SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ = = . * * * *'' છે. . કે * * . . sr. ४२८ સં ભા૧-વિ -ગા૦ ૬૧ કરે તેમ” ચિત્તને નિર્મળ કરનારી રૂચિ, તેનાથી કાઉસ્સગ્ન કરું છું, નહિ કે બલાત્કારથી તથા ઉતમ શાસ્ત્રોને સમજવામાં કુશળ, પાપશાસ્ત્રોને છોડી દેનારી એવી જ્ઞાનાવરણીયકર્મનાં ક્ષયે પશમથી પ્રગટેલી બુદ્ધિ કે જે આત્માને ગુણવિશેષ છે, જેને “મેધાકહે છે, એ મેધાપૂર્વક, નહિ કે જડતાથી; અથવા મેધા વડે એટલે અસમંજસપણે (જેમ-તેમ) નહિ પણ વિધિ આદિ મર્યાદામાં રહીને, કાઉસગ્ન કરૂં છું; તથા મનની સમાધિરૂપ “ધીરજ” વડે કાઉસ્સગ કરું છું નહિ કે કોઈ પ્રકારના રાગ-દ્વેષથી આકુલપણે તથા “ધારણપૂર્વક એટલે–શ્રીઅરિહંતના ગુણેનું સ્મરણ કરવા દ્વારા કાઉસગ્ન કરું છું, નહિ કે શૂન્ય ચિત્તે; તથા “ અનુપ્રેક્ષા” વડે એટલે શ્રીઅરિહંતના ગુણેને વારંવાર ભાવનાપૂર્વક વિચારતે--નહિ કે જડતાથી કાઉસ્સગ કરું છું. વિદ્ધમાન એટલે વૃદ્ધિ પામતી, આ વિશેષણથી વૃધ્ધી પામતી શ્રદ્ધા, વૃદ્ધિ પામતી વૃતિ, વૃદ્ધિ પામતી ધારણા અને વૃદ્ધિ પામતી અનુપ્રેક્ષા વડે કાઉસ્સગ કરું છું એમ સમજવું. આ શ્રદ્ધાદિ પાંચેય, પૂર્વ પૂર્વથી ઉતર ઉતર પ્રગટ થતાં હોવાથી આ કમે કહ્યાં છે. શ્રદ્ધામાંથી મેધા, મેધામાંથી ધીરજ, ધીરજથી ધારણું અને ધારણુથી અનુપ્રેક્ષા થાય છે, વૃદ્ધિ પણ તેઓની એ જ ક્રમે થાય છે. શ્રદ્ધા વધે તે મેઘા વધે, મેઘા વધારે તે ધીરજ વધારે, ધીરજ વધારે તે ધારણ સારી અને ધારણુ સારી તેમ અનુપ્રેક્ષા સારી. એમ તેઓને પરસ્પર સંબંધ છે. આ શ્રદ્ધા વગેરે સાધન દ્વારા વન્દનાદિને માટે કાઉસ્સગ કરું છું –એમ આખા સૂત્રને વાકથાર્થ જાણુ. “કામિ પર એટલે કાઉસગ્ન કરું છું. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે–“સૂત્રની શરૂઆ તમાં જ “મિ પર'-કાઉસ્સગ્ન કરું છું એમ કહ્યું છે તે ફરી એ કહેવાની શી જરૂર છે ?” તેનું, સમાધાન જણાવે છે કે–તમારું કહેવું સત્ય છે, પણ શબ્દશાસ્ત્રના ન્યાયે જે ભવિ માં-થોડા કાળમાં કરવાનું હોય તેને “ હમણું કરૂં છું –એમ વર્તમાનરૂપે પણ બેલાય છે. ( સિદ્ધહેમવ્યાકરણમાં “સત્તાની જે સદા' (૬-ક ૨)–એ સૂત્રથી કહેવું છે કે વર્તમાનની સમીપમાં હોય તે વર્તમાનરૂપ પણ ગણાય છે. ) એ ન્યાયે શરૂઆતમાં “ કાઉસ્સગ્ન કરું છું' એમ કહ્યું તે હમણું જ કાઉસ્સગ કરીશ” એ અર્થમાં કહ્યું છે, અર્થાત્ થડા સમયમાં જ કાઉસ્સગ્નની તૈયારી જણાવવા માટે છે અને છેલ્લે “કાઉસ્સગ્ન કરું છું” એમ કહ્યું તે પૂર્વે માગેલી કાત્સ ની “આજ્ઞારૂપ ક્રિયાને અને ક્રિયાની સમાપ્તિને એ બને કાળ કથંચિદ એક હેવાથી' વર્તમાનમાં તેને પ્રારંભ કરવાનું જણાવવા માટે કહેલું છે ( અર્થાત પહેલાં પ્રતિજ્ઞારૂપે અને છેલ્લે કાર્યના પ્રારંભરૂપે કહ્યું –એમ સમજવું. શું કાઉસગમાં શરીરના સર્વવ્યાપારને ત્યાગ કરવાનું છે? ના, પૂર્વ રાજસ્થs* સૂત્રમાં કહી ગયા તે ધાસચચ્છવાસ, ખાંસી વગેરે આકસ્મિક કે આવશ્યક ક્રિયાઓ સિવાયના કાયવ્યાપારને ત્યાગ કરૂં છું-એમ જણાવવા માટે “સ0 ' વગેરે સુત્ર બોલીને તે પ્રમાણે કાઉસગ્ગ કરે. આ “અરિહંત ચેઈઆણ” અને “ઉનત્ય સસિમેણું' એ બેની મળી કુલ આઠ સંપદાઓ અને તેનાં આદિપ વગેરે આ પ્રમાણે છે " अरिहं वंदण सद्धा, अन्न सुहुम एव जा ताव । अड संपय तेआला, पय घण्णा दुसयतीसहिआ ॥१॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy