________________
સૂરીશ્વરજી મનું જીવન ચરિત્ર]
૪૧. પક્ષ કરનારાઓને ઘણું સહન કરવું પડ્યું હતું. તેઓશ્રી પિતાના સ્થાનને અને જવાબદારીને સમજનારા હતા, એથી એ વિકટ પ્રસંગોને પિતાની અતુલ આરાધનાના પ્રસંગે માની ખૂબ સ્થર્ય–વૈર્ય અને માધ્યમથ્યપૂર્વક સ્વકર્તવ્ય અદા કરી જીવનને અજવાળી ગયા હતા.
પદ પ્રદાન :--દશ વર્ષ જેટલા ટુંકા દીક્ષા પર્યાયમાં તે તેઓશ્રીએ ગુરૂભક્તિ સાથે જ્ઞાન અને ક્રિયાથી જીવનને એવું સુંદર બનાવી દીધું હતું કે તેઓના જીવનની સુવાસ ઘણા જીવોને આકર્ષણરૂપ બની હતી. જે કાળે સમાજમાં પદપ્રદાનની બહુ મહત્તા અંકાતી તે કાળમાં તેઓશ્રીના ગુણથી આકર્ષાયેલા સંઘેએ તેઓને પદસ્થ બનાવવાની ભાવના વ્યક્ત કરી હતી, વાર વાર વિનંતિ થવાને વેગે પૂજ્ય ગુરૂદેવે પણ ગ્યતા જોઈને ભગવતી સૂત્રના
ગોદ્રહનાદિ કરાવી વિધિપૂર્વક છાણીમાં તેઓને વિ. સં. ૧૯૬૯ ના કારતક વદ ૪ ના રોજ ૧૧ વર્ષના દીક્ષા પર્યાયમાં ગણી અને પંન્યાસપદથી વિભૂષિત કર્યા હતા. તે પછી પણ વધતી જતી રેગ્યતાએ પૂજ્ય ગુરૂદેવનું અને સંઘનું આકર્ષણ વધારી દીધું હતું. જેના ફલરૂપે રાજનગરના આગેવાન શ્રાવક વર્ગના અતિ આદરને વશ થઈ વિ. સં. ૧૯૮૧ ના માગશર સુદ ૫ ના રોજ પૂ૦ પરમ ઉપકારી સંઘ સ્થવિર ગુરૂદેવે તેઓશ્રીને આચાર્યપદ ઉપર આરૂઢ કર્યા હતા. જગતને એ નિયમ છે કે જીવમાં જેમ જેમ ચોગ્યતા ખીલે છે, તેમ તેમ જગત તેને માથે જવાબદારીને બેજે વધારે છે. જો કે પદપ્રદાન એક દુસરી વહન કરવા જેવું બને છે, કિન્તુ એગ્ય આત્માઓ તે જવાબદારીને પૂર્ણ કરી જગતને ઉપકાર કરવા સાથે પિતાના આત્માને પણ વિકાસ સાધી જાય છે. એ રીતે વિચારીયે તે તેઓશ્રી ઉપરપદ પ્રદાન દ્વારા ગુરૂદેવે મૂકેલી જવાબદારીથી જરાય મેટાઈ કે ગુરૂતાને વશ થયા વિના ઉત્તરોત્તર વધુ ને વધુ ગુણ કેળવી તેઓ સાચા ગુરૂ બન્યા હતા, પિતાના પ્રભાવશાળી જીવનથી એ પદને શોભાવી સ્વ-પર ઉપકારક બનાવ્યાં હતાં.
શિષ્ય વર્ગ ––તેઓનો શિષ્ય-પ્રશિષ્યાદિ સુવિહિત સાધુવર્ગ પણ ઠીક ઠીક હતા. સ્વર્ગવાસ સમયે તેઓશ્રીના વિદ્યમાન શિખ્યો ૧. પૂજ્ય આચાર્ય માટે શ્રીવિજયમનહરસૂરિજી, ૨. પૂ. મુનિરાજ શ્રીસુમિત્રવિજયજી, ૩. મુનિરાજ શ્રીવિચક્ષણવિજયજી, ૪. મુનિરાજ શ્રીસુબેધવિજયજી, ૫. મુનિરાજ શ્રીસુભદ્રવિજયજી, ૬. મુનિરાજ શ્રી દેવેન્દ્રવિજયજી, ૭. મુનિરાજ શ્રીજશવિજયજી, ૮. મુનિરાજ શ્રીઅરૂણવિજયજી, ૯. મુનિરાજ શ્રીભુવનવિજયજી હતા. પ્રશિષ્યો મુનિરાજ શ્રીકુમુદવિજયજી, શ્રીમલયવિજયજી, શ્રીભદ્રંકરવિજયજી, શ્રીવિબુધવિજયજી, શ્રી હેમેન્દ્રવિજયજી, શ્રીમનકવિજયજી, શ્રીવિમળવિજયજી, શ્રી જખ્ખવિજયજી અને પ્રપ્રશિષ્ય શ્રીમૃગાંકવિજયજી વિગેરે હતા. તેઓશ્રીના સ્વર્ગવાસ પછીના પણ બીજા દીક્ષિત મલી આજે લગભગ પચીસ મુનિવરે તેઓશ્રીના ગુરૂદેવ સંઘસ્થવિર આચાર્યદેવ શ્રીદાદામહારાજ તથા તેઓશ્રીના શિષ્ય આચાર્ય શ્રી વિજયમનહરસૂરિ મહારાજની આજ્ઞામાં આરાધના કરે છે. તેમાં કેટલાક વિદ્વાન-તપસ્વી-વૈયાવૃત્યકારક પણ છે, એકંદર તેઓશ્રીના જીવનની પવિત્ર છાયાને વારસે આજે શિષ્ય-પ્રશિષ્યાદિમાં પણ અમુક અંશે દષ્ટિગોચર થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org