________________
બ૦ ૩-દિનચર્યા–મુખકેશ, કેશર ને નિર્માલ્યનું સ્વરૂ૫]
૩૬૧ સર્વ કાર્યો નિષ્કપટભાવે “યત્નપૂર્વક (પિતાને આત્મા ન ઠગાય તેમ) કરવાં, એ હકીક્ત સર્વ અધિકારોમાં યથાયોગ્ય સમજી લેવી. શ્રીજિનપૂજા કરતાં આ રીતિએ મુખકેશ બાંધે તે યુક્તિથી પણ વ્યાજબી છે, કારણ કે-સેવકે પણ પિતાના સ્વામી (રાજા વગેરે) ને જ્યારે અંગમર્દન કે દાઢી-મૂછની રચના વગેરે કરવું હોય ત્યારે તે પ્રમાણે મુખ બાંધીને જ કરે છે. કહ્યું છે કે
વંધિત્તા જાણવો, વાળ વાળrg પોgિ |
पत्थिवमुवासए खलु, वित्तिनिमित्तं भया चेव ॥१॥" ભાવાર્થ-“હજામ આજીવિકાને અર્થે (રાજાના કેપના) ભયથી આઠગુણ (આઠ પડા) વસ્ત્રથી મુખ બાંધીને રાજાની ઉપાસના (હજામત વગેરે સેવા) કરે છે.”
એ મુખ બાંધવાને અંગે જણાવ્યું તે પછી પ્રમાર્જન કરેલા–પવિત્ર ઓરસીયા ઉપર જેમાં ત્રસ જ ન હોય તેવું, શુદ્ધ કરેલું અને જાતિવત (ઉત્તમ-પવિત્ર) કેસર કપૂર વગેરેની સાથે ચંદન (સુખડ) ઘસીને બે પાત્રમાં જુદું જુદું ઉતારવું, વધુમાં ત્રસ વગેરે જીવો ન હોય તેવા શુદ્ધ કરેલા ધુપ, ઉત્તમ ધીને પૂર્ણ દીપક, અખંડ અને નિર્મળ અક્ષત (ચોખા), સોપારી, ઉત્તમ જાતિનું તાજું (બીજાએ નહિ ચાખેલું) નૈવેદ્ય, સુંદર ઉત્તમ જાતિનાં તાજાં ફળ, નિર્મળ–શુદ્ધ પાણીથી ભરેલાં પાત્રો (કળશ) વગેરે સર્વસામગ્રીને મેળવવી. એ પ્રમાણે પૂજાનાં દ્રવ્યની પવિત્રતા સાચવવી. ભાવની શુદ્ધિ (પવિત્રતા) તે રાગ-દ્વેષ-કષાય-ઈર્યા–આ લેક પરલોકનાં જડ સુખોની ઈચ્છા, કુતૂહલ–વ્યાક્ષેપ (ચિત્તની ડામાડોળ દશા) વગેરેને ત્યાગ કરવાપૂર્વક ચિત્તની એકાગ્રતા સાધવાથી થાય છે. કહ્યું છે કે
મનોવાવવોર-જૂનીપરિયા
શુદ્ધિ સાવિષા જા, શ્રી જૂનનો શા * ભાવાર્થ“મન-વચન-કાયા-વસ્ત્ર-ભૂમિ તથા પૂજાની સામગ્રીની વિશુદ્ધિ અને ચિત્તની સ્થિરતા એ સાત પ્રકારની શુદ્ધિ શ્રીઅરિહંત પરમાત્માની પૂજા વખતે કરવી.”
એમ દ્રવ્ય અને ભાવથી પવિત્ર થઈને ઘરમંદિરમાં પ્રવેશ કરે. કહ્યું છે કે –
૧૧. પૂજામાં કેસર-બરાસ સાથે જ ચંદનને અધિકાર છે. એકલા ચંદનની પૂજા અયોગ્ય છે. જ્યાં જ્યાં ચંદનપૂજા વગેરે શબ્દો આવે છે, ત્યાં ત્યાં કેસમિશ્રિત ચંદન સમજવું. કેસર કરતાં ચંદનનું પ્રમાણ વધુ રાખવાનું હોવાથી માત્ર ચંદન શબ્દ વાપરવામાં આવે છે, વ્યવહારમાં પણ એમ જ બોલાય છે, લાડુ સાથે દાળ, શાક વગેરે હોવા છતાં જમણ લાડુનું કહેવાય છે. વળી કૃપણુતા કે અશકિતના યોગે હલકું-બનાવટી કેસર વાપરવું તે પણ અયોગ્ય છે. પૂજામાં થોડાં પણ ઉત્તમતમ બે જ વાપરવાં જોઈએ. કેસરપૂજા શાસ્ત્રમાં કહી છે તે અહીં કહેલા કેસર’ શબ્દથી સ્પષ્ટ છે,
૧૨. પંડિત શ્રીવીરવીજયજી મહારાજ સાત શુદ્ધિ માટે કહે છે કે ,
અંગે વસન મન ભૂમિકા પૂજેપકરણ સાર; ન્યાયકન્ય વિધિશુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર.” વળી શ્રીહરિભકવિકૃત સાધ પ્રકરણ ગા૦ ૧૩૦ માં ધન, વસ્ત્ર-ક્ષેત્ર-મન-વચન-કાયા અને પૂજેપકરણ એ સાત શુદ્ધિ જણાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org