SearchBrowseAboutContactDonate
Page Preview
Page 452
Loading...
Download File
Download File
Page Text
________________ - - -- પ્રઃ ૩-દિનચર્યા-ઈરિ૦ પ્રતિકમણનું વિધાન ! ૩ તે સત્ય ઠરે, તે માટે તેને બીજો અર્થ એમ જણાવ્યું છે કે-“ઈરિયાપથ એટલે સાધુને સર્વ આચાર” આ અર્થ મતિકપનારૂપ નથી, શાસ્ત્રમાં કહ્યું જ છે કે જો ચાનાવિ મિક્ષુવત” અર્થાત–“ઈપથ એટલે ધ્યાન, મૌન વગેરે સાધુનું સઘળું વ્રત–આચરણ” નદી ઉતરવાથી, શયન કરવાથી કે એવાં બીજા કારણોથી જે જે અંશે સાધુઆચારના ઉલ્લંઘનરૂપ વિરાધના થાય, તે તે “ઈપથની વિરાધના” તેનાથી પાછા ફરવાને એટલે શુદ્ધ થવાને ઈચ્છું છું - એ અર્થ પણ સમજે. વસ્તુતઃ સાધુઆચારનું ઉલંઘન સાધુએ વજેલાં જીવહિંસા, અસત્ય, ચેરી વગેરે પાપના સેવનરૂપ છે અને તે સર્વમાં જીવહિંસાની મુખ્યતા છે; કારણ કે–બાકીનાં અસત્ય, ચેરી, મિથુન કે પરિગ્રહ આદિ પરિણામે હિંસાનાં કારણરૂપ હોવાથી હિંસામાં જ તે સઘળાંને સમાવેશ થાય છે, માટે જ આ સૂત્રમાં સર્વ પાપના સંગ્રહરૂપ જીવહિંસા-પ્રાણાતિપાતને મુખ્ય ગણી તેની શુદ્ધિને ક્રમ બતાવ્યો છે. અહીં પહેલી સંપદા (વાકય) પૂર્ણ થઈ. (વાકય પૂર્ણ થાય ત્યાં વિરામ લે-એ ભાષાશુદ્ધિ છે, માટે દરેક સૂત્રમાં જ્યાં જ્યાં સંપદા પૂર્ણ થાય ત્યાં ત્યાં બોલતાં અટકવું, અન્યથા દેષ ગણેલે છે.) હવે તે વિરાધનાનાં કારણો કહે છે-“મurrગમ' એટલે “સ્વસ્થાનથી અન્યત્ર જવું તે ગમન અને પાછું આવવું તે આગમન;” આ જવા-આવવામાં થયેલી વિરાધનાથી, અહીં બીજી સંપદા પૂર્ણ થઈ. હવે વિરાધનાના પ્રકારો કહે છે કે-“ મળે, વીગમળ, બિલીમ' અહીં “પ્રાણ એટલે બેઈન્દ્રિયથી પંચાન્દ્રય સુધીના સર્વ જી, બીજ એટલે (સર્વ સ્થાવર–એકેન્દ્રિય જીવે તથા) સર્વ પ્રકારનાં બીજો અને હરિત એટલે સર્વ પ્રકારની લીલી વનસ્પતિ,” એમાંના કોઈને પણ આક્રમણ કરવાથી એટલે પીડવાથી થયેલી વિરાધના. આ પાઠમાં બીજ અને હરિત એ બે શબ્દ જુદા કહીને એ સ્પષ્ટ કર્યું છે કે–સર્વ બીજે અને તે સિવાયની પત્રપુષ્પાદિ દરેક વનસ્પતિઓ પણ જીવરૂપ છે. અહીં ત્રીજી સંપદા પૂર્ણ થઈ. કોરાત્તિજ-gr-r-મ-મીરા-સંતા-રન્નામ” “ઓસા” એટલે ઠાર, ઠારનું પાણી જે બહુ બારીક બિન્દુરૂપ હોય છે તે, આથી એ સૂચન થયું છે કે–સૂક્ષ્મ માત્ર પણ અપૂકાય જીવો. ની વિરાધના કરવી નહિ; “ઉનિંગ” એટલે જમીનનાં ગોળ છિદ્રો કરીને રહેનારા ગર્દભ આકારના જીવો અથવા કીડીનગરો; “પણુગ” એટલે પાંચેય રંગની લીલફૂગ (સેવાલ) “દગમદી” એટલે લોકોની અવરજવર વગેરે ન થયું હોય તે સ્થાનને કાદવ, અથવા “દ” એટલે અપૂકાય અને “મટ્ટી” એટલે પૃથ્વીકાય; “અક્કડા” એટલે કોળીઆ અને “સંતાણું એટલે તેની જાળ, ભેગે અર્થ કરોળીયાની જાળ; એ પ્રમાણે ઠાર વગેરે કરોળીયાની જાળ સુધીના જેને “ સંયમને” એટલે આક્રમણ કરવાથી થયેલી વિરાધના. અહીં ચેથી સંપદા પૂર્ણ થઈ.. હવે નામવાર કેટલા છ ગણાવી શકાય ? માટે કહે છે કે- “જે જે લીવ વિદિવા” અર્થાત-જે કઈ જી વિરાધ્યા (દુ:ખ પમાડયા) હોય. અહીં પાંચમી સંપદા પૂર્ણ થઈ. જે કઈ એટલે ક્યા કયા છે ? તે કહે છે કે-“વિના-રિક-સેરિકા-વંકરિના”િ અર્થાત–“માત્ર સ્પર્શન (ચામડી) એક જ ઈન્દ્રિયવાળા પૃથ્વીકાયાદિ, સ્પશન અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy