________________
પટ
પ્ર. ૩-દિનચર્યા-પૂજામાં વસ્ત્ર કેવાં વાપરવાં? ]. કપે નહિ. ૮ પૂજાને માટે મુખ્યતાએ અતિ ઉત્તમ અને ધેલું-હીરેદક વગેરેના જેવું સફેત વજ રાખવું. નિશીથસૂત્ર વગેરેમાં ઉદાયન રાજાની પટ્ટરાણી પ્રભાવતી વગેરેનાં પૂજાનાં વસ્ત્રો ધાયેલાં સફેત કહેલાં છે. શ્રાદ્ધદિનકૃત્ય–ગા. ૨૪ માં પણ અવનિર્બસ એ પાઠથી “પવિત્ર સફેદ બે વસ્ત્રો પહેરવાનું જણાવ્યું છે. જે એવા ઉત્તમ, ક્ષીરાદક વગેરે વસ્ત્ર વાપરવા જેટલી શક્તિ-સંપત્તિ ન હોય, તો પણ કોમળ શણ્યું વગેરે ધાયેલું ઉત્તમ વસ્ત્ર પૂજા માટે પહેરવું. ૫. શ્રીહરિભદ્રસૂશ્વરજી મકૃત પૂજાડકમાં કહ્યું છે કે વિતરામલેરિ આને ટીકામાં ઉજવળ કે શુભ વસ્ત્રથી એ અર્થ કર્યો છે. તેમાં “શુભ એટલે સફેત સિવાયનું બીજું પણ ઉત્તમ જાતિનું રાતા, પીળા વગેરે રંગવાળું વસ્ત્રયુગ્મ (બે વસ્ત્રોની જેડી) સમજવું –એ અર્થ કહેલ છે, વળી મૂળ આગમાં પણ ઘણાં સ્થાએ “
રાઈ ઉત્તરાણ કરે એ પાઠ આવે છે, તેથી ઉત્તરીય (ઉત્તરાસંગ) અખંડ હોવું જોઈએ, બે કપડાનું સાંધેલું નહિ, વળી પૂજાનાં તે (બે) વસ્ત્રોથી ભેજન વગેરે કાર્યો કરવાં નહિ, કારણ કે–પસીન વગેરેથી તે અપવિત્ર બને. વપરાશ અનુસાર તેને વારંવાર ધોવાં, ધૂપ દેવે વગેરે કરી પવિત્ર રાખવાં, બીજાનાં પૂજાનાં વસ્ત્રો પણ બને ત્યાં સુધી પહેરવાં નહિ, તેમાં પણ બાળ, વૃદ્ધ કે સ્ત્રી વગેરેનાં તે ખાસ કરીને પહે. રવાં નહિ. પૂજાનાં કપડાંથી પરસે, લેમ્પ વગેરે સાફ નહિ કરવાં અને બીજાં વાપરવાનાં કે વપરાતાં કપડાંથી પૂજાનાં કપડાં જુદાં મૂકવાં–ભેગાં એક સ્થાનમાં નહિ મૂકવાં. અહીં સુધી મૂલ ચાલુ ૬૧ મા શ્લોકમાં જણાવેલા “વિધિપૂર્વક સ્નાન કરીને એ અંશનું વિશેષ સ્વરૂપ કહ્યું. હવે “વિધિપૂર્વક શ્રીજિનભૂતિઓનું પ્રક્ષાલન-સ્નાત્ર કરીને એ અંશનું વર્ણન કરે છે.
પ્રતિમાને પ્રક્ષાલ-પૂજાને અંગેની પુષ્પ વગેરે સઘળી સામગ્રી મેળવ્યા પછી પ્રક્ષાલ
. ૮. પૂજાની સાત પ્રકારની શુદ્ધિમાં અંગશુદ્ધિ અને વસ્ત્રશુદ્ધિ પણ કહી છે, વિધિપૂર્વક રનાન કર્યા પછી જે શરીર સાફ કરે નહિ કિંવા મેલા કપડાથી સાફ કરે, તે સ્નાન કરવા છતાં તે ન કરવા બરાબર થાય છે. વળી જે પૂજાનાં ક્યાં મેલાં-દુર્ગધવાળાં હોય તે સ્નાન નિષ્ફળ થાય છે. વિશેષમાં સ્નાન કર્યા પછી કામળી વગેરે બદલ્યા વિના જ પૂજાનાં કપડાં પહેરવાનું, પહેરવાનાં સામાન્ય કપઢાંની સાથે પૂજાનાં કપડાં મુકવાનું, ગમે તેનાં પૂજાનાં કપડાં બીજા ગમે તેણે પહેરવાનું, કલાકોના કલાકે સુધી વિના કારણે પણ પૂજાનાં કપડાં પહેરી રાખવાનું, ચાલુ પહેરવાનાં છેતીયાં ધાયેલાં હોય તેનાથી પ્રભુપૂજા કરવાનું. ફાટેલાં–જડાં કે હલકી કિંમતનાં કપડાં પૂજામાં પહેરવાનું, મુખકેશ માટે રૂમાલ વગેરે જુદા રાખવાનું, પૂજા માટે પહેરેલાં કપડાંથી જ તે વખતે પસીને વગેરે સાફ કરવાનું, હાથ વગેરે લૂછવાનું કે કેસર ફૂલ વગેરેની વાટકીએ--રકાબીઓ સાફ કરવાનું, કપડાનાં છેડામાં કૂલ-ચેખા-બદામફળ વગેરે લેવા કરવાનું, ઈત્યાદિ સર્વ આશાતનાનું કારણ છે. તે સહુએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ. પૂજાથી પણ આજ્ઞાપાલનને મહિમા વધારે છે તે ભૂલવું જોઈએ નહિ. આમાં મુખ્યતયા અનાદર સમયને અભાવ, ખર્ચ થવાને ભય, પ્રમાદ કે અજ્ઞાન વગેરે કારણે હોય છે, પણ એવાં નવાં કારણોથી થતી ભૂલે પૂજાના ફળથી વંચિત રાખી ઊલટી આશાતનાના દોષને વધારે છે. પરિણામે પૂજાના ઉત્તમ કાર્યની મલિનતા વધવાથી અન્ય જેને પણ પૂજા જેવા આત્મકલ્યાણના કાર્ય તરફ અનાદર-અણગમો વધવાથી મોટું નુકશાન થાય છે. પૂર્વપુરુષોએ મહાકણે જાળવી રાખેલી અનુદાનની શુદ્ધિ, વિધિ અને મર્યાદાને વિશેષ જાળવી રાખવામાં જ હિત છે-શાસનસેવા છે–પ્રભુઆજ્ઞાનું પાલન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org