SearchBrowseAboutContactDonate
Page Preview
Page 450
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૩-દિનચર્યા–દેવવંદનમાં દશ ત્રિક વગેરે ] વચન-કાયાની એકાગ્રતા કરવી એ ત્રણ પ્રણિધાન કહ્યાં છે. પ્રણામ પંચાંગથી થાય છે, અને સ્તવન બોલતાં યોગમુદ્રા, વન્દન કરતાં જિનમુદ્રા તથા પ્રણિધાનસૂત્ર બોલતાં મુકતાશુકિતમુઢા-એમ ત્રણ મુદ્રાઓ કરવાની કહી છે. બે ઢીંચણ, બે હાથ અને મસ્તક–એમ પાંચેય અંગે પૂર્ણ (જમીનને લાગે તેમ) નમાવવાથી પંચાંગ પ્રણામ કહેવાય છે.” શ્રીવન્દનપંચાશકની ટીકામાં તે એ પંચાંગીને પણ એક જુદી મુદ્રા કહી છે, ત્યાં કહ્યું છે કે-“પ્રણિપાતદંડક (નમોળુ ણું)ના પ્રારંભમાં અને અંતે પંચાંગી મુદ્રાથી પ્રણામ કરાય છે. તેમાં બે હાથ, બે ઢીંચણ અને એક મસ્તક–એ શરીરના પાંચ અવયવો નમાવવારૂપ વિવક્ષિત આકૃતિ કરવી તેને પંચાંગી મુદ્રા કહેવાય છે. આને મુદ્રા એટલા માટે કહી છે કે–ગમુદ્રા વગેરેની જેમ આમાં પણ શરીરને અમુક આકારમાં રાખવાનું સ્થાપન કરવાનું હોય છે.” તથા " अण्णोणंतरिअंगुलि-कोसागारेहि दोहि हत्थेहिं । પિોર સુણસં– િતત્ નમુદત્ત શા” " चत्तारि अंगुलाई, पुरओ ऊणाइँ, जत्थ पच्छिमओ । पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥२॥" " मुत्तासुत्ती मुद्दा, जत्थ समा दोवि गम्भिआ हत्था । ते पुण निडालदेसे, लग्गा अन्ने अलग्गत्ति ॥३॥" (ચૈત્ય “મા ના ૨૫ તા ૨૭) ભાવાથ–“બે હાથની દશ આંગળીઓ એક-બીજની વચ્ચે રાખી, કોશના ડોડા જેવો હથેળીને આકાર કરી, બે હાથની બે કોણીયે પેટ ઉપર સ્થાપવાથી ગમુદ્રા થાય છે. (૧) જિનમુદ્રામાં–બે પગનાં પાવલાંની વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળનું અને પાછળ પાનીના ભાગે ચાર આંગળથી ઓછું, એમ અંતર રાખી બે પગ સરખા રાખી ઉભા રહી બે હાથ નીચે લાંબા કરાય છે. (૨) બે હાથની આંગળીઓ પરસ્પર સામા સામી રાખી, વચ્ચેથી હથેળી પિલી રાખી, બે હાથ લલાટને લગાડવાથી અથવા બીજા આચાર્યોના મતે બે હાથ લલાટથી દૂર રાખવાથી મુકતાશુક્તિમુદ્રા થાય છે.” (એ સિવાયની ત્રણ નિશીહિ કહેવી, ત્રણ પ્રદક્ષિણા દેવી, ત્રણ પ્રણામ કરવા, ત્રણ દિશામાં જેવાને ત્યાગ કરે અને ત્રણ વાર પગ-ભૂમિનું પ્રમાર્જન કરવું-એ પાંચ ત્રિકનું સ્વરૂપ તે સ્પષ્ટ સમજાય તેવું છે.) એ પ્રમાણે દશ ત્રિકનું સ્વરૂપ કહ્યું. વિધિપૂર્વક કરેલું દેવપૂજાદિ કઈ પણ અનુષ્ઠાન પૂર્ણ ફળ આપે છે, અને અવિધિએ કરેલું અલપ ફળ આપે છે, અવિધિરૂપ અતિચારથી ઊલટું દુઃખનું કારણ બનવાને પણ સંભવ છે, માટે જ અવિધિએ ચૈત્યવંદન કરનારને મહાનિશીથસૂત્રમાં પ્રાયશ્ચિત્ત જણાવ્યું છે. ત્યાં સાતમા અધ્યયનમાં કહ્યું છે કે-“મવિહિપ વેબ વંવિના તકર છે પાકિર વિના, ગો અખિલી ગા$ ચંદ્રમાનો અનેહિ ગતરું કર પર ” રિ અર્થાત– “અવિધિથી ચૈત્યને વાંદે તેને પ્રાયશ્ચિત આપવું, કારણ કે–અવિધિ કરનારો બીજાઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે.” એ કારણથી જ પૂજા વગેરે સર્વ પવિત્ર ક્રિયાઓને અંતે અવિધિ-આશાતના થઈ હોય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy