાજ, તેમજ પૂ. આ૦ મ૦ શ્રીવિજયજબૂસૂરિજી મહારાજ, આમ પાંચ-પાંચ આચાર્ય ભગવંતના સાનિધ્યમાં તેઓશ્રી સુંદર આરાધના કરી રહ્યા હતા, બીજી બાજુ વિદ્વાન શાન્તમૂર્તિ પૂ. પંન્યાસજી શ્રીકલ્યાણવિજયજી મહારાજ પ્રસંગને અનુરૂપ પ્રેરણા આપતા હતા અને એ સિવાય પણ લગભગ ૫૦ જેટલો સુવિહિત સાધુવર્ગ તેઓશ્રીની સમાધિને ઈચ્છતે હાજર હતો. અંતકાળે આવા ઉત્તમ નિર્યામકેનો સંગ પ્રાપ્ત થ એ જીવનની સુંદરતાને માપવાનું મીટર છે. જેણે જીવનભર પૂજ્યભાવ અને વાત્સલ્યથી મોટા-ન્હાનાનાં હૃદયને જીત્યાં હોય છે, એવા પુણ્યાત્માને એ જીની હાજરીને લાભ મળે છે. અને અંતકાળે કેળવાયેલા સભાવને પરિણામે આગામી જીવનમાં પણ પ્રાયઃ તેઓ એક સ્થાને ઉત્પન્ન થાય છે, એકબીજાની આરાધનામાં સહાયક થાય છે અને સંસારમાં રહે ત્યાં સુધી પ્રાયઃ ભવોભવ ધર્મના સાથીદાર (સંબંધી) બની છેવટે મેક્ષમાં એ સાથને શાશ્વત બનાવે છે.
અંતિમ ક્ષણે એ રીતે નિર્ધામકોની વચ્ચે સમાધિને સાધતા તેઓશ્રીને ૨-૧૦ મિનિટે પૂજ્ય ગુરૂદેવે પૂછયું શાન્તિમાં છો ને? તેઓશ્રીએ પ્રસન્ન ચિત્તે સંજ્ઞાથી હકારાત્મક જવાબ વાળે.
મિનિટ વધવા લાગી અને શ્વાસોચ્છવાસ ઘટવા લાગ્યા, ગુરૂના ચરણમાં મસ્તક મૂકી પડખે સુતેલા એ પુણ્ય પુરુષને આત્મા બરાબર ૨-૫૫ મિનિટે જરા પણ પીડાના અનુભવ વિના પરલોકે પહોંચી ગયે. નહિ નેત્ર કે મુખના આકારમાં વિકાર, કે નહિ અવયનું લાંબા ટુંકા થવું, શરીરની આકૃતિ ચેતના ગયા પછી પણ તે જ સ્વરૂપમાં ટકી રહી. ઉત્તમ આત્માઓ જીવી જાણે છે તેમ સુંદર સમાધિથી જીવનને સંકેલી પણ શકે છે.
શ્વાસ અટકતાં જ ચતુર્વિધ સંઘનાં હૈયાને શેકે ઘેરી લીધાં, નેત્રો નીતરતાં થયાં, રાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org