________________
૩૪
[ ધ૦ સં૦ ભા૦ ૧-વિ૦ ૨ ગા૦ ૬૧૬
" पडिकमओ गिहिणो विहु, सगवेला पंचवेल इअरस्स ।
आसु तिसंझासु अ, होइ तिवेला जहन्नेणं ||२|| " (मूल भा० गा० ५९-६०) ભાવાર્થ –“સવારના પ્રતિક્રમણમાં (અંતે કરાતું દેવવન્દન), જિનમંદિરમાં, ભાજન કર્યો પહેલાં (પચ્ચકખાણુ પારતાં), ભાજન પછી જગચિંતામણિથી જય વીયરાય સુધીનું, સાંજના પ્રતિક્રમણમાં (શરૂઆતમાં દેવવન્તન), સુતાં પહેલાં (સથરારિસી ભણાવતાં) અને જાગ્યા પછી (જગચિંતાણુથી જય ચીયરાય સુધી), એ પ્રમાણે સાધુને એક અહારાત્રમાં સાત વખત ચૈત્ય વન્દન કરવાનુ કહ્યું છે. (૧) વળી ગૃહસ્થને પણ ઉભય ટંક પ્રતિકમણુ કરનારને સાત વખત, પ્રતિક્રમણ ન કરે તેને પાંચ વખત અને જઘન્યથી પણુ ત્રિકાળ જિનપૂજાને અંતે ત્રણ વખત ચૈત્યવન્દના કરવાની કહી છે. (૨)”
તેમાં જે શ્રાવક એ વખત પ્રતિક્રમણ કરે તેને બે પ્રતિક્રમણની એ, નિદ્રા પહેલાં ( સંથારોરિસીની ) એક, જાગ્યા પછી ( જગચિંતામણુિનું) એક અને ત્રણેય કાળ શ્રીજિનપૂજાની ત્રણ, એમ કુલ સાત વાર ચૈત્યવન્દના થાય. જે એક વખત પ્રતિક્રમણ કરે તેને એક આછી થવાથી છ ચૈત્યવન્દના થાય, નિદ્રા પહેલાં ચૈત્યવના ન કરે તેા પાંચ અથવા બે પ્રતિક્રમણ ન કરે તા પણુ પાંચ-એમ ગૃહસ્થને માટે યથાયેાગ્ય સાત, પાંચ ચાર કે ત્રણ ચૈત્યવન્દના કરવાનું સ્વયંમેવ સમજવું. આ સાતનું પ્રમાણ તે સામાન્ય રીતિએ કહ્યું. શ્રીજિનમ ંદિરો ઘણાં હોય તે સાતથી વધારે પણ ચૈત્યવન્દના થાય. (ભાજન કરવાનું ન હેાય ત્યારે પણ પ્રતિક્રમણની એ એ ગણતાં સાત થાય.) શ્રાવકને કારણે પૂજા કરી શકાય નહિ–એવા દિવસેામાં પણ ત્રણ વખત તે દેવવન્દન અવશ્ય કરવુ. આગમમાં કહ્યું છે કે-“હે દેવાનુપ્રિય ! આજથી માંડીને જાવજીવ સુધી, ત્રણેય કાળ, સ્થિર અને શાન્ત એવા એકાગ્ર ચિત્તથી, દેવને વન્દન કરવુ'. ભેા ! ( ભાગ્યવ'ત !) અશુચિથી ભરેલા, અનિત્ય અને ક્ષણભંગુર માનવદેહના એ જ સાર છે. તેમાં પણ સવારમાં જયાં સુધી ચૈત્યવન્દન અને ગુરુવન્તન ન થાય ત્યાં સુધી સુખમાં પાણી (દાતણુ) પણુ નાખવું નહિ, મધ્યાહ્ને દેવવન્દન કર્યા વિના આહાર કરવા નહિ અને સાંજે દેવવન્દન કર્યા વિના શયનગૃહમાં જવું નહિ (સુવું નહિ).” વગેરે. અન્ય સ્થલે પણ કહ્યું છે કે
6.
सुपभाए समणोवासगस्स पाणपि कप्पइ न पाउं । नो जाब चेइआई, साहूवि अ वंदिआ विहिणा || १ ॥
,,
૮. માટે પુર્વાન, વૈવિા નિયમેળ રૂં મોજું ।
પુખ્ત સંવિળ તારૂં, પોસસમમિ તો નુ ફ ારા ’
ભાષા- શ્રાવકને સવારે જ્યાં સુધી શ્રીજિનમંદિરમાં જિનેશ્વરદેવને અને સાધુઓને વાંધા ન હાય ત્યાં સુધી પાણી પણ પીવું કલ્પે નહિ, મધ્યાહ્ને તેઓને નિયમા ફરીથી બન્દન કરીને ભાજન કરવુ ક૨ે અને સાયંકાળે પણ પુનઃ તેઓ વન્દન કરીને જ શયન કરે.” અહીં સમ્પૂર્ણ વિધિથી ચૈત્યવન્તન કરવું, તે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દના કહેવાય છે—એમ કહ્યુ છે. તે વિધિ વિસ્તારથી આગળ કહેવાશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org