SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૨ [ ૦ સ॰ ભા૰ ૧-વિ॰ ૨-ગા૰ ૬૧ શાશ્વતી છે, તે પણ સૂત્રથી નહિ, પણ અર્થીની ( જ્ઞેયની ) અપેક્ષાએ તે શાશ્વતી છે એમ સમજવું, અને તેથી જ સૂત્રની અપેક્ષાએ પેાતાતાના તીમાં દરેક તીથંકરનું દ્વાદશાંગીરૂપ શ્રુતધનુ આદિકરવાપણું વ્યાજબી છે જ, કોઈ વિરાધ તેમાં ઘટતા નથી. ( અર્થાત્ શબ્દ રચનાની અપેક્ષાએ દરેકની દ્વાદશાંગી નવી નવી હાય છે, પણ તેમાં કહેલા અર્થાની અપેાક્ષાએ કાંઇ નવીનતા હોતી નથી, ત્રણેય કાળની દ્વાદશાંગીમાં સર્વના જ્ઞેયરૂપ અર્થ એકસરખા જ હાય છે.) હવે કેવલજ્ઞાન થયા પછી તુ મેક્ષ થાય જ, એમ માનનારા કેટલાકેા કોઇને પણ તીર્થંકર માનતા નથી. અનાચે વલ્વાડમાવાત્”–એ વચનથી તેઓ એમ માને છે કે સમ્પૂર્ણુસઘળાં કર્મોના ક્ષય ન થાય ત્યાં સુધી કેવલજ્ઞાન થાય નહિ અને કેવલજ્ઞાન થતાં સપૂર્ણ કર્મોના ક્ષય થતા હાવાથી તુ જ મેાક્ષ થાય જ, એમ તીર્થં સ્થાપવાનું કારણ (સમય) નહિ હોવાથી તે અતીર્થકર હાય છે. તેઓના આ મતને અસત્ય જણાવવા માટે કહે છે કે ‘તિસ્થયન' તીથ' કરનારાને, ' સંસારસમુદ્ર જેની સહાયથી તરી શકાય તે ‘ તીર્થ' કહેવાય, એ ન્યાયે શાસનના આધારભૂત સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ શ્રીસંઘને, અથવા પહેલા ગણધને તીર્થ અને તે તીને કરનારા એટલે ચતુર્વિધ શ્રીસ ંઘની અથવા પ્રથમ ગણધરની સ્થાપના કરનારા અરિહતાને ‘તીર્થંકરી ' કહેવાય છે. સ ંપૂર્ણ કર્મોના ક્ષય વિના કેવલજ્ઞાન ન થાય એમ નથી, કારણુ કે–ધાતીકર્માના સંપૂર્ણ ક્ષય થતાં જ કેવલજ્ઞાન થાય છે, મઘાતીકમાંથી તેને કાંઇ ખાધ થતા નથી. એમ જ્ઞાનાવરણીયાદિ ઘાતીકમ્ડના સ`પૂર્ણ ક્ષયથી સપૂર્ણ જ્ઞાન પ્રગટ થતાં જ્ઞાનથી કેવલી થએલા તેને તી કરવાનુ (સ્થાપવાનું) કાય` ઘટી શકે છે. હા, મુકૃતકેવલી એટલે આઠેય કર્મના ક્ષય કરી મુક્તાવસ્થાને પામેલા સિદ્ધોના કેવલપણામાં તે જૈનદર્શન પણ તીથંકરપણું માનતું નથી, અર્થાત્ સર્વાં કર્મોના ક્ષયરૂપ મુકત-અવસ્થામાં તી કરવાનુ જૈનદર્શનને પણ માન્ય નથી. એ રીતિએ તીને કરનારા તે તીર્થંકરાને ( નમસ્કાર થા. ) "" તીથ કરા પણુ સદાશિવની કૃપાથી એધ પામે છે’–એમ કેટલાકેા માને છે. તેઓના મતે ‘મહેસાનુપ્રાìનિયમાવતિ ' અર્થાત્ મહેશની મહેરબાનીથી ખાધ ( જ્ઞાન ) અને નિયમ ( શોચ-સ ંતાષ-તપ-સન્નય-ધ્યાન) થાય છે વગેરે તેનુ આ કહેવુ અસત્ય છે એમ જણાવવા માટે કહે છે કે-‘સ્વયંસંધુદ્દેશ્ય: ’ખીજાના ઉપદેશ વિના જ ‘તથાભવ્યત્વ’ વગેરે કારણરૂપ સામગ્રીના પરિપાકથી જેઓએ પાતાની મેળે જ તત્ત્વને યથાર્થ સ્વરૂપમાં જાણ્યું છે તે ‘ સ્વયં ’ મેધ પામેલા ( અરિહંતે )ને ' મારા નમસ્કાર થા. જો કે તેના આત્મા પૂર્વભવામાં તેવા ઉત્તમ ગુરુની નિશ્રાથી ખેાધને પામેલા હાય છે, છતાં તીર્થંકરના ભવમાં તે તેને ફાઇના ઉપદેશની અપેક્ષા રહેતી નથી, સ્વયં જ મેધ પામે છે; હા! તીર્થંકરના ભવમાં પણ દીક્ષા અવસરે લોકાંતિક દેવા આવીને “ મયં ! તિર્થ પત્તે !” અર્થાત્← હે ભગવન્! તીથ પ્રવર્તાવા ' વગેરે કહીને વિનતિ કરે છે, પણ વસ્તુતઃ વૈતાલિક-કાલજ્ઞાપક પુરૂષના વચન પછી રાજા સ્વયં તે કાર્યામાં પ્રવૃત્તિ કરે છે તેમ તી કરેા પણ લોકાન્તિક દેવાની વિનંતિ પછી સ્વયં દીક્ષા સ્વીકારે છે, માત્ર રાજાના નાકરની જેમ લોકાન્તિક દેવાના તે વિનતિ કરવાના આચાર છે, નહિ કે લોકાન્તિક દેવેાના કહેવાથી પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે. આ પ્રમાણે અરિહંત ભગવા જે જે હેતુથી સ્તુતિ કરવા લાયક છે તે તે હેતુને સામાન્યરૂપે ખતાવનાર સામાન્ય હેતુરૂપ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy