SearchBrowseAboutContactDonate
Page Preview
Page 492
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૯ પ્રઃ ૩-દિનચર્યા- પુફખરવરદી સૂવને અથ]. પ્રાપ્ત થાય એવો નિયમ નથી, એથી તે શ્રીમરૂદેવી માતા વગેરે શ્રતધર્મના અભ્યાસ વિના જ સર્વજ્ઞ થયાં છે, તેની સાથે વિરોધ આવે.” તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે-“શબ્દરૂપ શ્રતધર્મના અભ્યાસ દ્વારા જ સર્વજ્ઞ થાય” એ નિશ્ચય નથી, પણ “અર્થજ્ઞાનરૂપ ધૃતધર્મપૂર્વક જ સર્વશપણું પ્રગટે છે એ તે નિશ્ચય છે જ. આથી ઉપર્યુક્ત નિયમને બાધ થતું નથી, અને તેથી અરિહંતે શ્રુતજ્ઞાનના અભ્યાસપૂર્વક સર્વજ્ઞ થવા છતાં તીર્થકરના ભવમાં સર્વજ્ઞ થયા પછી શ્રતધર્મની આદિને કરે છે, એ બરાબર જ છે. પહેલી ગાથાને સળંગ અર્થ એ થયો કે-“પુષ્કરદ્વીપ, ધાતકીખંડ અને જમ્બુદ્વીપનાં મળીને પાંચ ભરત, પાંચ વરત, અને પાંચ મહાવિદેહ નામનાં પંદર કર્મભૂમિ ક્ષેત્રોમાં શ્રતધર્મની આદિના કરનારા ભગવંતેને હું નમસ્કાર કરું છું” શ્રતધમની આદિના કરનારાઓની સ્તુતિરૂપ ચૈત્યવન્દનાને આ છો અધિકાર કહ્યો. હવે કૃતધર્મની સ્તુતિ કરે છે કે " तमतिमिरपडलविद्धं-सणस्स सुरगणनरिंदमहिअस्स । सीमाधरस्स वंदे, पप्फोडियमोहजालस्स ॥२॥" અર્થ--તિમિ- વિશ્વેશ્વર' એમાં “તમ’=અજ્ઞાન, અને એ જ “તિમિર=અંધારૂં, અર્થાત અજ્ઞાન રૂપી અંધારૂં –એ એક અર્થ, બીજો અર્થ એ પણ છે કે–બદ્ધ, સ્પષ્ટ અને નિધત્તર જે જ્ઞાનાવરણયકર્મ તે “તમારું અને તે નિકાચિત “તિમિર,” સમજવું અથવા “તમ” અને તિમિર” રૂપ જ્ઞાનાવરણયકમનાં જે “દરું=સમૂહ, તે તમ-તિમિરના સમૂહને “વિશ્વેત ની=નાશ કરનારા એવા શ્રુતજ્ઞાનને હું વાંદું છું, એમ વાક્યને સંબંધ જાણે. ( અહીં “ઘ” ધાતુના વ્યાકરણના ઘાવિત્યા લિ. દૈત્ર ૬-૨-૯૨ સૂત્રથી “વિ ઉપસરપૂર્વક થએલા ‘વિવંત શબ્દને ષષ્ઠી વિભકિતને પ્રત્યય આવવાથી વિદવાના' રૂપ થયું છે.) વસ્તુતઃ જ્ઞાનનું કાર્ય અજ્ઞાન રૂપ અંધારાને અને “બદ્ધ' વગેરે કર્મોને નાશ કરવાનું છે જ, માટે શ્રુતજ્ઞાનનું આ વિશેષણ યથાર્થ છે. “પુછાળાનમતિ' આમાં “સુરગણું=ભવનપત્યાદિ ચારેય નિકાયના દેવોને સમૂહ અને “નરેન્દ્ર =ચક્રવતી, રાજાઓ વગેરે; એ દેના સમૂહ અને ચક્રવતી આદિ મનુષ્યથી “નતા =પૂજાએલા શ્રુતજ્ઞાનને, (હું વાંદું છું,) દેવો અને મનુષ્પો આગમને પૂજે છે-તેને મહિમા કરે છે, માટે આ વિશેષણ પણ યથાર્થ છે. “સમાધાર્ચ=મર્યા - ૫૨. બદ્ધ વિગેરેનું સ્વરૂ૫-જે કમ આત્માની સાથે, કોરા કપડા ઉપર લાગેલી રજની જેમ કે ખાલી દોરા માત્રથી બાંધેલી સોની જેમ માત્ર વળગેલું હોય તે બદ્ધ કહેવાય, તેને નાશ જ૯દી થઈ શકે છે. શાસ્ત્રમાં કોલ ઈરિયાપથિક બંધ આને કહેવાય છે. તે જ સોયો પાણી વગેરે લાગવાથી કાટથી ચૂંટી જાય તેમ કે ભીના કપડે લાગેલી રજની માફક લાગેલું કર્મ તે “પૃષ્ટ કહેવાય, પરસ્પર ચેટી ગયેલી સોયો, કે જેને ઘન વગેરેથી કૂટીને છૂટી કરવી પડે તેવો તીવ્ર કે તેલવાળા કપડા ઉપર લાગેલી રજ જે તીવ્ર કર્મબંધ તે નિધ-ત' કહેવાય તથા જે સોયોને અગ્નિથી તપાવીને તથા ઘનથી કૂટીને પણ એકાકાર થઈ જવાથી જુદી કરી શકાય નહિ તેના જેવો કેઅતિ ચીકટ વસ્તુથી તાંતણે તાંતણે લાગેલી રજ જેવો જે બંધ તે “નિકાચિત’ બંધ કહેવાય છે. તેમાં નિકાચિતને અન્ય પ્રકૃતિમાં સંક્રમ કે પિતામાં ઉદ્વર્તન કે અપવર્તન પણ થઈ શકતાં નથી. નિધનતને પર–પ્રકૃતિમાં સંક્રમ થતો નથી, પણ પિતાની ઉદ્દતના–અપવર્તના (વધારે-ઘટાડો) થઈ શકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy