SearchBrowseAboutContactDonate
Page Preview
Page 479
Loading...
Download File
Download File
Page Text
________________ [ ધ સં૦ ભા૦ ૧-વિ૦ ૨–ગા૦ ૬૧ - આ ચિત્યને (પ્રતિમાને) અર્થ જણાવે છે કે “અંતઃકરણ એટલે ચિત્ત” તે ચિત્તને ભાવ કે તેનું કાર્ય તેને ચિત્ય કહેવાય છે(ચિત્ત શબ્દને શ્રી સિદ્ધહેમવ્યાકરણના “વીદવિયા જ વા” ૭-૬–સૂત્ર પ્રમાણે પ્રત્યય લાગવાથી “ચત્ય” શબ્દ બને છે.) અને તેનું બહુ વચનાન્ત રૂપ ચે” થાય છે. શ્રીઅરિહંતની પ્રતિમાઓ ચિત્તમાં સમાધિ (રૂપ ભાવને) ઉત્પન્ન કરનારી હોવાથી (સાધનામાં સાધ્યને ઉપચાર કરીને તેને પણ ચે કહેવામાં આવે છે. એ અરિહંતનાં ચેત્યને વન્દન વગેરે કરવા કાઉસ્સગ કરું છું એમ “ગતિમા પરમ લકર' એ પદનો અર્થ (સંબંધ) કહ્યો. “કાઉસ્સગ્ગીને અર્થ એમ છે કે જ્યાં સુધી જિનમુદ્રાવાળા મારા શરીરથી કાઉસગ્ગ કરું ત્યાં સુધી કાયાથી અમુક (જિનમુદ્રાદિ, આકાર, વચનથી મોન અને મનથી (કાઉસગ્નમાં ચિંતન કરાતા પાઠનું, તેના અર્થનું અને આલંબનનું ધ્યાન એ ત્રણે સિવાય બાકીની મન, વચન અને કાયાની સર્વ ક્રિયાઓને ત્યાગ કરું છું, એમ આ પાઠથી પ્રતિજ્ઞા કરી હવે કાઉસગ્ગનાં નિમિત્તો જણાવે છે. ‘વંછાવત્તથrv=વનક'=મન, વચન અને કાયાની પ્રશંસનીય પ્રવૃત્તિ રૂપ વન્દનને નિમિતે કાઉસ્સગ્ન કરું છું. (“કલ્યનું વિત્તના રૂપ “ગા પ્રયોગથી થયું છે, એમ દરેક પદોમાં સમજવું) “કાઉસ દ્વારા હારે વન્દન થાઓ !” એવી ભાવનાથી તે નિમિતે કાઉસ્સગ્ય કરું છું, માટે આ કાઉસ્સગથી હુને “વન્દનનો લાભ મળે! - તથા “દૂઝવસિપૂનત્તાત્ય' ગંધ-વાસ-પુપ વગેરેથી અર્ચા તે પૂજન, તે નિમિત્તે કાઉસગ્ન કરું છું તેમજ “નવરાત્તિથrvarપ્રત્ય'=શ્રેષ્ઠ વસ્ત્રો, આભરણે વગેરેની ભેટ તે સત્કાર, તે નિમિત્ત કાઉસ્સગ્ન કરું છું. અહીં શિષ્ય શંકા કરે છે કે-“પૂજન અને સત્કાર બન્ને દ્રવ્યપૂજારૂપ હોવાથી મુનિને તે ઉચિત નથી, અને શ્રાવકને તે સાક્ષાત્ તે તે દ્રવ્યથી પૂજન-સત્કાર કરી શકાતો હોવાથી કાઉસગ્ગ દ્વારા પૂજન-સત્કારની પ્રાર્થના તેને પણ નિષ્કલ છે,” તેનું સમાધાન શાસ્ત્રકાર જણાવે છે કે- સાધુને સ્વયં દ્રવ્યપૂજન કરવાને નિષેધ છે, બીજાઓ દ્વારા તે કરાવવાનું કે તેની અનુમોદના કરવાને નિષેધ નથી; કારણ કે- જેનું વર્ણન (પૃ. ૩૫૬ માં) કર્યું છે તે દ્રવ્યસ્તવના અધિકારમાં જણાવ્યા પ્રમાણે “જેઓ સંપૂર્ણ વિરતિને પામ્યા નથી, તેવા શ્રાવકેને સંસાર ઘટાડવા માટે આ દ્રસ્તર યોગ્ય છે, વગેરે,” અને પૃ. ૩૩૪ માં શ્રીજિનમંદિરના અધિકારમાં જણાવ્યું છે કે–“ભક્તિથી જે ઘાસનું પણ શ્રીજિનમંદિર બનાવે તથા એક પુષ્પ માત્રથી પણ શ્રીજિનપૂજા કરે, તેનાથી જે પુણ્ય બંધાય તેનું માપ કોણ કરી શકે ? ” વગેરે તથા– " जिनभवनं जिनबिम्बं, जिनपूजां जिनमतं च यः कुर्यात् । तस्य नरामरशिवसुख-फलानि करपल्लवस्थानि ॥१॥" ભાવાર્થ-“જે શ્રીજિનમંદિર કે જિનભૂતિ નવાં કરાવે, જિનપૂજા કરે અને જિનમતને આચરે, તેને મનુષ્યના, દેવનાં અને મોક્ષના સુખ હથેળીમાં છે.” ઈત્યાદિ ઉપદેશ શ્રાવકને દેવાને અધિકાર હોવાથી સાધુને કસ્તવ કરાવવાનો નિષેધ નથી શ્રીજિનેશ્વરની બીજાઓએ કરેલી પૂજા કે સત્કાર વગેરેનાં દર્શન કરે અને હર્ષથી અનુમોદના કરે તેને પણ નિષેધ નથી કહ્યું છે કે – ' Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy