SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૮. [ ધ સં૦ ભાટ ૧ વિ૦ ૨–ગા૦ ૬૧ શકાય; કારણ કે-શરીરની પવિત્રતા વિના સ્વયં અંગપૂજા કરવાથી, આશાતના સંભવિત હોવાથી નિષેધ કરે છે. કહ્યું છે કે "निःशूकत्वादशौचेऽपि, देवपूजां तनोति यः। -તિવૈર્ય, માતાઃ અવશ્વામિ શા" " ભાવાથ–“પિતાના શરીરની પવિત્રતા નહિ છતાં નિર્ધ્વસ પરિણામથી જે દેવપૂજા કરે છે તે અને જમીન ઉપર પડી ગયેલાં પુલોથી જે દેવપૂજા કરે છે તે અને ચાંડાલ થાય છે.” અહીં સુધી કહ્યું. તે પ્રમાણે વિધિપૂર્વક સ્નાન કર્યા પછી પવિત્ર અને કેમળ ગંધકાષાયિક (સુગંધીવાળા ઉત્તમ વસ્ત્ર) વગેરેથી શરીરને બરાબર લૂછવું, પછી પૂજાનાં કપડાં સિવાયના (ઊન, શણ વગેરેના) સૂકા વસ્ત્રથી સ્નાનથી ભિંજાયેલું વસ્ત્ર બદલવું. તે પછી ભિંજાયેલા પગથી ભૂમિને સ્પર્શ ન થાય તેમ પવિત્ર સ્થાને આવીને, ઉત્તર દિશામાં મુખ રાખીને પૂજા માટેનાં સાંધ્યા વગરનાં, અખંડ, ઉત્તમ જાતિનાં અને નવાં અધરીય તથા ઉત્તરાસંગ-એમ બે શ્વેત વસ્ત્રો પહેરવાં. કહ્યું છે કે વિશુદ્ધિ વપુઃ શ્રવા, યથાર્થ નાલિમિટ પૌતા વણીત છે, વિશ પૂર્તિ . ” ભાવાથ–“જળ વગેરેથી યથાયોગ્ય શરીરની શુદ્ધિ કરીને એલાં અને ધૂપથી ધુપેલાં બે શુદ્ધ વસ્ત્રો (પૂજા કરવા માટે) પહેરવાં.” લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે “ર શુ ધિત વ, વેવમણિ ભૂમિ! | न दग्धं न तु वै च्छिन्नं, परस्य तु न धारयेत् ॥१॥" "कटिस्पृष्टं तु यद्वस्त्रं, पुरिषं येन कारितम् । લય સૈન વાજિ, તહં વિના મારા " "एकवस्त्रो न भुञ्जीत, न कुर्यादेवतार्चनं । न कक्षुकं विना कार्या, देवार्चा स्त्रीजनेन तु ॥३॥" ખાવાથ–“હે રાજન (યુધિષ્ઠિરે)! દેવની પૂજા વગેરે કાર્યોમાં સાંધેલું, બળેલું કે ફાટેલું વસ્ત્ર પહેરવું નહિ તેમજ બીજાનું (પહેરેલું) પણ પહેરવું નહિ. (૧) તથા જે વસ્ત્ર કહેડને લાગેલું હેય (અર્થાત કે કાપાટીયું, લંગોટ કે ચડ્ડી વગેરેના જેવું હોય) અથવા જેનાથી ઝાડે, પેશાબ કે મિથુન વગેરે કર્યું હોય, તે વસ્ત્ર (દેવકાર્યોમાં) પહેરવું નહિ. (૨) પુરુએ માત્ર એક જ વસ્ત્ર પહેરીને ભજન અને દેવપૂજન કરવું નહિ તથા સ્ત્રીઓએ કંચુક (કાંચળી) વિને દેવપૂજન કરવું નહિ (૩)” આ પ્રમાણે પુરુષને બે વસ્ત્રા વિના અને સ્ત્રીઓને ત્રણ વચ્ચે વિના દેવપૂજા વગેરે કરવું ૭. પૂજા માટે વપરાતાં કપડાં પસીનાથી દુર્ગંધવાળાં થઈ જવાથી કેવી આશાતના થાય, તે આ હકીકત ' ઉપરથી સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy