SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫ સૂરીશ્વરજી મ.નું જીવન ચરિત્ર] વિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરીશ્વરજી) નું ચાતુર્માસ સુરતમાં થયું. વિ. સં. ૧૯૫૭ ના અષાઢ સુદ ૧૧ ના રોજ તેઓશ્રીની ગ્યતા જોઈ ત્યાં બિરાજમાન પ્રશાન્તમૂર્તિ પૂ પન્યાસજી મહારાજ શ્રી ચતુરવિજયજી ગણિવરના હસ્તે ઘણું સમારોહપૂર્વક સકળ સંઘે તેઓને ગણ-પંન્યાસ પદારૂઢ કરાવ્યા. તે પછી ચોમાસામાં વ્યાખ્યાન શ્રવણ આદિથી પરિચય વધ્યો અને તેઓની પાસે દીક્ષા લેવાની મુલચંદભાઈની ભાવના દઢ બની ગઈ. પિતાની ભાવના તેઓએ પૂ. પંન્યાસજી મહારાજ શ્રી સિદ્ધિવિજયજી ગણિવરને જણાવી અને તેઓને ભરયૌવન વયમાં ઉચ્ચ વૈરાગ્ય, ત્યાગ, વિનય, જ્ઞાનને આદર, વિગેરે ગુણોથી પરિચિત પૂ. પંન્યાસજી મહારાજે તેને સ્વીકાર પણ કર્યો, ચાતુર્માસ પછી તુર્ત પિતાના પ્રશિષ્ય મુનિરાજ શ્રી સંપતવિજયજી આદિને દીક્ષા માટે વિહાર કરાવ્યો અને તેઓની આજ્ઞાનુસાર વિ. સં. ૧૯૫૮ ના કારતક વદ ૯ ના રોજ શ્રી મીયાગામ (કરજણ)માં ત્યાંના સંઘના સપૂર્ણ ઉત્સાહ વચ્ચે તેઓશ્રીએ મુલચંદભાઈને ભાગવતી દીક્ષાથી વિભૂષિત કરી પૂ. પંન્યાસજી મહારાજશ્રી સિદ્ધિવિજયજી ગણના શિષ્ય તરિકે મુનિ શ્રી મેઘવજયજી નામ આપ્યું. ત્યાંથી થોડા દિવસમાં વિહાર કરી છાણી પધાર્યા અને પૂ. પંન્યાસજી મહારાજ આદિ પણ છાણી આવી પહોંચ્યા. નૂતન મુનિ શ્રી મેઘવજયજીને ગહન કરાવી વડી દીક્ષા ત્યાં આપી. આ વખતે સુરતના સંઘના કેટલાય શ્રાવકે ત્યાં આવ્યા હતા અને મુનિ શ્રી મેઘવિજયજીની દીક્ષાની અનુમોદના--પ્રશંસા કરી પોતાની કૃતજ્ઞતાને સફળ કરી ગયા હતા. શાસ્ત્રાભ્યાસની રૂચિ – રતલામના સંઘના આગ્રહથી ચાતુર્માસ માટે છાણથી પૂ. પન્યાસજી મહારાજ આદિ સર્વ મુનિવરને વિહાર માળવા તરફ થ અને ચોમાસું રતલામમાં રહ્યા. મુનિ શ્રી મેઘવિજયજીનું આ પ્રથમ ચાતુર્માસ હતું, ગૃહસ્થાવસ્થામાં શિક્ષકનું સ્થાન અનુભવનારા તેઓએ સાધુતાને પામ્યા પછી એવું વિદ્યાર્થી જીવન બનાવ્યું કે સાંભળવા પ્રમાણે વિદ્યાભ્યાસમાં દત્તચિત્ત બનેલા તેઓ ગૃહસ્થના પરિચયથી તદ્દન દૂર રહ્યા. ત્યાં સુધી કે ચાર–ચાર માસ રહેવા છતાં રતલામના સંઘના ઘણા શ્રાવકે તેઓને જાણું પણ ન શક્યા, કે વિદ્યાવ્યાસંગ? કેવી નિરીહતા? વાત પણ સાચી છે કે–અનાદિકાળથી લાગેલા જ્ઞાનાવરણીય કર્મને પડદો જે આત્મા ઉપરથી ઉતાર હોય તે જે તે વિષયમાં અનધિકાર ચેષ્ટાઓથી દૂર રહેવું જ જોઈએ. સાચા ઉદ્યમ વિના વિદ્યા પ્રાપ્ત કરી શકાતી નથી, જગતની નકામી પંચાતમાં પડનારા વિશિષ્ટ શક્તિવાળા આત્માઓ પણ માગ ચૂક્યા છે તે સામાન્ય આત્માનું શું ગજું? (વીતરાગના શાસનની આત્મહિતકર વ્યવસ્થા ઘણી ઉંચી છે, સાધુ ગૃહસ્થના પરિચયથી દૂર રહે અને ગૃહસ્થ બને તેટલો વધુ સાધુના પરિચયને સાધી સંસારની વાસનાને કાપવાનું બળ કેળવે. આ એક અજબ કોયડે છે-જમાડનારને સમજાવવું કૃપણુતા કરીશ નહિ, ખામી રાખી તે ભૂલે, થાય તેટલી ભક્તિ કરી લેજે! અને જમનારને કહેવું “સંભાળજે, છોડાય તેટલું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy