SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ [ ધ સં. ભા. ૧-વિ. ૨-ગા. ૬૧ અથ-પૌત્ર િ='ભરત' નામનું અિત્રત’ નામનું અને વિદેહ શબ્દથી (ભીમથી ભીમસેનની જેમ) “મહાવિદેહ” નામનું ક્ષેત્ર –એ ત્રણને (સમાહારવંદ્વ સમાસથી) “ભરતરત્રતવિદેહ’ શબ્દ થયે છે. સમાન નામવાળાં તે ક્ષેત્રે અનેક હેવાથી પાંચ ભરતમાં, પાંચ અરવતમાં અને પાંચ મહા વિદેહમાં, “ધર્મા’=શ્રતધર્મની “ગાવવા–સુત્રરૂપે પ્રથમ દાન કરનારા (પ્રરૂપણ કરનારા તીર્થકરે)ને નમામિ =નમસ્કાર કરૂં છું-સ્તુતિ કરું છું, એમ સંબંધ જાણુ. તે ભરત વગેરે ક્ષેત્રો કયાં છે? તે કહે છે કે-ગુથારપાર્લે '= પુષ્કરે એટલે પદ્મકમળો દ્વારા તેની પ્રધાનતા હોવાથી જેનું નામ “પુષ્કરવર” છે તે (જમ્બુદ્વીપથી ગણતાં) ત્રીજા નંબરના દ્વીપને “માનુષેત્તર” નામના પર્વતની અંદરને અર્ધો ભાગ, તે “પુષ્કરવરદ્વિીપદ્ધ,” તેમાં બે ભરત, બે એરવ્રત, અને બે મહાવિદેહ ક્ષેત્રે છે, એમ પુષ્કરવરદીપાનાં છ ક્ષેત્રોમાં તથા ધાતકી નામનાં વૃક્ષોના ખંડે એટલે વનને ઉદ્દેશીને જેનું “ધાતકી ખંડ” નામ છે, તે (જમ્બુદ્વીપથી બીજા નંબરના) દ્વીપમાં પણ બે ભરત, બે અરવ્રત, અને બે મહાવિદેહ ક્ષેત્રે છે, એમ ધાતકીખંડનાં પણ કુલ છ ક્ષેત્રમાં અને જમ્મુ નામના વૃક્ષથી ઓળખાતે, અથવા જમ્બુનાં વૃક્ષે સવિશેષ હોવાથી “જમ્બુદ્વીપ' એવા નામવાળો (સર્વ દ્વીપના મધ્યમાં ગોળ થાળીની આકૃતિવાળો) દ્વીપ છે, તેમાં એક ભરત, એક અરવત અને એક મહાવિદેહક્ષેત્ર છે, તે ત્રણ ક્ષેત્રોમાં એ પ્રમાણે ત્રણેય દ્વીપનાં મળી પાંચ ભરત, પાંચ રદ્રત અને પાંચ મહાવિદેહ-એ પંદર ક્ષેત્રને કર્મભૂમિ કહેવાય છે. તત્ત્વાર્થસૂત્રમાં “મર્તવ્રતવિદા કર્મભૂમડચક રેવન્યુત્તપુરમ્યા (મધ્ય–૨૨) અર્થાત-૫. ભરત, ૫. એત્રિત અને દેવકુઓ અને ઉત્તરકુરૂએ સિવાયનાં ૫. મહાવિદેહ” એ ૧૫ કર્મભૂમિઓ છે-એમ કહ્યું છે. અહીં પહેલાં પુષ્કરવર, પછી ધાતકી અને પછી જ—–એમ ઉત્ક્રમથી કહ્યું તે ક્ષેત્રોની વિશાળતાથી પ્રાધાન્ય બતાવવા માટે સમજવું. અર્થાત્ પુષ્કરવરદ્વીપનાં ક્ષેત્રે સર્વથી વિશાળ, તેથી ધાતકીખંડનાં ન્હાનાં અને જમ્બુદ્વીપનાં ભરતાદિ ક્ષેત્રો તેથી પણ ન્હાનાં છે, માટે ઉત્કમથી જણાવ્યાં છે, તથા ત્યાં ધર્મની આદિના કરનાર ” એમ કહીને જેએ વચનને “અપોરૂષય-અનાદિ” માને છે તેઓનું ખંડન કર્યું છે. કહ્યું છે કે શુળમવંતવિહા, વયur armોરથ રા' અર્થાત-દે વચનરૂપ છે છતાં તેને કહેનાર કોઈ પુરૂષ છે જ નહિ”—એમ કહેવું તે અત્યંત વિરૂદ્ધ છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે-ભલે વેદવચને અપૌરુષેય ન હોય, તેને કઈ કહેનાર હોય, તે પણુ ભગવંતે તેની આદિના કર્તા છે એમ કેમ કહેવાય? કારણ કે-agદિવગ અr' અર્થાત– શ્રત (શાસ્ત્ર)વચન દ્વારા (શાસ્ત્રોના બળે) અરિહંતે થાય છે” એમ કહેલું હોવાથી શ્રતજ્ઞાન અરિહતેની પણ પહેલાનું-અનાદિ છે. આ પ્રશ્નનો ઉત્તર આપે છે કે એમ નથી, પરન્ત શ્રત અને તીર્થકરોને સંબંધ બીજ અને અંકુરાના જેવું છે. જેમ બીજથી અંકુર અને અંકુરાથી બીજ થાય છે, તેમ તીર્થકરોને પણ છેલલા ભવની પૂર્વના ભામાં કરેલા કૃતધર્મના અભ્યાસથી તીર્થકરપણું પ્રાપ્ત થાય છે અને છેલા ભવમાં તેઓ સર્વશ થઈને પ્રરૂપણરૂપે શ્રતધર્મની આદિ કરે છે. એ રીતિએ તેઓ શ્રુતધર્મની આદિ કરનારા છે, એ બરાબર છે. શિષ્ય ફરી પ્રશ્ન કરે છે કે–ભલે એમ હોય, છતાં “શ્રતધર્મના અભ્યાપૂર્વક જ સર્વજ્ઞપણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy