SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ [સ્વ. પૂo આ. શ્રી વિજય મેઘથયા પછી તો ત્યાગી થતા પહેલાં વિદ્ગોની પરંપરા ઊભી થાય છે, હિતસ્વીપણાને દા કરનારા પણ આડા આવે છે, પિતે કપેલી સ્વાર્થ હાનિ માનીને દીક્ષા લેનારની ઈચ્છાને સખ્ત વિરોધ પણ કરે છે. મુલચંદભાઈ તે સુગ્ય હતા, તેઓની સહુને જરૂર હતી, એથી દૂરના સંબંધી છતાં માતા-પિતા તુલ્ય નેહ-વાત્સલ્ય ધરાવનારા સંબંધીઓને વિરોધ ઊડ્યો અને ઈચ્છા પ્રબળ છતાં વિવેકી મુલચંદભાઈ તત્કાળ દીક્ષા લઈ શક્યા નહિ, કાળક્ષેપ કરો ઉચિત માની ગ્ય સમયની રાહ જોતા રેકાઈ ગયા. હા, સાધુપણું ન લેવાય ત્યાં સુધી જ્ઞાન મેળવવું અને આપવું એ જ તેઓએ ઉચિત માન્યું. જ્ઞાનદાનનું ધ્યેય --“ગ્ય ઉમ્મરે સ્વાશ્રયી બનવું જોઈએ એ સિદ્ધાન્તને અનુસરી હવે પછીથી પાર્જિત કમાઈથી નિષ્પાપ જીવન ગુજારવા માટે તેઓએ શિક્ષકનું જીવન પસંદ કર્યું, એ માટે મેગ્યતા તે મેળવી જ હતી એટલે તુર્ત નોકરી મેળવી લીધી અને દીક્ષા ન લેવાય ત્યાં સુધી સાધુતા માટે આત્માને કેળવવાની તક પણ તેમણે એ જીવન દરમીયાન સાધી લીધી. ભિન્ન ભિન્ન સ્થળે સ્કૂલોમાં વિદ્યાભ્યાસ કરાવતાં અનેક જીના જીવન ઘાટ ઘડ્યા. તેઓનું ધ્યેય માત્ર ભણાવવાનું ન હતું પણ વિદ્યાર્થીઓના જીવનને ઘડવાનું હતું, એથી તેઓના હાથ નીચે ભણનારા પિકી ઘણાઓને તેઓએ સદાચાર પ્રધાન બનાવ્યા. છેલ્લે તેઓશ્રી સુરતમાં ચાલતી શ્રી રત્નસાગરજી જૈન પાઠશાળાના અધ્યાપક થયા. ત્યાંના વિદ્યાર્થીઓ ઉપર એ ઉપકાર કર્યો કે વિદ્યાથી વગે ખરેખર સંબંધીઓ કરતાં ય વધુ રાગથી તેમને દીક્ષા લેતાં રોક્યા. રાગ એ વિષમ શત્રુ છે કે જે આત્મા જાગ્રત ન રહે તે પ્રારંભમાં હિતસ્વીપણાને (પ્રશસ્તતાને) દેખાવ કરી પરીણામે શત્રુ (અપ્રશસ્ત) બની જાય છે. ઉપકારી ગુરૂ તરીકેનું માન છતાં વિદ્યાર્થીઓના રાગે એ જ ભાવ ભજવ્યો. પણ જાગ્રત મુલચંદભાઈ ઉપર તેની કંઈ અસર થઈ નહિ. - વૈરાગ્યની દઢતાને એક પ્રસંગ:--એમ મુલચંદભાઈ સંસાર તરફ ઉદાસીન તે હતા જ, વૈરાગ્ય દઢ થતો જતો હતો, તેમાં વળી સંસારની અનિત્યતાના આકરા અનુભવે તેઓને ખૂબ પ્રેરણા આપી. રાંદેરમાં વિ. સં. ૧૯૫૭ માં ભયંકર પ્લેગનો ઉપદ્રવ ચાલ્યા, તે સમયે રાંદેરમાં ૧૨૦૦ જેટલી જૈનોની વસતિ હતી, મુલચંદભાઈના બાલ્યકાળના પચાસ જેટલા મિત્રો કે જેઓ તે સમયે પૂર્ણ યુવાનીમાં હતા તેઓ આ ઉપદ્રવમાં પાણીના પરપિટાની જેમ ઘેડા થોડા દિવસની બીમારીમાં જ આંતરે-આંતરે એક પછી એક કાલધર્મ પામી ગયા. આ સ્થિતિ સુરતમાં રહેલા મુલચંદભાઈથી છાની ન રહી શકી, સંસારની અસારતાનું પ્રબળ નિમિત્ત આથી બીજું શું હોઈ શકે? મિત્રોના મરણથી શકાતુર થવાને બદલે મુલચંદભાઈએ આયુષ્યની ક્ષણભંગુરતા સમજી લીધી અને વહેલામાં વહેલી તકે દીક્ષા લેવાના નિર્ણય ઉપર આવી ગયા. ગુરૂગ અને દીક્ષા --એ અરસામાં વિ. સં. ૧૯૫૭માં મુનિરાજ શ્રી સિદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy