SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૦. [ ધ૦ સં૦ ભા. ૧-વિ૦ ર–ગા૦ ૬૧ “ વાળ સારવો - /રજ . शिरसः करयोर्जावोः, पञ्चाङ्गः पश्चनामने ॥२॥" ભાવાર્થ-૧. માત્ર એક મસ્તક નમાવવાથી જે પ્રણામ થાય તે એક અંગી, ૨. બે હાથ જોડવાથી બે અંગી, ૩, બે હાથ જોડીને માથું નમાવવાથી ત્રણ અંગને, ૪. બે હાથ તથા બે ઢિીંચણ–એમ ચાર અંગે નમાવવાથી ચાર અંગવાળો અને ૫. બે હાથ, બે પગ તથા મસ્તક– એમ પાંચેય અંગે નમાવવાથી પંચાંગી પ્રણામ કહેવાય છે.” એમ માત્ર પ્રણામાદિથી પહેલું જઘન્ય “ચિત્યવન્દન જાણવું. “દંડક” એટલે અરિહંત ચેઈ. આણું વગેરે ચિત્યસ્તવસૂત્ર અને “સ્તુતિ” એટલે કાઉસ્સગ્ન કર્યા પછી (માત્ર અરિહંત ચેઈઆણું, અને અન્નથ૦ વગેરે કહીને કાઉસગ કરીને) સંસ્કૃત કે કઈ બીજી ભાષામાં બોલાય છે તે સ્તુતિ બોલવાથી બીજું મધ્યમ ચિત્યવદન કહેવાય છે. મધ્યમ ચેત્યવન્દનની આ વ્યાખ્યા બૃહકલ્પભાષ્યની નીચેની ગાથાના આધારે કરેલી છે. ___ " निस्सकडमनिस्सकडे वावि, चेइए सव्वहिं थुई तिणि ।। વે વ રેફયા વ, ઉ ફુ(g)વિક્રિલિયા વારિ છે ” ભાવાર્થ–“એક કેઈ ગચ્છનું હોય તે “નિશ્રાકૃત” અથવા સર્વ ગચ્છનું સાધારણ હોય તે “અનિશ્રાકૃત –એ દરેક મંદિરમાં સહુએ સામાન્યતયા ત્રણ સ્તુતિ કહેવા સુધી ચૈત્યવંદન કરવું, અથવા ચેત્યે વધારે-હેય-સમય ઓછો હોય તે તેના અનુસાર એક એક સ્તુતિથી પણ કરવું.” અહીં અરિહંત ચેઈયાણું રૂપ દંડકસૂત્રના અંતે એક સ્તુતિ કહેવાથી દંડક અને સ્તુતિ એ બેનું યુગલ થાય છે અને તે યુગલવાળું ચૈત્યવન્દન “મધ્યમ” કહેવાય છે. વળી ૧-ચક્રસ્તવ (નમુત્થણું૦) ૨. ચૈત્યસ્તવ ( અરિહંત ચેઈo ), ૩–નામસ્તવ (લોગસ્સવ ), ૪-શ્રતસ્તવ (પુક્રખરવરદી ) અને પ–સિદ્ધસ્તવ (સિદ્ધાણું બુદ્વાણું૦)–એ પાંચ દંડકસૂત્રો, ચાર સ્તુતિઓ (ને જેડા) અને પ્રણિધાનસૂત્ર(જય વીયરાય) બોલીને કરાતું ચૈત્યવન્દન તે ઉત્કૃષ્ટ દેવવન્દન કહેવાય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ ચૈત્યવન્દન વિધિ (ક૯૫) વ્યવહાર-ભાષ્યની નીચે જણાવેલી ગાથાથી જાણ. " तिणि वा कड्ढई जाव, थुईओ तिसिलोइआ । ताव तत्थ अणुण्णायं, कारणेण परेण वा(वि) ॥१॥" ભાવાર્થ-બસિદ્ધાણંબુદ્વાણું સૂત્રની ત્રણ ગાથાઓરૂપ ત્રણ સ્તુતિએ કહેવા સુધી સાધુઓને જિનમંદિરમાં રહેવાની અનુજ્ઞા છે. અથવા કેઈ વિશેષ કારણે તેથી વધુ વખત પણ રહેવાને અધિકાર છે.” આ ગાથાથી તથા “Tળદળ કુત્તપુરી” અર્થા–પ્રણિધાન એટલે “જયવીયરાય” સૂત્ર મુકતાશુક્તિ મુદ્રાથી કહેવું”—એ ચિત્યવન્દનભાષ્યના પાઠથી, એમ બને આધારેન બળે કેટલાક પૂર્વાચાર્યોએ (ચિત્યવન્દનને ઉત્કૃષ્ટ વિધિ) બતાવેલ છે. (કારણ કે-એ બન્ને પાઠેના આધારે ચાર સ્તુતિઓ પછી અડધા જયવીયરાય કહેવાનું વિધાન નક્કી થાય છે, તે તેને આગળ-પાછ ળનો સંબંધ જેવાથી સ્પષ્ટ માલમ પડે છે.) આ કથનને અનુસરતું જ શ્રીવન્દનઆવશ્યકની ચૂર્ણિમાં પણ કહ્યું છે કે “તે ચૈત્યવન્દન જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથી ત્રણ પ્રકારનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy