SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ ૩–નિયાઁ અન્ય ગચ્છીય ચૈત્યાની પૂજાનુ વિધાન ] ૩૩ એ પાઠ એલવા સાથે ધૂપ ઉખેવવા, અખંડ જળધારા દેવી અને પુષ્પા ઉછાળવાં, વગેરે મહોત્સવ કરવાપૂર્વક મંગળદીવા પણ ઉતારવા અને ( જાગતાજ ) શ્રીજિનેશ્વરના ચરણ આગળ ( સન્મુખ ) મૂકવા. આરાત્રિકને બુઝાવવામાં દોષ નથી, મુખ્યતયા મંગળદીવા-આરતી વગેરે ઘી, ગાળ, કપૂર વગેરેથી કરવાં, કારણ કે તેથી વિશેષ ફળ મળે છે. લેાકેામાં પણ કહ્યું છે કે- દેવની આગળ કપૂરના દીપક ધરવાથી અશ્વમેધ યજ્ઞનુ ફળ થાય છે અને કુળના ઉદ્ધાર થાય છે.' અહીં’ (પૃ.૩૮૯માં) ‘મુસ્તા’ વગેરે જે પાઠરૂપે ખેાલવાની જણાવી છે તે ગાથાઓ પ્રાયઃ પૂ શ્રીહરીભદ્રસૂરીશ્વરજી મહારાજની રચેલી સ`ભવે છે, કારણ કે—તેઓએ રચેલી સમા ની શરૂઆતમાં ‘જીવળેષ મહ વો ' એ ગાથાથી નમસ્કાર કરેલા છે, તે જ ગાથા અહીં પશુ છે. શ્રીતપાગચ્છ વગેરે ગચ્છામાં પ્રસિદ્ધ હાવાથી તે ગાથાએ ×અહી' જણાવી નથી. સ્નાત્ર વગેરે અનુષ્કાનામાં જુદી જુદી સમાચારીને લીધે વિધિ પણ જુદો જુદો જોવામાં આવે છે. માટે રાગ-દ્વેષ ( વ્યામાહ ) કરવા નહિ, કારણ કે—જુદા જુદા વિધિથી સાધના કરનારા પણ સત્તુ સાધ્ય શ્રીઅરિહંત પરમાત્માની ભક્તિરૂપ ફળને મેળવવાનુ છે. પ્રાચીન શ્રીગણધર ભગવંતા આદિની સામાચારીઓમાં પણ ઘણા ભેઢા છે, માટે જે જે અનુષ્ઠાન-ધર્મ, આગમ પરંપરા વગેરેને અનુસરતું અને શ્રીઅરિહંતની ભક્તિ (આજ્ઞા)નુ પાષક હોય તે તે કોઈને પણ અસંગત ગણાય નહિ, એ પ્રમાણે દરેક અનુષ્ઠાનામાં વિધિભેદ્યાદિના યોગે સમજવું. ૨૪ અહીં લૂણુ, આરતી, મંગળદીવા, વગેરે પરંપરાથી સ ગચ્છામાં અને પરનામાં પણ સૃષ્ટિક્રમે ઉતારવાનું દેખાય છે, પૂર્વ શ્રીજિનપ્રભસૂરિજી મકૃત પૂજાવિધિમાં કહ્યું છે કે લૂણુ વગેરે ઉતારવાનું પૂર્વ શ્રીપાદલિપ્તાચાય વગેરે પૂર્વ પુરુષાએ સહારક્રમથી જગુાવ્યું છે, તે પણ વર્તમાનમાં સૃષ્ટિક્રમથી કરાય છે. સ્નાત્રમહાત્સવમાં સર્વ પ્રકારે વિસ્તારપૂર્વક પૂજા, પ્રભાવના, વગેરે કરવાનુ કહેવુ હાવાથી સ્નાત્રનું ખીજા ભવમાં ઘણું-શ્રેષ્ઠ ફળ મળે એ સ્પષ્ટ સમજાય તેવું છે. શ્રીજિનેશ્વરદેવાના × આ ગાથા ગ્રંથકારના સમયમાં પ્રસિદ્ધ હશે એમ આ પાથી સમજાય છે. ૨૪. વસ્તુત: શ્રીજિનાગમકથિત ચાર અનુયાગામાં વ્યવહારનયથી ચરણકરણાનુયાગનું પ્રાધાન્ય છે, કારણ કે–તે સાધનરૂપ છે અને દ્રવ્યાનુયાગ એ સાધ્ય છે. સાધનામાં ભેદ છતાં જો તે એક સાષ્યનાં સાધક થઈ શકતાં હોય તેા સધળાં શ્રીજિનવચનરૂપ ગણાય છે. છએ દશના જુદાં જુદાં એ હેતુથી છે કે તે એક સાધ્યની સાધનામાં સાધક થતાં નથી અને તેથી જ તે અસહ્ય છે. જૈન સંપ્રદાયમાં જે ગચ્છભેદે છે તે બહુધા વિધિવાદના મતાન્તરમાંથી જન્મેલા છે, માટે તેના સાધ્યમાં ભેદ ન હેાય, સાધકની સાધનામાં ભાષક ન થતાં હોય તે પરસ્પર સહિષ્ણુતા કેળવીને વિરોધ ન કરવામાં શ્રેયઃ છે. હા ! જેમાં સાજ્યને સિદ્ધ કરવાની તાકાત ન હેાય જે બાધક હાય તે તે। રક્ષાના ઉદ્દેશને બદલે સ્વમતસ્થાપનના દુરાગ્રહમાંથી જન્મેલાં સભવે છે અને મમત્વરૂપ હોઈ વીતરાગતાનાં ઘાતક બને છે. સમથ શુદ્ધ ગીતાર્થીની ખાટ જેમ જેમ વધતી ગઇ, તેમ તેમ અભિનિવેશનુ બળ વધતુ રહ્યું અને પરિણામે સંધની મર્યાદા— ધર્મોનું મંડાણુ તૂટવા લાગ્યું. ત્રણુ પ્રકારના વામાં બાલમુદ્ઘિ અને મધ્યમમુદ્ધિ—એ એ વર્ષાં મડનાત્મક ઉપદેશને યાગ્ય છે, જે બુદ્ધિજીવી કુશાગ્ર–નિમ`ળ બુદ્ધિવાળા છે, તે જ અભિનિવિષ્ટ ખંડનાત્મક ઉપદેશને યાગ્ય છે. ગ્રંથકર્તીએ લખેલી ઉપયુ કત પંકિતઓ આત્માથી તે ખૂબ મનનીય-આદરણીય છે. ૫૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy