SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર૦ ૩-દિનચર્યા–ભાવપુજા ] ૩૬૯ ભાવાર્થ “ગાન કરવું, નાચ કરે, વાત્ર વગાડવાં, લવણુજળ, તેલુગુ ઉતારવું,) આરતી દીપક ઉતારવા, વગેરે જે જે કાર્યો છે, તે તે સર્વ અગ્રપૂજામાં ગણાય છે.” એ પ્રમાણે બીજી અગ્રપૂજાનું વર્ણન કરી હવે ભાવપૂજા કહે છે. ભાવપૂજા-શ્રીજિનેશ્વરદેવની અંગ–અગ્રપૂજા અંગેની પ્રવૃત્તિને ત્યાગ કરવારૂપ બીજી વાર નિસિહી કહેવાપૂર્વક, જે સ્થલને સંકોચ ન હોય તે આશાતનાને ટાળવાના ઉદ્દેશથી જઘન્યથી શ્રીજિનપ્રતિમાથી નવ હાથ અને તેટલી જગ્યા ન હોય તે ઓછામાં ઓછું અડધે હાથ પણ દૂર બેસવું, વધુ દૂર બેસવું પડે તે (જિનેશ્વરના અવગ્રહથી બહાર) ઉત્કૃષ્ટથી સાઈઠ હાથ દૂર બેસવું. તેમાં પણ પુરૂષે શ્રીજિનેશ્વરદેવની જમણી (પિતાની ડાબી) બાજુએ અને સ્ત્રીએ ડાબી બાજુએ બેસીને વિશિષ્ટ સ્તુતિ, સ્તવન વગેરેથી ચૈત્યવદન રૂપ ભાવપૂજા કરવી. કહ્યું છે કે તા ૩ માત્રપૂSા, કાઉ વિવંતરિ .. जहसत्ति चित्तथुइथुत्त-मारणा देववंदणयं ॥१॥" ભાવાર્થ-બત્રીજી ભાવપૂજા એટલે ચિત્યવંદનને યોગ્ય ઉચિત પ્રદેશ (જગ્યા)માં બેસીને યથાશકિત જુદાં જુદાં સ્તુતિ, સ્તોત્રો વગેરેથી દેવવંદન કરવું.” નિશીથસૂત્રમાં પણ કહ્યું છે કે “સ ગંધારણાવો બાપુરિ શુળતો તા શિક્ષિા મો નિરિ” અર્થાત્ “તે ગંધાર શ્રાવકે સ્તવન-સ્તુતિઓ વડે સ્તવના કરતાં કરતાં સપૂર્ણ અહેરાત્રી સુધી ત્યાં પર્વતની ગુફામાં નિવાસ કર્યો, ” વસુદેવહિંડીમાં પણ કહ્યું છે કે-“વસુદેવો પ્રબૂકે વમત્તલાવવામrગના - અપવાનો થઉત્તજુવો ”િ અર્થાત્ જેણે પ્રભાતકાળે સમગ્ર શ્રાવકની કરણીરૂ પસામાંયિક વગેરેને નિયમ પૂર્ણ કર્યો છે, જેણે પચ્ચક્ખાણ ગ્રહણ કર્યું છે તથા જેણે કાઉસ્સગ, સ્તુતિ, વન્દન કર્યા છે એ વસુદેવ” ઇત્યાદિ. એ પ્રમાણે અનેક ગ્રંથોમાં શ્રાવક શ્રાવિકા વગેરેએ પણ કાઉસ્સગ, સ્તુતિ, સ્તવન વગેરેથી ચૈત્યવંદના કરવાનું કહેલું છે. ભાવપૂજારૂપ તે ચૈત્યવન્દના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ-એમ ત્રણ પ્રકારની છે કહ્યું છે કે “ નાળ =મા, વિફાં મગ્ન સંઘુગુણા | पणदंड-थुइचउक्कग,-थयपणिहाणेहिं उक्कोसा ॥” (चैत्य० मूल भा० गा० २३) ભાવાર્થ-“ નવકાર વડે, એટલે બે હાથ જોડીને મસ્તક નમાવવારૂપ પ્રણમ માત્રથી, અથવા “નો રહૃતા' વગેરે એક નવકારથી, અગર જેમાં નમસ્કાર કરેલું હોય તેવા એક કે એકથી વધારે કે, કાવ્ય, વગેરે બાલવાપૂર્વક નમસ્કાર કરવા માત્રથી જે વન્દના કરવામાં આવે તેને જઘન્ય ચૈત્યવંદના કહી છે; કારણ કે–તેમાં બોલવાનું અપ અને એક પ્રણામરૂપ જ ક્રિયા પણુ અલ્પ છે. આ પ્રણામ પાંચ પ્રકારનું છે. કહ્યું છે કે “ પ્રકાશિત નામે, ચાર જજોયો | ગવાન નામને ચા, વાયોર શિરસદતથા શા” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy