________________
સૂરીશ્વરજી મ.નું જીવન ચરિત્ર]. સન્માનતા હતા, તથાપિ પોતે કોઈ કાર્યમાં ગુરૂ આશાની લેશ પણ ઉપેક્ષા કરતા નહિ. પૂ. ગુરૂદેવની આજ્ઞાનુસાર સર્વ પ્રવૃત્તિ કરતા, ગુરૂદેવની સેવામાં સ્વયં હોવા ઉપરાંત શારીરિક નાદુરસ્તીને લીધે પોતાના શિષ્ય-પ્રશિષ્યોને રાખીને એ રીતે ગુરૂની વૈયાવચ્ચનો લાભ લેતા. એના ફળ સ્વરૂપ ગુરૂ–પ્રેમ એ દઢ બનાવ્યું હતું કે અંતકાળે ગુરૂના ખેાળામાં માથું મૂકી તેઓના ચરણે આત્માને સમર્પિત કરી અંતિમ સમાધિની સાધના કરી શક્યા હતા. એ દશ્ય તે જેણે નજરે જોયું હોય તે જ ગુરૂ પ્રેમનું માપ કાઢી શકે. પૂર્ણ વૃદ્ધ ગુરૂદેવ સવારથી તેઓને નિજામણા કરાવવા હાજર રહ્યા હતા, જોડે જ પાટ ઉપર બેસીને શિષ્યનું મસ્તક પિતાના ખોળામાં લઈને જાણે પિતાનું સર્વસ્વ હાય તેમ તેઓને સમાધિસ્થ બનવા માટે વારંવાર જાગ્રત કરી રહ્યા હતા. શિષ્ય પણ સ્વયં જ્ઞાની અને સત્વશાળી છતાં ગુરૂદેવની સામે તે એક અદના સેવકની નીતિ આદરી તેઓના અતુલ ઉપકારનું વારંવાર સ્મરણ કરતા તેઓના એક એક આદેશને “તહત્તિ” કહી સ્વીકારી રહ્યા હતા, છેલ્લા શ્વાસ સુધી ગુરૂના ખોળામાં મસ્તક મૂકી સમાધિ કેળવવાનું આવું અનુપમ ફળ મેળવનાર તરીકે એ મહાત્માની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી જ છે.
સંયમને રાગ-સંયમને રાગ તેઓનો વિશિષ્ટ હતે. સમિતિ-ગુપ્તિના પાલનમાં તેઓશ્રી સદેવ ખૂબ જાગ્રત રહેતા, સાધુતાને શોભે તેવી ગંભીર અને ઈસમિતિ પૂર્વકની તેઓની ચાલ જેનારને પણ સંયમની પ્રેરણા આપતી. ભાષામાં મર્યાદા–મધુરતા–મિતાક્ષરતાનિરવદ્યતા-ગંભીરતા–હિતસ્વિતા વિગેરે એટલા બધા ગુણે હતા કે સાંભળનારને તૃપ્તિ થતી જ નહિ, પ્રભુત્વ પણ એટલું સુંદર હતું કે તેઓશ્રીના મુખમાંથી નીકળેલ શબ્દ કેઈ ઉત્થાપી શકતું નહિ. તેઓ કદી કેઈનું જરા પણ ઘસાતું ન બેલતા, ન્હાનામાં ન્હાના પણ બીજાના ગુણને જોઈ તેઓ પ્રસન્નતા જાહેર કરતા, એમ છતાં કેઈની ખોટી અહિતકર પ્રશંસા ન થઈ જાય તે માટે પણ તેઓશ્રી ખૂબ જાગ્રત હતા. કડક શબ્દને ઉપયોગ કરતાં પણ તેઓનું હદય વાત્સલ્ય અને હિતસ્વિતાથી એવું ભરેલું રહેતું કે સાંભળનારને તે ઉપકારીરૂપે જ સમજાતા. આહાર–પાણી આદિ સંયમપકારક જરૂરી વસ્તુઓમાં ઓછામાં ઓછા દેષથી કેમ નિવાહ થાય તે માટે તેઓની સતત્ કાળજી હતી. માંદગીના પ્રસંગે અપવાદને આશ્રય કેઈવાર લેવું પડે તે એટલું દુઃખ થતું કે હદય વેદના શબ્દો દ્વારા પ્રગટ થઈ જતી. ઘણીવાર પિતાના શિષ્ય-પ્રશિષ્યાદિને એ કહી દેતા કે અમારા અશુભદયે માંદગીના કારણે અમારે દેષ સેવવા પડે છે, તેનું વિના કારણું અનુકરણ તમારાથી ન થઈ જાય તે માટે સાવધ રહેજો. બેસવા–ઉઠવામાં, લેવા-મૂકવામાં, પૂજવા–પ્રમાર્જવાની કાળજી અજબ હતી, ગૃહસ્થ પાસે એક ન્હાનું પણ કામ કરાવવામાં તેઓ ખૂબ સંકેચાતા, વારવાર સંયમ શુદ્ધિ માટે શિષ્ય વર્ગને કરાતાં તેઓનાં સૂચને ખરેખર આંતર સંયમનાં બાહ્ય ઝરણાં જ હતાં એમ કહેવું તેમાં અતિશયોક્તિ નથી. શત્રુનું પણ હિત ચિંતવવું, કેઈની સાથે વિર ન થાય કે કેઈ કારણે થયું હોય તો તે તૂત મટી જાય, એવી તેઓશ્રીની સ્વ-પરહિત સાટે સતત કાળજી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org