SearchBrowseAboutContactDonate
Page Preview
Page 436
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૮ ૩-દિનચર્યા શ્રી જિનપૂજાદિ વિધિ ] ૩૭ ” અર્થાત- સર્વ દ્વિ' એટલે ઘણું ધનનું દાન વગેરે કરતો, અથવા છa–ચામર વગેર રાજઋદ્ધિ ધારણ કરીને, “સર્વ કાતિ એટલે ઉત્તમ વસ્ત્રો, આભરણું, અલંકાર વગેરેથી સુશોભિત થઈને “સર્વ બલ’ એટલે ચતુરંગી સેના સાથે; અને “સર્વ પુરૂષાર્થ એટલે સર્વ પ્રકાર વાત્રો, મહાજન વગેરે લેકેને સાથે લઈને ”—આ આગમવચન પ્રમાણે, શ્રીજિનશાસનની પ્રભાવના નિમિત્તે તેમાં જણાવ્યા મુજબ મેટા આડંબરથી શ્રીજિનમંદિરે જાય; જે સામાન્ય વૈભવવાળો હોય તે ઉદ્ધતાઈને તજીને (લેકમાં ઉડાઉપણું ન દેખાય તેમ), પિતાની શક્તિ અનુસાર સામાન્ય આડંબર (ભા) કરીને, મિત્ર, પુત્ર વગેરે પરિવારને સાથે લઈને શ્રીજિનમંદિરે જાય. - એ રીતિએ શ્રીજિનમંદિરે જઈને ત્યાં પાંચ અભિગમ (મર્યાદા) નું પાલન કરે. તેમાં ૧. પુષ, તબેલ વગેરે (હાર, કલગી, માથામાં ગૂંથેલાં ફૂલો વગેરે પિતાના શરીરાદિની શોભા માટે જે સચિત્ત પાસે રાખ્યું હોય તે) સર્વ સચિત્ત દ્રવ્યને ત્યાગ કરે, ૨-શરીરે પહેલાં મુગટ સિવાયનાં આભરણ, અલંકાર, વસ્ત્રો વગેરે અચિત્ત દ્રવ્યને ત્યાગ ન કરે, અર્થાત્ મુગટ સિવાયનું સર્વ પહેરી રાખે અને મુગટને નીચે ઉતારે. ૩-પહેળા ઉત્તમ એક વસ્ત્રનું ઉત્તરાસણ (ઉત્તરાસંગ) કરે. (આ ઉત્તરસંગ પુરુષને અંગે જાણવું, સ્ત્રીએ તે વિશેષપણે વસ્ત્રોથી પિતાનું શરીર ઢાંકીને વિનયથી શરીરને નમ્ર બનાવવવું.) ૪-શ્રીજિનપ્રતિમાનું દર્શન થતાં જ બે હાથ જોડી, ઉંચે મસ્તકે લગાડી “નમો જિણાણું” એ પ્રમાણે બેલે; [ ઉપાઠ–શ્રીસંઘાચાર નામની ભાષ્યની ટીકામાં તે સ્ત્રીને આ અભિગમ કરવાનું નિષેધ્યું છે. ત્યાં કહ્યું છે કે-એકશાહી ઉત્તરાસંગ કરવું અને શ્રીજિનેશ્વરના દર્શન થતાં મસ્તકે બે હાથથી અંજલિ કરવી, એ બે અભિગમ પુરૂષને અંગે કહ્યા છે. સ્ત્રી તે “વિશેષતા શરીરને વસ્ત્રોથી ઢાંકીને વિનયથી નમ્ર શરીરવાળી” હોય. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે- વિગોવાઇ જાયન્ટીવ સિ” અર્થાત- વિનયથી નમ્ર શરીરવાળી,” (માટે એ બે અભિગમ સ્ત્રીઓને કરવાના નથી. ) આ કથનથી નમોહ્યુ - વગેરે બોલતી વેળાએ પણ સ્ત્રીઓને મસ્તકે હાથ જોડવા તે એગ્ય નથી, કારણ કે–તે પ્રમાણે હાથ ઉંચા કરવાથી હદય (સ્તન) વગેરે દેખાવાને પ્રસંગ આવે. શાસ્ત્રમાં જે દ્રોપદીના અધિકા૨માં “વરું નાવ ૮ પર્વ વાળી તિ” અર્થાત-બે હાથનાં તળીયાની અંજલિ વગેરે કરીને આ પ્રમાણે બલી” એ પાઠ છે, તે ભકિતને માટે લૂંછણાં ( ન્યૂછણુ) લેવાની જેમ માત્ર અંજલિ ભમાવવાની સૂચનારૂપ સમજ. સર્વ રીતે પુરુષની બરાબર જ મસ્તકે અંજલિ કર. વાને અર્થરૂપ નથી, કે ( અંજલિપૂર્વક બોલવાનાં) સૂત્રોને પણ સર્વથા અંજલિ કર્યા વિના જ હાથ જેમ હોય તેમ જ રાખીને બોલવાના અર્થરૂપ પણ નથી. એમ સમજવામાં કારણ એ છે કેશાસ્ત્રમાં રાજાદિકને વિનંતિ કરવાના પ્રસંગોમાં પણ શરૂઆતમાં “વરું જ ૬' વગેરે સમાન પાઠે આવે છે, તે દરેકને સમાન અર્થ કરવાનું નથી, પરંતુ ત્યાં ન બતાવ્યું હોય તે પણ વિવેક કહે જ છે–એમ સમજી, પ્રસંગને અનુરૂપ-આગમના પાઠેને પરસ્પર વિરોધ ન રહે તેમ અર્થ કરેઃ અર્થાત્ પ્રસંગને અનુસરત અર્થ કરવાનું સૂચવ્યું જ છે–એમ સમજી લેવું. તે તે વિષયમાં પુરૂષ અને સ્ત્રીઓને અંગે વિવેક ન કરાય તો આગમ વચનને પરસ્પર વિરોધ થાય, માટે અહીં અંજલિ અને ઉત્તરાસંગ કરવાનું પુરુષોને અંગે જ સમજવું ] ૫. શ્રીજિનેશ્વરદેવનાં દર્શન વગેરેમાં મનની એકાગ્રતા કરવી, અર્થાત્ મનને દર્શનમાં સ્થિર કરવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy