________________
પ્ર૦ ૩-દિનચર્યા- “નમુત્થણ” સૂત્રને અર્થ ]
૪૨૩ અગ્ય છે. હા, જ્ઞાન અને દર્શન બંને ભેગાં મળીને સર્વ જાણુ–દેખી શકે, સ્વતંત્રપણે તે નહિ જ.” આ કથન પણ વ્યાજબી નથી, કારણ કે-વસ્તુતઃ સામાન્ય અને વિશેષને આધાર ભિન્ન પદાર્થ નથી. જે પદાર્થોમાં સમાનતા ધર્મ છે, તે જ પદાર્થોમાં વિષમતા (તારતમ્ય) ધર્મ પણ છે, એટલે કે-સમાનતા અને તરતમતા ધર્મોને આધાર (ધમી)તે એક જ છે, તેથી તેના તે તે ભાવને -ધમેને જીવ જ્ઞાનસ્વભાવથી તરતમ રૂપે જાણે અને દર્શનસ્વભાવથી સમાન રૂપે દેખે છે. એમ જ્ઞાન-દર્શનથી સર્વ ભાવને જાણે–દેખે છે, કારણ કે–સર્વ પદાર્થો જ્ઞાન દર્શનના વિષય બને જ છે. એ સમાધાનમાં પુનઃ શંકા કરે છે કે-“એમ છતાં પણ જ્ઞાનથી સર્વ પદાર્થોના વિશેષ (તરતમતા) ધર્મો જણાય, તેમાં રહેલા છતાં સામાન્ય ધર્મો જણાય નહિ અને દર્શનથી સર્વ પદાર્થોમાં સમાન ધર્મો દેખાય વિશેષ ધર્મો દેખાય નહિ, એમ બેય ધર્મોને નહિ કિંતુ એક જ વિશેષને જણાવનારા જ્ઞાનને સર્વ જણાવનારું તથા એક જ સમાનતાને દેખાડનારા દર્શનને સર્વ દેખાડનારૂં કહેવું તે અયોગ્ય છે.” તેના સમાધાનમાં કહે છે કે–એ પ્રશ્ન પણ અયોગ્ય છે, કારણ કે સમાનતા તથા તરતમતા બંને ધર્મો અને તેના આધારભૂત ધમી ઓ (પદાર્થો) એકાન્ત ભિન્ન જ નથી; સમાનતાની ગૌણુતાથી સર્વ પદાર્થોમાં જ્ઞાન દ્વારા વિશેષ (તારતમ્ય) જણાય છે અને વિશેષતાની ગૌણતાથી દર્શન દ્વારા સર્વ પદાર્થોમાં સમાનતા દેખાય છે. એમ જ્ઞાન પણ સર્વ પદ્યાર્થીનું જ્ઞાપક છે અને દર્શન પણ સર્વ પદાર્થોનું દર્શક છે, માટે ભગવંત સંપૂર્ણ જ્ઞાન-દર્શન ગુણવાળા હેવાથી સર્વજ્ઞ અને સર્વદર્શી છે એમ કહેવું ખોટું નથી. તેઓને–
વળી આત્માને સર્વગત (વ્યાપક) માનનારાઓ કોઈ મુક્ત આત્માને પણ સર્વગત માને છે, અમુક સ્થાને જ રહે એમ માનતા નથી. તેઓ કહે છે કે- ગુર્જર સર્વત્ર તિત્તિ, વ્યોમવત્તાપાતા' અર્થાત–“આકાશની જેમ સર્વ સંતાપ રહિત મુકત આત્માઓ પણ સર્વત્ર (વ્યાપકપણે) રહે છે. તેમના મતનું ખંડન કરતાં કહે છે કે-“વિવમથકથળતાથમવ્યાયામgrત્તિરિનામવેદ્ય કા સંપત્તાળ' અર્થાત–નિરૂપદ્રવ વગેરે ગુણોવાળા મેક્ષસ્થાનને પામેલાને તે ગુણાનું સ્વરૂપ જણાવે છે કે–રિવ” સર્વ પ્રકારના સર્વ ઉપદ્રવ વિનાનું, “અચ'સ્વભાવ કે કઈ પ્રગથી પણ જે ચલાયમાન નથી–અચલ, “અહ”=વ્યાધિ અને વેદનાનાં કારણ ભૂત શરીર તથા મનને જ અભાવ હોવાથી જ્યાં કઈ પ્રકારનાં વ્યાધિ કે વેદના નથી, અનંત” ત્યાં રહેલા આત્માઓને અનંત વિષયનું અનંત કાલનું જ્ઞાન હોય છે માટે અનંત, “ નાશ પામવાનાં કારણે નહિ હોવાથી કદી નાશ નહિ પામનારૂં અર્થાત્ શાશ્વતું, “બાપ કર્મો નહિ હોવાથી કઈ પ્રકારની પીડા વિનાનું, ‘પુનરાવૃત્તિ =જ્યાંથી પુનઃ સંસારમાં અવતરવાનું (અવતાર) નથી તથા તિક્રિાતિના =જ્યાં આત્મા સમાપ્ત પ્રયજનવાળો અર્થાત કૃતકૃત્ય હોય છે. એવા સ્થાનને કે જે સ્થાન ચૌદ રાજરૂપ લેકની (સમગ્ર જગતની) ઉપરના અંતભાગમાં છે, જેને “સિદ્ધિ અને મુકતાત્માઓનું ત્યાં ગમન થતું હોવાથી (પાંચમી અથવા આઠમી) ગતિ” કહેવાય છે, માટે ‘સિદ્ધિગતિ એવા ઉત્તમ નામવાળું,” “થાન=આત્માઓ જ્યાં સ્થિર રહે તે “સ્થાન કે જેને વ્યવહારનયથી સિદ્ધિક્ષેત્ર” કહેવાય છે. કહ્યું છે કે શું ચત્તા , તરથ તૂળ સિરાજુ' અર્થાતુ-(કૃતકૃત્ય-મુતાત્માઓ) અહીં (મનુષ્યલોકમાં) શરીરને છોડીને ત્યાં (સિદ્ધિક્ષેત્રમાં) જઈને સિઝે છે–રહે છે, માટે વ્યવહારનયથી તે સ્થાનને “સિદ્ધિક્ષેત્ર કહ્યું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org