SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮૨ [ ધ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૦ ૬૧ પૂજા કરવી (૨૦); (એ પ્રમાણે પ્રકરણના ૨૦ કાવ્યને માત્ર ટૂંક ભાવાર્થ લખે છે, તે યથામતિ સ્વયં સમજી લેવા.) - બીજાં પણ “શ્રીજિનપ્રતિમાને શુદ્ધ કરવાં (ઉટકવા), શ્રીજિનમંદિરની (કાજે લે વગેરે) પ્રમાર્જના કરવી, સફેદ કળીચુના વગેરેથી તેને રંગવું, શ્રીજિનેશ્વરના ચરિત્રનાં (ભવે કે કે કેઈ પ્રસંગેનાં અથવા પાંચ કલ્યાણવગેરેનાં) જુદી જુદી જાતિનાં ચિત્રો ચીતરાવવાં, સર્વ પ્રકારનાં પૂજનાં ઉત્તમ ઉપકરણે (વાછત્ર-પુસ્તક-કાજે કાઢવા માટે સાવરણ–પાટલા-ત્રિગડાં વગેરે સાધને) આપવાં, (આંગી વગેરેની) પહેરામણી કરવી, ચંદરવા (પુંઠીયાં), તેરણ વગેરે મંદિરમાં આપવાં, વગેરે સર્વ કાર્યો અંગપૂજા વગેરે ત્રણ પૂજાઓમાં યથાયોગ્ય ગણાય છે, કારણ કે–તે બધાં કાર્યો કરવામાં વસ્તુતઃ એક જિનભક્તિ કરવાને જ પ્રધાન ઉદેશ હોય છે. - ઘરમાં ઘરદેરાસર ઉપર (પૂજા કરવાનાં) પિતાનાં ધોતીયાં-કપડાં વગેરે પણ ન મૂકવા કારણ કે અન્ય મંદિરની જેમ ઘરમંદિરમાં પણ રાશી આશાતનાઓ તજવાનું કહ્યું છે. એ કારણથી જ દેવપૂજા માટેનાં પુષ્પ, ધૂપ, દીપ કે પાણી, અગર તે વસ્તુઓ રાખવાનાં ચંગેરી, ધૂપધાણું, દીવી, કળશ તથા ચંઓ વગેરેથી ઘરનું કઈ કામ પણ કરવું નહિ, તેમજ ઘરમંદિરમાં ચઢાવેલા ચેખા, સોપારી, નૈવેદ્ય વગેરે વેચવાથી જે દ્રવ્ય ઉત્પન્ન થાય તે પણ પિતાના કાર્યમાં કે પિતાના નામે વાપરવું નહિ, બીજા મંદિરમાં આપતાં પણ “આ દ્રવ્ય, પૂજાની વસ્તુઓ વેચવાથી પ્રાપ્ત થયું છે એમ સર્વને સ્પષ્ટ જણાવીને આપવું, કારણ કે-જણવ્યા વિના આપવાથી (દેવદ્રવ્ય હોવા છતાં) લોક ફેગટ (આપનારની માલિકીનું છે એમ માની) પ્રશંસા કરે તેથી દોષ લાગે. વળી નૈવેદ્ય વગેરે ઘરમંદિરમાં પૂજામાં ચઢાવેલું જે (નિર્માલ્ય) ઉતરે, તે વસ્તુઓ ફૂલ આપનાર માળીને આપે, તે પણ તેના પગારના બદલા તરીકે નહિ પણ ભેટ રૂપે જ આપે. કદાચ સંપત્તિની ન્યૂનતાને લીધે તેને પુનું મૂલ્ય આપી શકાય તેવી પિતાની સ્થિતિ ન હોય, તે પહેલેથી જ તે “નિર્માલ્ય, પુષ્પના મૂલ્યમાં અથવા માસિક પગાર તરીકે આપવામાં આવે છે- એમ કહીને આપે તે દેષ નથી. એ પ્રમાણે ઘરમંદિરમાં શ્રીજિનપૂજા વિધિ કો. હવે તે પછી શું કરવું ? તે જણાવે છે. . એ પ્રમાણે પૂજન કર્યા પછી પોતે શ્રીજિનેશ્વરદેવની સંમુખ એટલે તેઓની સાક્ષીએ વિધિપૂર્વક “નમુકકારસહિ” વગેરે કાળ-પચ્ચક્ખાણ અને “મુદ્ધિસહિ” આદિ સંકેત-પચ્ચકખાણ (જે પહેલાં ધાર્યું હોય તે) ઉચ્ચરે, એ પણ ગૃહસ્થને વિશેષ ધર્મ છે એમ સમજવું. - ત્યાર પછી ત્યાંથી વિધિપૂર્વક શ્રીસંઘના (ગછના કે સર્વગચ્છના સાધારણુ) મંદિરે [ઉપાય -પહેલા પૃ. ૩૩૨ માં જણાવ્યા પ્રમાણે ચિત્યના ત્રણ પ્રકારે ગણતાં આ મંદિર ભક્તિચૈત્ય અને પૃ. ૩૫ર માં કહેલા ચિત્યના પાંચ પ્રકારની અપેક્ષાએ નિશ્રાકૃત્ય કે અનિશ્રાકૃત્ય કહેવાય ત્યાં ] જઈ પુષ્પ વગેરેથી વિધિપૂર્વક દ્રવ્યપૂજન અને સ્તુતિ વગેરે દ્વારા ગુણગાનરૂપ ભાવપૂજન કરવું, તે જઘન્યથી માત્ર નમસ્કાર વગેરે કરવાથી અને ઉત્કૃષ્ટથી ઈરિયાવહિ પડિક્કમવા પૂર્વક નમૂત્થણું વગેરે દંડકસૂત્રો બોલવાથી થાય છે. (એ વર્ણન પૃ. ૩૬૯માં કહેવાઈ ગયું છે.) ઉપર શ્રીજિનમંદિરે વિધિપૂર્વક જઈને એમ કહ્યું, તે વિધિ આ પ્રમાણે છે. જે રાજા, મંત્રી કે કોઈ મહાન ઋદ્ધિવંત શ્રાવક હોય તે “રડ્યા પિ, સંક્ષાપ ગુચ્છ, સદણ સ્ટેor, ૦૧ Jain Education International - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy