SearchBrowseAboutContactDonate
Page Preview
Page 477
Loading...
Download File
Download File
Page Text
________________ કર૮. [ ધ સં- ભા૧-વિ. ૨-ગા૦ ૬૧ છે. નિશ્ચયનયથી તે સર્વ કર્મરૂપ અનાદિ આડંબર (મેલ)ને ઉતારીને આત્મા પિતાના મૂળ સ્વ : રૂપમાં રહે છે, માટે “સ્વરૂપની પ્રાપ્તિ એ જ મેક્ષ અને એ જ એક્ષસ્થાન કહેવાય છે, કારણ કેતેઓ તેમાં સ્વરૂપમાં) જ રહે છે, રમે છે અને સ્વરૂપને જ આનંદ ભગવે છે. નિશ્ચયનયના મતે મા ગરમ સિનિ અર્થી-સર્વ પદાર્થો પિતાના રૂપમાં જ રહે છે. (કઈ દ્રવ્ય પિતાના મૂળ રૂપને છેડતું નથી.) માટે ઉપર જણાવેલાં સિદ્ધિગતિનાં ‘શિવં–અચલં” વગેરે વિશેષાણે નિશ્ચયથી તે સ્થાનમાં નહિ પણ મુક્ત આત્મામાં ઘટે છે, તે પણ સ્થાન અને સ્થાની (ત્યાં રહેનારા) બનેને અભિન્ન માનતાં ઉપચારથી સ્થાનીનાં લક્ષણે સ્થાનમાં પણ ગણાય છે. જેમ કિઈ દેશના ધનાઢને આશ્રીને તે દેશ ધનાઢય કહેવાય તેમ અહીં શિવ-અચલ વગેરે અવ રયાવાળા મુક્તાત્માને આશ્રીને સિદ્ધાસ્થાનમાં પણ શિવ-અચલ વગેરે વિશેષણ ઘટે. એવા સ્થાનને પામેલા, અર્થાત સંપૂર્ણતયા સર્વે કર્મોને ક્ષય થવા રૂપ સંસારી અવસ્થાના નાશથી સ્વાભાવિક આત્મસ્વરૂપ પ્રગટવા રૂપ મૂળ (શુદ્ધ) અવસ્થાને પામેલા, આ મુકત આત્માને જે ‘વિભ (વ્યાપક) માનીએ, તે ઉપર કહેલા વ્યવહાર અને નિશ્ચય રૂપ સિદ્ધિસ્થાનની તેને પ્રાપ્તિ થઈ શકે નહિ, કારણ કે સર્વગત (વ્યાપક) માનવાથી તે હંમેશાં એક સ્વરૂપે જ (સર્વત્ર) રહે (કેઈ સ્થાન બદલાવાનું બાકી રહે જ નહિ.) અને તેથી વર્તમાન ભાવ-સ્વરૂપ નાશ પામે નહિ (બદ લાય નહિ) તેથી નિત્ય કહેવાય. વ્યાપક આત્મા સદાકાળ એક સ્વરૂપે રહેવાથી એકાન્ત નિત્ય ગણાય, એથી તેમાં સંસારી અવસ્થાને નાશ અને સ્વ-રૂપની (મોક્ષની પ્રાપ્તિ એ બદલે ઘટે નહિ. આથી એ નક્કી થયું કે-જે સર્વવ્યાપક નથી તેને જ સંસારી અવસ્થાના ત્યાગ રૂપ મેક્ષઅવસ્થા યા સિદ્ધિગતિ નામનું સ્થાન પ્રાપ્ત થાય. માટે જ “પ્રમાણ શરમ અર્થાતુ-આત્મા પિતાના શરીર જેવડે છે એમ કહ્યું છે તે યથાર્થ છે. બુદ્ધિમાન આત્માઓને આવા ભગવતે જ નમસ્કરણીય છે. એવા ભગવંતેને– આ સૂત્રની આદિમાં અને અંતમાં નમસ્કાર છે, તેથી વચ્ચે પણ સર્વ પદમાં તે જાણવે. હવે–ભયાને જીતનારા પણ વસ્તુત: એ અરિહંતે જ છે–બીજાઓ નહિ, એમ જણવવા માટે ઉપસંહાર કરતાં કહે છે કે–નો નિri કિજમના' અર્થાત્ “જિનેને નમસ્કાર થાઓ ! ભને જીતનારાઓને નમસ્કાર થાઓ !” અહીં “રો અને વિના ' બેને અર્થ પૂર્વે કહો તેમ જાણવો. “નિરમાનાન્ન” એટલે “સંસારરૂપ પ્રપંચથી નિવૃત્ત થયેલા હોવાથી કોઈ પણ ભય નથી–સર્વ ભને જેઓએ ક્ષય કર્યો છે, એવા અરિહંત ભગવંતેને નમસ્કાર થાઓ ! એ હજૂ થી આરંભીને નિમgr' સુધીના પાઠમાં ત્રણ વાકાની પ્રધાન-(જ્ઞાન-દર્શનાદિ રૂ૫) ગુણેને જેમાં કદી ક્ષય નથી તેવા “મેક્ષરૂપ ફળની પ્રાપ્તિ’ નામની આ નવમી સંપદા કહી. અહીં એક જ અર્થવાળા વિશેષણથી વારંવાર સ્તુતિ કરવારૂપ પુનરૂકિત દેવની શંકા ન કરવી કારણ કે-સ્તુતિ વારંવાર કરવા છતાં પુનરૂક્તિ દેષ નથી. કહ્યું છે કે “ સાથશાળવો-સણ લઇશુરૂપયા ! संतगुणकित्तणेसु अ, न होंति पुणरुत्तदोसा उ ॥१॥" ભાવાર્થ–“સ્વાધ્યાય-તપ-ધ્યાન-ઔષધસેવન-ઉપદેશ-સ્તુતિ-દાન તથા વિદ્યમાન ગુણનું કીર્તન, એ વારંવાર કરવા છતાં પુનરૂકિત દોષ મનાતો નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy