________________
પર 2-દિનચયો- નમેહુ છું” સુત્રને અર્થ) કા, મરણનો અને અપયશનો-એમ સાત પ્રકારને ભય કહો છે. તેથી પ્રતિપક્ષે ભયના અભાવને અભય કહ્યો છે, અર્થાત સંપૂર્ણ કલ્યાણ સાધક ધર્મની ભૂમિકામાં કારણભૂત વિશિષ્ટ આત્મસ્વાસચ્ચને અભય કહેવાય છે, કેટલાક એને ધય પણ કહે છે. આવા પ્રકારનું અભય (પૈર્ય) દેનારા અરિહંત જ હોય, કારણ કે તેઓ પિતાના ગુણેની વિશિષ્ટતા (પ્રાષ)ને યોગે અચિંત્ય શકિતવાળા અને એ શકિતથી પરેપકાર કરવાના સ્વભાવવાળા હોય છે (ભાવના છતાં શકિત ન હોય, કે શકિત છતાં ભાવના ન હોય તે પરોપકાર થઈ શકતું નથી. અરિહંતમાં એ બને અતિશાયી હોવાથી તેઓ અભયને આપી શકે છે), માટે “અભયને દેનારા” તેઓને–
:” એટલે ચક્ષુદાતાને, અહીં તત્વજ્ઞાનમાં કારણભૂત વિશિષ્ટ આત્મધર્મરૂપ ચક્ષુ સમજવાં, બીજાઓ તેને “શ્રદ્ધા' કહે છે. જેમ ચક્ષુ વિનાને જીવ પદાર્થને દેખવા માટે અમેગ્ય છે, તેમ શ્રદ્ધા રહિત આત્મા પણ તત્વનાં દર્શન માટે અગ્ય છે-તત્વને સમજી શકતે નથી. વળી આવી માર્ગાનુસારિણી ( શ્રીજિનવચન સત્ય છે-નિશંક છે ઈત્યાદિ) શ્રદ્ધા કાંઈ સહેલાઈથી પ્રગટ થતી નથી (મિથ્યાત્વ તિમિર મંદ પડે ત્યારે જ પ્રગટે છે.) આથી જ કલ્યાણ–ચક્ષુ સમી એ શ્રદ્ધા પ્રગટ થતાં જીવને વાસ્તવિક તત્વનું દર્શન થાય છે, ધર્મરૂપ કલ્પવૃક્ષના અવબીજરૂપ આ શ્રદ્ધા અરિહંત દ્વારા જ થાય છે, માટે “શ્રદ્ધારૂપ ચક્ષુને આપનારા” તેઓને
“:” એટલે-“મોક્ષમાર્ગ દેનારાને” અહીં માર્ગ એટલે “સર્ષના દરની જેમ સીધે, વિશિષ્ટ ગુણસ્થાનકને (ગુણને) પ્રાપ્ત કરાવનાર અને સ્વરસવાહી (આત્મસ્વરૂપને અનુભવ કરાવનાર) એ કમને ક્ષયે પથવિશેષ (ઉદયમાં આવેલાં કર્મોને ક્ષય અને સત્તામાં રહેલને ઉપશમ.) એ અવક–સરળ એક્ષસાધનાને અનુકૂળ ચિત્તની પ્રવૃત્તિને “માર્ગ” કહ્યો છે. બીજાઓના મતે જે ચિત્તપ્રવૃત્તિ “મોક્ષમાં હેતુ” હોય, જે “સ્વરૂપે મેક્ષસાધક હોય અને જેનું પરિણામફળ પણ “મોક્ષ” હોય-એમ હેતુથી, સ્વરૂપથી અને ફળથી જે શુદ્ધ અર્થાત મોક્ષના હેતુસ્વરૂપ અને ફલ–પરિણામની અપેક્ષાએ જે ચિત્તપ્રવૃત્તિ શુદ્ધ હોય, તેને “સુખા” કહેવામાં આવે છે અને તે “સુખા” (મેક્ષ ) માગે છે. આ માર્ગના અભાવે યથાયોગ્ય ગુણસ્થાન ( ગુ)ની પ્રાપ્તિ થઈ શકે નહિ, કારણ કે-માર્ગની વિષમતાથી ચિત્તની ખેલના થાય તેથી ગુણેની પ્રાપ્તિમાં વિદનો આવે, આ માર્ગ ભગવંતથી જ પ્રાપ્ત થાય તેથી “માર્ગ દેનારા તેઓને
“ ” એટલે “શરણું દેનારને, “ભયથી પીડિતની રક્ષા કરવી તેને શરણ કહેવાય છે, માટે “સંસારરૂપ અટવીમાં અતિ કિલષ્ટ રાગ-દ્વેષાદિથી પીડાતા અને દુઃખની પરંપરાથી થતા ચિત્તના સંકલેશરૂપ ક્ષોભ (મુંઝવણ)માં તત્ત્વચિંતનના અધ્યવસાયો જ સુંદર આશ્વાસન આપનાર હોવાથી શરણ–આશ્રયરૂપ છે. બીજાઓ-શરણુ એટલે “વિશેષ પ્રકારે તત્વ જાણ વાની ઈચ્છા” એમ કહે છે. એ તવ જાણવાના અધ્યવસાયથી જ જીવમાં તવપ્રાપ્તિના કારણરૂપ-૧-તત્ત્વશ્રવણની ઈચ્છા ૨-શ્રવણ, ૩-ગ્રહણ, ૪-હૃદયમાં ધારણ, પ-તેથી વિશિષ્ટ જ્ઞાન (વિજ્ઞાન), ૬-વિજ્ઞાનથી ઈહા (તર્ક-વિચારણા), અપહ એટલે તત્ત્વને નિર્ણય, અને
૬. શ્રીજિનેશ્વરે સમ્યગ્દર્શનથી મેક્ષ માર્ગ દેખે, જ્ઞાનથી પ્રાપ્ત કર્યો (શુદ્ધ કર્યો) તથા ચારિ. ત્રથી મેક્ષમાર્ગે ચાલ્યા. બીજાઓને પણ એમ કરાવનારા હેવાથી તેઓ માર્ગદાતા છે. (ચૈત્યવન્દન– મહાભાષ્ય. ગા૦ ૩૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org