SearchBrowseAboutContactDonate
Page Preview
Page 460
Loading...
Download File
Download File
Page Text
________________ - પ્ર૦ ૩-દિનચર્યા–શ્રીજિનભૂતિમાં સર્વપદની સ્થાપના ] ૪૦૭ ચાર્ય હેવાથી ભગવાન મહાવીરે મને કહ્યું છે એમ જવાબ આપે.) (૨) તીર્થકરના સર્વ અતિશય પિતામાં હોવાથી તેઓ જિન છે, ગુરુરૂપે ઉપદેશ આપવાથી તેઓ ગુરુ-આચાર્ય પણ છે અને કરણ એટલે ઈન્દ્રિયે વગેરેને નમાવનારા અર્થાત વિનય શિખવનારા ( ભવ્યાત્માઓને વિનીત બનાવનારા) હોવાથી તેઓ ઉપાધ્યાય પણ છે. (૩) વગેરે.” સંઘારચારભાગમાં શ્રીસ્કંદકની કથામાં પણ કહ્યું છે કે – " एवं स्कन्दकसाधुपुञ्चपुरः श्रीगौतमेनोदिताः, श्रुत्वाऽहंद्गुरुतादिसर्वपदवीः श्रीवर्द्धमानप्रभोः । ગુદાદ મહિના! ' તરિ(૬)બ્રિષિ સ્થાપના चार्यत्वादि तथा क्षमाश्रमणकैः कार्यो(केर्यादेः)विधिस्तत्पुरः ॥१॥" ભાવાર્થ “એ પ્રમાણે સાધુપુંગવ શ્રીકંદકની આગળ શ્રીગૌતમસ્વામિજીએ કહેલી શ્રીવર્ધમાન પ્રભુની અરિહંત વગેરે સઘળી પદવીઓને સાંભળીને, હે ભવ્ય પ્રાણુઓ! તમે સ્પષ્ટ સમજે કે–અરિહંતના બિસ્મમાં પણ આચાર્યપણું વગેરે સર્વ પદવીઓ ઘટમાન છે, માટે ખમાસમણ સહિત ઈરિયાવહિ વગેરે તે તે વિધિ શ્રીજિનબિમ્બની આગળ કર.” એમ સાક્ષાત ભાવાચાર્ય જે હાજર ન હોય તો ખમાસમણપૂર્વક શ્રીજિનપ્રતિમાની આગળ છાલન સંદિ મજાવન વિધિ સમિમિ' એમ આજ્ઞા માગીને ઈરિયાવહિ પઠિકુકમવા, પણ સ્થાપનાચાર્ય કે જિનપ્રતિમા વિના જ ઇરિયાવહિ પડિકમવા નહિ. ચિત્યવન્દનભાગની સંઘાચારવૃત્તિમાં ઈરિયાવહિની સંપદાઓના અધિકારમાં કહ્યું છે કે-ગુરુના વિરહમાં ગુરુના આદેશને દેખાડવા માટે (મેળવવા માટે ) ગુરુની સ્થાપના કરવી અને તેની નિશ્રામાં ધર્માનુષ્ઠાન કરવું.” અહીં કોઈ કહે કે–સ્થાપનાથી શું ફળ? તેના જવાબમાં પણ કહ્યું છે કેજિનેશ્વરના વિરહમાં જેમ પ્રતિમાની (એટલે જિનસ્થાપનાની) કરેલી સેવા, આમંત્રણ, સ્તુતિ વગેરે સફળ થાય છે, તેમ ગુરુની સ્થાપના સન્મુખ પણ કરેલ વિનય આત્માને હિતકર (સકલ) થાય છે. જઘન્ય, મધ્યમ ચિત્યવદના તે ઈરિયાવહિ પ્રતિક્રમણ વિના પણ કરી શકાય છે. ઉત્કૃષ્ટ ચૈત્યવદના કરવાની ઇચ્છાવાળા સાધુ, શ્રાવક, અવિરતિસમકિતદષ્ટિ, અપુનર્ધધક કે યથાભદ્રક, ૩૦. “ગુણવત્તમ ૪ , ગુવાવસારશે રા નિurtવામિ નિrāવ-લેવામંતof ૐ શા” (વૈરાગ્ય, જા૩૦) અર્થાત“વસ્તુતઃ જિનેશ્વરનું કે ગુરુનું આલંબન આત્માને વિનયગુણ પ્રગટ કરવા માટે ઉપયોગી છે, તે સાક્ષાત ન હોય તો તેઓની સ્થાપના સામે પણ વન્દનાદિ વિનય કરવાથી આત્મામાં વિનયગુણ પ્રગટ છે. તે સ્થાપના યથાર્થ તેઓના આકારવાળી બનાવવી તે “સમૃતસ્થાપના અને અક્ષ (અરિયાહાલમાં જેને સ્થાપનાજીરૂપે રાખવામાં આવે છે) વરાટક-કાષ્ટ-પુસ્તક કે ચિત્રકમથી કરેલી સ્થાપનાને “અસમૂત' કહેવાય છે. તેમાં પણ પ્રતિષ્ઠા વગેરે વિધિથી હંમેશ માટે કરવામાં આવે તેને પાવવથિ' અને માત્ર નવકાર-પંચિદિય દ્વારા અમુક કાળ પૂરતી જ કરી હોય તેને “ત્યતિ' કહેવાય છે. જેમ ખોરાક જડ છતાં શરીરમાં લોહીની વૃદ્ધિ વગેરે કરવા દ્વારા જ્ઞાનાદિ આત્મગુણના વિકાસમાં સહાય કરે છે. તેમ સ્થાપના જડ છતાં બાહ્ય વિનય–સેવા વગેરે દ્વારા આત્માના વિનયજ્ઞાનાદિ ગુણોની સાધનામાં સહાય કરે છે, એ વાત સમજાય તેવી તદ્દન સાદી છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy