SearchBrowseAboutContactDonate
Page Preview
Page 482
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩-દિનચર્યા– અરિહંત ઈઆણુક લોગસ્સ૦ ના અર્થ] ભાવાર્થ–“અરિહંત વંદણ-સદ્ધાએ--અર્થી--સુહમેહં એવમાઇ--જાવ અને તાવ, એ આઠ સંપદાઓનાં આઠ આદિ પદે છે, તેમાં તેંતાલીસ પદે, બસ ત્રીસ ૩૯ વર્ણો (સ્વરો છે.” સ્થાપનાજિનને વન્દના' નામને ચૈત્યવન્દનાને આ ત્રીજો અધિકાર જાણ. એ રીતિએ અરિહંત ચેઈઆણું વરૂપ “ચૈત્યસ્તવ' નામનું બીજું દંડકસૂત્રે કહ્યું. કાઉસ્સગ આઠ શ્વાસોચ્છ. વાસપ્રમાણુ કરે, તેમાં નવકાર જ ગણુ એ નિયમ નથી. અહીં ચૈત્યવદના કરનાર પિતે એક જ હોય તે અંતે “નમે અરિહંતાણું' કહી કાઉસ્સગ પારી મુખ્યતયા જે ભગવાનની સામે ચૈત્યવન્દના કરતો હોય તે ભગવંતની સ્તુતિ કહે અને ત્યવન્દના કરનારા ઘણું હેય, તે એક જણે કાઉસ્સગ્ગ પારી સ્તુતિ કહે, બાકીનાઓ કાઉસ્સગમુદ્રામાં જ સાંભળે અને પછી “નમો અરિહંતાણુ’ કહી કાઉસ્સગ્ન પારે. પછી આ અવસર્પિણી કાળમાં જ ભરતક્ષેત્રમાં થયેલા ચોવીસ તીર્થંકર-એક જ ક્ષેત્રમાં અને વર્તમાન અવસર્પિણીરૂપ એક જ કાળમાં થયેલા હોવાથી, બીજા કાળના કે બીજા ક્ષેત્રોના તીર્થકર કરતાં આસન્ન (નિકટના-વિશેષ) ઉપકારી હોવાથી તેની નીચેના “લેગસ્સ-ચતુવિંશતિ સ્તવ' દ્વારા સ્તુતિ કરે. “ રોજ ૩mોબરે, ધર્માતિસ્થા વિશે . (f) , રવીe fપ વહી શા” ભાવાર્થ-“ આ ગાથામાં “ તે વિશેષ્ય છે. તેની વ્યાખ્યા ઉપર નભેથુ સુંના અર્થમાં કહી. તેઓનું “જિત =કીર્તન કરીશ–નામ ઉચ્ચારપૂર્વક સ્તુતિ કરીશ. તેઓ રાજ્ય વગેરે અવસ્થાઓમાં દ્રવ્ય-અરિહંત કહેવાય છે માટે અહીં ભાવ અરિહંતની સ્તુતિ કરવા માટે વિશેપણ જણાવે છે કે–વરી' એટલે પ્રગટયું છે કેવળજ્ઞાન જેઓને એવા તેઓનું કીર્તન શરીશ. આ વિશેષણથી તેઓને કેવળજ્ઞાનરૂપ “જ્ઞાનાતિશય” જણાવ્યું, સંખ્યા કહે છે કે-“જાવી એટલે “ચોવીસને અને “વિ' શબ્દથી બીજાઓને પણ સ્તવીશ. તેઓનું વિશેષ વર્ણન કરતાં કહે છે કે- સ્ટોર ૩sોગ એટલે “જ્ઞાનરૂપ પ્રમાણ વડે જેનું અવલોકન થાય તે લેક,” અર્થાત્ ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યમય ૪ લોક, તેને પિતાના કેવળજ્ઞાનરૂપ દીપક વડે ઉદ્યોત-પ્રકાશ કરે, માટે અરિહતે લોકને ઉદાત કરનારા છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “અરિહંતને કેવ ળજ્ઞાની કહેવાથી જ તેઓ લેકના પ્રકાશક છે એ સિદ્ધ થાય છે, તે લેકને ઉદ્યત કરનારા' એમ પુનઃ કહેવાનું શું કારણ?” તેનું સમાધાન જણાવે છે કે તમારે પ્રશ્ન ઠીક છે, છતાં જ્ઞાનાદ્વિતવાદીઓ એમ માને છે કે જગત્ માત્ર જ્ઞાનરૂપ છે, જ્ઞાન સિવાયનું કેઈ સત્ય તત્વ છે જ નહિ, જે દેખાય છે તે સઘળું ભ્રમણારૂપ છે, તેઓને પ્રકાશક અને પ્રકાશ્ય (પ્રકાશ કરવા યોગ્ય પદાર્થ) એ બે જૂદાં છે, જગત પ્રકાશ્ય છે અને જ્ઞાન પ્રકાશક છે, માટે “પ્રકાશ કરનાર અને પ્રકાશ કરવાની વસ્તુ બે જૂદા છે' –એમ જણાવવા માટે “લેકને પ્રકાશ કરનારા” એમ કહ્યું છે. વળી અરિહંતનું લોકપ્રકાશકપણું તેઓની સ્તુતિ કરનારાઓ (સેવક)ને સ્તુતિ માટે ઉપ ૧૯. ભાષ્યની ગાથા ૩૬ માં વર્ષે ૨૨૯ કહ્યા છે અને ગણુતાં પણ અરિહંત ચેઈન ૮૯ તથા અનW ઊસના ૧૪૦ મલી ૨૨૯ થાય છે. ૪૦. ઉપલક્ષણથી અલક પણ સમજ, કારણ કે કેવલી ભગવંત લોકલેકને પ્રકાશ કરનારા હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy