________________
પ્ર૦ ૩દિનચર્યાનમથુ છું” સુત્રના અર્થ ]
તેંતવ્ય હેતુ” નામની ત્રણ પદની બીજી સંપદા કહી. - હવે તેના જ વિશેષ હેતુરૂપ “તવ્ય વિશેષ હેતુ” નામની ત્રીજી સંપદા કહે છે, “પુતિ(g) TU, રિલgi, gવપુરા , જુરિયાધારી ” અહીં “હુર” એટલે શરીરમાં, “નાર' એટલે શયન કરવાથી પુરૂષ કહેવાય છે, અર્થાત-વિશિષ્ટ પુણ્યકર્મ ના ઉદયથી ઉત્તમ આકૃતિવાળા શરીરમાં વાસ કરનારા જ પુરુષો અને તે પુરૂષામાં પણ અરિહંતે ઉત્તમ હોવાથી (સાહજિક પિતાના તથાભવ્યત્વ વગેરે ભાવથી શ્રેષ્ઠ હેવાથી ) “પુરૂષોતમ' કહેવાય છે. અરિહંતે સર્વથી એ કારણે ઉત્તમ છે કે–તેઓ સંસારમાં રહે ત્યાં સુધી પરોપકાર કરવામાં વ્યસની અને પિતાને (ભૌતિક સુખને) સ્વાર્થ તેઓને ગૌણ હેય છે, સર્વત્ર ઉચિત કિયાવાળા, ગમે તેવા પ્રસંગમાં પણ દીનતા રહિત, તેઓની દરેક પ્રવૃત્તિ ઉત્તમ ફળવાળી (સફળ), દઢ વિચારક, કૃતજ્ઞતાના સ્વામી, તેમજ કલેશરહિત ચિત્તવાળા હોય છે. દેવ ગુરૂમાં બહુ માનવાળા અને ગંભીરહુદયવાળા હોય છે, વગેરે અનેક સાહજિક ગુણેથી તેઓ સર્વ પુરુષોમાં ઉત્તમ છે. જેમ મેલું પણ જાતિવંત રત્ન કાચ કરતા ઉત્તમ જ છે, કાચ વગેરે ગમે તેટલાં સુંદર પણ દ્રવ્ય કદાપિ રત્નની બરાબરી કરી શકતાં નથી જ, તેમ અરિહંતે અનાદિકાળથી સહજ સ્વરૂપે જ સર્વ જીવમાં ઉત્તમ હોય છે. (નિદાદિ અવસ્થામાં પણ તેઓની તે ઉત્તમતા હેય છે જ,) એ મુજબ અરિહંતે અન્ય પુરૂષોથી ઉત્તમ છે—એમ કહેવાથી બૌદ્ધો જે માને છે કે–રાતી અમારા સમય અર્થા–“પ્રાણી માત્ર સર્વ ગુણાનું ભજન છે,” માટે સર્વ છે બુદ્ધ થઈ શકે છે એ બૌદ્ધમતનું ખંડન કર્યું સમજવું. (અથત સર્વ જીવે કદાપિ “અરિહંત' થઈ શક્તા નથી, જેઓ અનાદિ ઉત્તમ છે, તેઓ જ તથાભવ્યત્વ વગેરેને વેગ થતાં અરિહંત થઈ શકે છે-એમ આ વિશેષણથી કહ્યું.)
વળી બાહ્ય અર્થની સત્તાને જ સત્ય માનનારા અને ઉપમાને અસત્ય માનનારા સંસ્કૃતાચાના શિષ્ય કહે છે કે-જેઓ સ્તુતિને વેગ્ય છે તેઓને કોઈની ઉપમા અપાય નહિ, કારણ કે“નાયાસુષમા સૃષ” અર્થાત-હીન કે અધિક હોવાના કારણે કંઈને કેઈની ઉપમા આપવી તે અસત્ય છે,–તેમના આ મતનું ખંડન કરતાં કહે છે કે “પુ લ :” અર્થાતુ-અરિહતે પુરુષ છતાં પ્રધાનતા, શૌર્ય વગેરે ગુણેથી સિંહ જેવા છે, માટે “પુરુષસિંહ છે તેઓને; જેમ સિહ શૌર્ય, ક્રૂરતા, વીર્ય, વૈર્ય વગેરે ગુણોવાળા હોય છે, તેમ અરિહંતે પણ કર્મરૂપ શત્રુઓ પ્રત્યે શૌર્યગુણવાળા-ક્રોધાદિ (પરાભવ કરનારાઓ)ને સહન નહિ કરનારા, તે કર્મોને ઉચ્છેદ કરવામાં કૂર, રાગાદિથી પરાજય નહિ પામનારા માટે પરાક્રમશાળી-વીવંત, અને તપકર્મમાં પૈર્યવાન તરીકે પ્રસિદ્ધ છે; વળી તેઓને પરિષહોની અવગણના હોય છે, ઉપસર્ગોને ભય હોતે નથી; ઇન્દ્રિયવર્ગની ચિંતા કરતા નથી, સંયમ માર્ગમાં થાકતા નથી, ઇત્યાદિ ગુણોથી તેઓ સિંહ સમાન છે આ પ્રમાણે આપેલી ઉપમા અસત્ય પણ નથી, કારણ કે સિંહ જેવા ઈત્યાદિ ઉપમાથી તેઓના અસાધારણ (વિશિષ્ટ) ગુણે જણાવવામાં આવ્યા છે, તેઓને મારો નમસ્કાર થાઓ.
વળી “ભગવંતે સજાતીય ઉપમાવાળા હોવા જોઈએ, વિજાતીય ઉપમાથી ઉપમાનના ધર્મો ઉપમેયમાં આવી પડવાથી ભગવાનના પુરુષપણુ આદિને અભાવ થશે–એમ માનનારા સુચારુના શિષ્યનું મન્તવ્ય છે કે-“વિલોપનાથ તરપરા તારવ” અર્થાત– વિરુદ્ધ ઉપમાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org