SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ધર્મસંગ્રહને સવિસ્તર ગુર્જરનુવાદ–ભાગ ૧ લે-વિભાગ ૨ જે પ્રકરણું ત્રીજું–શ્રાવકની દિનચર્યા મૂ–“નમાંડ્યો, વ્યાપુજીગનન્T સામાયિતિજાર, વિષિના ચૈત્યગન દ્બા” મૂલાઈ“પ્રાતઃકાલે શ્રીનવકારમંત્રના ધ્યાનપૂર્વક જાગવું, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી પિત્ત કોણ છે, કયાં છે, કયે કાળ છે અને કયાં ગ્રતાદિ સ્વીકાર્યા છે, વગેરે યાદ કરવું; સામાયિક વગેરે કરવું તથા વિધિપૂર્વક શ્રીજિનપૂજન કરવું, એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે.” ટીકાને ભાવાર્થસંપૂર્ણ કલ્યાણરૂપ મેક્ષનગરના ઉત્તમ રાજા સરખા શ્રી પંચપરમેષિએથી અધિષિત “નમો અરિહંતાણું” વિગેરે પ્રસિદ્ધ નવ પદે જેમાં છે, તે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા નિદ્રામાંથી જાગવું, એ ગૃહસ્થને વિશેષ ધર્મ છે. એમ હવે જે કેનિક કર્તવ્ય કહેવાશે તે પણ સઘળા ગૃહસ્થને વિશેષ ધર્મ છે એમ સ્વયં સમજવું. એ વિધિથી જાગ્યા પછી આત્માને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વિચાર કરે, એટલે કે દ્રવ્યથી હું કોણ છું? શ્રાવક છું કે અન્ય છું ? અથવા મારા ગુરુ કેણ છે? વગેરે વિચારવું; ક્ષેત્રથી હું કેઈ નાના ગામમાં છું કે શહેરમાં છું? અમુક ગામ-નગરમાં પણ હું મારા કે બીજાના ઘરમાં છું? તે અમુક ઘરમાં પણ હું નીચે કે પહેલે–બીજે મજલે (માળ) શું? વગેરે યાદ કરવું; કાળથી અત્યારે રાત્રી છે કે દિવસ? રાત્રીએ પણ હમણાં કર્યા પ્રહર–કયા સમય છે? વગેરે નક્કી કરવું અને ભાવથી હું કયા કુલ છું? મારા ધર્મ કહે છે? અથવા મેં ક્યાં કયાં વ્રતો વગેરે સ્વીકારેલાં છે. ? ઈત્યાદિ સ્મરણ કરવું. એમ દવ્ય-ત્રાદિને ઉપગ મૂક–તે યાદ કરતાં તેમાં–જાગવાને ગૃહસ્થને વિધિ એ છે કે-મુખ્યતયા તે શ્રાવક બને તેટલી અલ્પ નિન્દાવાળો હોય, કે જેથી પાછલી રાત્રે તે સ્વયં જાગી શકે. અલપ નિદ્રાથી આ લેકનાં તથા પરલોકનાં કાર્યોની સિદ્ધિ વગેરે અનેક લાભ થાય છે. જેને અ૫ નિનાથી નિર્વાહ ન થાય તે પણ સામાન્ય રીતિએ ( એકમાં ૪૮ મીનીટ, તેવાં) પંદર મુહુરની રાત્રી હાય, તેમાં છેલે ચૌદમા બ્રાહ્મ મુહુર્ત (સૂર્યોદયને ચાર ઘડી વાર હોય ત્યારે) તે શ્રીનવકારમંત્રનું સમરણ કરતો અવશ્ય ઉઠે, પછી ઉપર જણાવ્યું તેમ દ્રવ્ય-ક્ષેત્ર વગેરેને ખ્યાલ કરે, આટલું કરવા છતાં નિદ્રા ન છૂટે, તે નાસિકાને દબાવી શ્વાસને રેકે, અને એમ સ્વસ્થ બની લઘુ શંકા ટાળે, ખાંસી વગેરે આવે તે પણ મટે અવાજ ન થવા દે; કારણ કે–તેથી બીજા હિંસક જીવ જાગે અને પિતાનું પાપકાર્ય શરૂ કરે, એમ અવાજથી હિંસા વગેરે અનર્થો શરૂ થાય, અર્થાત્ તે પાપકામાં પોતે નિમિત્તરૂપ બને, અને તેથી તેને કમબંધ થાય. વળી ઉઠતી વખતે જે નાસિકાથી શ્વાસ-ઉચ્છવાસ ચાલુ હોય તે બાજુને (જમણે કે ડાબે) પગ પહેલાં જમીન ઉપર મૂકે–એમ નીતિશાસ્ત્રમાં કહ્યું છે. તેમાં જાગતાં શ્રીનવકારમંત્રનું સ્મરણ કેવી રીતિએ કરવું તે કહે છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy