________________
હ૦.
[ ધ સં૦ ભા. ૧-વિ૦ ૨-ગા૦ ૬૧ કારક પણ છે, અર્થાત લોકને પ્રકાશ કરવા દ્વારા ઉપકારક છે માટે તેઓ સ્તુતિને લાયક છે, કેઈ અનુપકારીની સ્તુતિ કરતું નથી. માટે તેઓનું ઉપકારકપણું જણાવવા કહે છે કે “ધમ્મતિસ્થા “ધર્મપ્રધાન તીર્થના કરનારાને ધર્મ શબ્દની વ્યાખ્યા પહેલાં જણાવી અને જેનાથી તરી શકાય તે “તીર્થ, ધર્મ પ્રધાન છે જેમાં એવું તીર્થ તે ધર્મતીર્થ. અહીં “ધર્મતીર્થ” કહેવાનું કારણ એ છે કે–નદીઓ વગેરે દ્રવ્યતીર્થોને પણ જેઓ તીર્થો માની તેમાં સ્નાનાદિ કરવાથી આત્મા નિર્મળ થાય” એમ કહે છે તેઓને, તેમજ શાક્યો વગેરેએ સ્થાપેલાં અધર્મપ્રધાન તીર્થોના પરિહાર થાય. ધર્મ એ જ સંસારસમુદ્રને તરવાનું પવિત્ર તીર્થ અને એવા ધર્મતીર્થને કરનારાઓ ધમતીયકર કહેવાય, કે જેઓએ દે, મનુષ્ય અને દાનની સભામાં પિતા પોતાની ભાષામાં સહુ કઈ સમજી શકે એવી (પાંત્રીશ ગુણવાળી) વાણી દ્વારા ધર્મ સમજાવી ધર્મતીર્થની સ્થાપના કરી છે. આ વિશેષણ દ્વારા તેઓને “પૂજાતિશય અને વચનાતિશય જણાવ્યું, હવે “અપાયાપરમાતિહાય” કહે છે કે નિ એટલે “જિનેને–રાગ દ્વેષ વગેરે શત્રુઓને જીતનારાઓને.” એમ પહેલી ગાથાને ભાવાર્થ એ થયો કે “લેકને ઉદ્યોત કરનારા, ધર્મતીર્થના કરનારા અને રાગ દ્વેષ વગેરે શત્રુઓને જીતનારા કેવળજ્ઞાની એવા ચોવીસ અરિહને હું સ્તવીશ.” હવે તે સ્તુતિ કરે છે કે
“ સમાવિયં ૨ વરે, મામમિim) ૧ સુમર્દ જ !
પણમાં સુપIણં, જ ચંવારં વંરે રા” " सुविहिं च पुप्फदंत, सीअलसिज्जंसवासुपुज्जं च ।
विमलमणंतं च जिणं, धम्म संतिं च वंदामि ॥३॥" " कुंथु अरं च मल्लिं, वंदे मुणिसुब्वयं नमिजिणं च ।
वंदामि रिट्टनेमि, पासं तह वद्धमाणं च ॥४॥" ભાવાર્થ–“જિન એવા શ્રીજીષભને અને અજિતને વાંદું છું તથા સંભવને, અભિન. કનને, સુમતિને, પદ્મપ્રભુને, સુપાર્શ્વને અને ચંદ્રપ્રભને વાંદું છું (૨) “પુષ્પદંત બીજું નામ છે જેમનું એવા સુવિધિને, અને શીતલને, શ્રેયાંસને વાસુપૂજયને તથા વિમલને, અનંતને અને ધર્મ. જિનને તથા શક્તિને વાંદું છું (૩). કુન્થને, અને અને મહિલાને તથા મુનિસુવ્રતને અને નમિ જિનને વાંદું છું, વળી અરિષ્ઠનેમિને, પાર્શ્વને તથા વદ્ધમાનને વાંદું છું (૪).”
એમ ગાથાઓને અર્થ સુગમ છે, માત્ર દરેકનાં નામનો અર્થ વિભાગથી જણાવે છે.
૨-૩મ=આ પદને અર્થ ૪૧ સામાન્ય અને વિશેષથી એમ બે પ્રકારે છે, તેમાં સામાન્યથી “પરમ પદને જે “તિ =પ્રાપ્ત કરે તે અષભ” અને “તેનું પ્રાકૃત નિયમ પ્રમાણે (૩લ્લાવો હિ. ફૂ૦ ૮-૨-૨૨૨ સૂત્રથી) તો રૂપ બને છે. બીજી રીતિએ તેઓને “રાષભ”ની જેમ “શૂન્ય' પણ કહે છે તેનો અર્થ એ છે કે “પત્તિ તિ ગુમર' અર્થાત “દુઃખરૂપ અગ્નિથી બળેલા જગતને દેશનારૂપ પાણી વરસાવી શાન્ત કરે તે “વૃષભ” આ વૃષભ શબ્દને ઘૂમે વા વા (જિ. ર૦ ૮-૨-૨૨૨) સૂત્રથી ને બદલે ૩ કરવાથી “” શબ્દ બને છે, એ “રમ” પદને સામાન્ય અર્થ કહ્યો. વિશેષ અર્થ તે ભગવંતની સાથળમાં વૃષભનું લંછન હતું તથા શ્રીમરૂદેવા
૪૧. સામાન્ય એટલે સર્વને ઘટે અને વિશેષ એટલે તે તીર્થકર વ્યકિતમાં જ ધટે તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org