SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ [સ્વ. પૂ આ શ્રીવિજય મેઘત્યવદન કરતાં તન્મય થઈ જતા, ક્રિયાનો એમનો આદર-અપ્રમાદ વિગેરે એવાં સુંદર હતાં કે બીજાને આદર્શ રૂપ બની જતાં. કઈ પણ પ્રવૃત્તિમાં જિનાજ્ઞા તરફનું તેમનું લક્ષ્ય અખંડ રહેતું, જો કે કઈ અશાતા વેદનીયના ઉદયે તેઓને મસ્તક શૂળ (શિરોવેદના) કાયમ રહેતી તેથી ઘણે વખત તેઓ મૌનપણે ધ્યાનમાં જ વીતાવતા, પણ એવા પ્રસંગે ય કરણીય અનુષ્ઠાનમાં સતત જાગ્રત રહેતા, નાદુરસ્ત શરીરે પણ તેઓએ વિ. સં. ૧૯૮૪ માં પાટણમાં મૌનપૂર્વક શ્રીસૂરિમંત્રનું આરાધન કર્યું હતું. ખાસ કહી શકાય કે અશાતાના ઉદયમાં પણ શરીરને જ્ઞાન-ક્રિયામય બનાવી દીધું હતું. તેમની દરેક પ્રવૃત્તિમાં ચૈતન્ય ઝળકતું જ રહેતું, ગતાનગતિક ક્રિયામાત્રથી તેમને સંતોષ ન થતે, પ્રત્યેક અનુષ્ઠાનનું રહસ્ય સમજતા અને સમજાવતા. ઉચ્ચાર શુદ્ધિ:--ઉચ્ચાર તે એટલો સ્પષ્ટ અને શુદ્ધ હતું કે તે તે વર્ણના ઉચ્ચાર યથાસ્થાન કરતા, જોડાક્ષરોના, અનુસ્વાર–વિસગના કે સ્વર-વ્યંજનના ઉચ્ચાર એવા શુદ્ધ અને સ્પષ્ટ કરતા, કે ખરેખર તેઓને આત્મા જ નહિ, જીન્હા પણ વ્યાકરણને બોધ ધરાવતી હતી, એમ કહીયે તે ખોટું ન ગણાય. સહિષ્ણુતા:-- તેઓશ્રીમાં ઉપસર્ગો અને પરિષહેને સહન કરવાની શક્તિ ઘણી પ્રશંસા પાત્ર હતી. અશાતાના ઉદયે તે પીછે જ પકડ્યો હતો, જીવનનાં અમુક વર્ષો કે મહીના એવા છેડા જ ગણાય કે જે વેળા તેઓશ્રી શરીરે કોઈને કોઈ બાધા-પીડા વિનાના હશે. શિવેદના કાયમી, નેત્રનું દર્દ પણ એને જ આભારી હતું, ઝામર–મતીઆનાં બે બે વાર ઓપરેશન, ચક્ષુઓનું તેજ હણાયા પછી તે કોઈને કોઈ વ્યાધિ ચાલુ જ રહે, ત્યુરસીના દર્દની પીડા, પેટનું ઓપરેશન, વિગેરે અનેક પ્રસંગમાંથી તેઓનું જીવન પસાર થયું હતું. તેમાં કેટલાક પ્રસંગે તો જીવલેણ હતા, હ્યુરસીના દર્દે તેઓના શરીરને હતપ્રહત કરી નાખ્યું હતું. તેમાં વળી અમદાવાદમાં પેટનું ઓપરેશન, વિગેરે કેટલાક પ્રસંગે એવા જીવલેણ હતા કે તેઓના જીવન માટે આશા છૂટી જવા છતાં સંઘના પુણ્ય બળે તેઓશ્રી બચી ગયા હતા. એવી અસહ્ય પીડાઓમાં પણ કઈ દિવસ તેમના મુખે અરેરે! ને ઉચાર સાંભળ્યો નથી. બહુ પીડા વધે ત્યારે પણ શ્રીનમસ્કાર મહામંત્રનું સ્મરણ–ઉચ્ચારણ સ્વયં કરતા કે તે જ સાંભળવાની માગણી કરતા. એમની આ સહિષ્ણુતાએ તે તે પ્રસંગને જેનારા ગૃહસ્થને, વૈદ્ય-ડેટને, કે વૈયાવચ્ચ કરનારા સાધુ વર્ગને ખૂબ-ખૂબ અનુમોદના કરાવી ઉપકાર કર્યો છે. માત્ર દ્વવ્યસહિષ્ણુતા જ નહિ, સંયમ અને શાસનના અવિહડ રાગને લીધે ભાવ ઉપસર્ગો પણ તેમણે એવા જ સહન કર્યા છે. સત્યની રક્ષા માટે અપમાન અને અપશબ્દો સાંભળવામાં પણ તેઓ જરાય અકળાયા નથી, એ રીતે સમતા જાળવી તે તે પ્રસંગે શાસનની વફાદારી કેળવી ગયા છે કે આજે પણ તે પ્રસંગે યાદ આવતાં તેમના ધેય સામે મસ્તક નમી પડે છે. માત્ર તેઓએ સહન કર્યું છે એટલું જ નહિ, બીજા સાધુઓને એવા પ્રસંગે સહાય પણ ઘણી કરી છે. તેમના જીવનકાળ દરમ્યાન દેવદ્રવ્ય, દીક્ષા વિરોધ, જડવાદ અને નાસ્તિકતાને પ્રચાર, ઈત્યાદિ એવા પ્રસંગે ઉપસ્થિત થયા હતા કે જે સમયે સત્યને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy