SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર. ૩-દિનચર્યા–અંગપૂજા] "ता नज्जई नो दोसो, करणे चउवीसवट्टयाईणं ॥ आयरणाजुत्तीओ, गंथेसु य दिस्समाणत्ता ॥२॥" | (સંપ વિધિ ૨૭૮-૨૭૧) ભાવાર્થ–“ વળી પરિકરમાં રહેલા, માલાધર આદિ દેવનું સ્નાત્ર( પ્રક્ષાલ) નું પાણી વગેરે શ્રીજિનપ્રતિમાના અંગને સ્પર્શ કરે, કે પુસ્તક વગેરેનાં પાનાંને એકબીજાને-નીચે-ઉપરનાને પરસપર સ્પર્શ વગેરે થાય, તે પણ તેમાં દોષ જણાતું નથી, કારણ કે-ચોવીસી પટ્ટક વગેરે ભરાવવાની પ્રાચીન આચરણું (પરંપરા) છે અને શાસ્ત્રગ્રંથોમાં પણ તે પ્રમાણે આધારો મળે છે. જે અશાતના-દેષ હોય તે એવા પદ્ધ વગેરે બનાવવાની પરંપરા ચાલે નહિ; ઊલટું શાસ્ત્રમાં તેના દોષનો ઉલલેખ કર્યો હોત. વળી ચિત્યવંદન–મહાભાષ્યમાં પણ કહ્યું છે કે – " जिणरिद्धिदंसणत्थं, एगं कारेइ कोइ भत्तिजुओ । पायडिअपाडिहेरं, देवागमसोहियं चेव ॥१॥" “હંસT-ના-રિપssiાજને નિષ્યિ છે परमिट्टिनमोकारं, उज्जमिउं कोई पंच जिणा ॥२॥" " कल्लाणयतवमहवा, उज्जमिउं भरहवासभावि त्ति । बहुमाणविसेसाओ, केई कारिति चउवीसं ॥३॥" • उक्कोसं सत्तरिसय, नरलोए विहरइत्ति भत्तीए । सत्तरिसयं पि कोई, बिंबाण कारह धणड्ढो ॥४॥" ભાવાર્થ–“ તીર્થકર (પણું ) ની અદ્ધિનાં દર્શન કરવાના ઉદેશથી ભકિતવંત શ્રાવક પ્રાતિહાર્યો તથા દેવનાં આગમન વગેરે ( પરિકર કે સમવસરણ) યુક્ત અમુક કોઈ એક તીર્થ કરની પ્રતિમાને બનાવરાવે, કઈ જ્ઞાન, દર્શન અને ચારિત્ર—એ ત્રણેયની આરાધના માટે ભેગી ત્રણ પ્રતિમાઓને ભરાવે, પંચપરમેષ્ટિ શ્રીનમસ્કાર મહામંત્રની આરાધના કરીને તેના ઉજમણુ અર્થે કઈ પાંચ જિનેશ્વરદેવેની ભેગી (પંચતીથી) પ્રતિમા કરાવે અથવા તે કોઈ ભરતક્ષેત્રમાં થયેલા વીશ જિનેશ્વરનાં કલ્યાણકને તપ કરીને ઉજમણુમાં બહુમાનપૂર્વક તેઓ દરેકની પ્રતિમાઓને ચોવીશીપટ્ટક (વીસપટ્ટો ) ભરાવે અને કેઈ ધનાઢય તે ભક્તિના ચોગે મનુષ્યલોકમાં (પંદર કર્મભૂમિમાં ઉત્કૃષ્ટા) એકસેસીત્તેર જિનેશ્વર વિચારતા હોય માટે તે એકસીત્તેર તીર્થકરને પટ પણ કરાવે.” એ પ્રમાણે કહેલું હોવાથી ત્રણતીથી, પંચતીર્થી, વીશીપક વગેરે કરાવવાં તે અસંગત નથી પણ વ્યાજબી છે અને એ પ્રતિમા ભરાવવાનું વિધાન છે તે સર્વેને એકીસાથે પ્રક્ષાલકરવાથી એકબીજાના પ્રક્ષાલના પાણીને પરસ્પર સ્પર્શ થાય તે પણ કઈ દેષ નથી. અંગલુછણ, હાથ વગેરે પ્રતિમાના પ્રક્ષાલ માટેના પાણીના પાત્રમાંથી પાણી લઈને દેવાં નહિ, પણ બીજા પાત્રમાં રાખેલા શુદ્ધ પાણીથી ધોવા. અર્થાત્ શ્રીજિનપ્રતિમાના બહુમાનની ખાતર, એક જ જાતિનાં હોવા છતાં, ચંદન, પાણી વગેરે દ્રવ્ય પૂજા માટે જુદાં રાખવાં અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy