________________
પ૦ –સાત ક્ષેત્રોને અગે શ્રાવકને ધર્મ ]
૩૪૧ દુષ્ટ પુરુષે જગતમાં હોય તેથી ઉત્તમ પુરુષે પણ એવા દુષ્ટ છે, એમ માની મહાપુપુરુષની અવજ્ઞા કરવી યોગ્ય નથી, એમ સ્ત્રીને માટે પણ સમજવું. વળી શ્રી તીર્થંકરદેવાદિ ઉત્તમ પુરુષની માતાઓને સ્ત્રીપણું હોવા છતાંય, તે તે ગુણેની મહત્તાના યોગે છે અને ઇન્દ્રો પણ પૂજે છે અને મુનિઓ પણ તેઓની સ્તુતિ કરે છે. લૌકિક શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે
નિરિરા ના, તેને યુવા વનિત વિક્રાંતા
तं कमपि वहति गर्भ, जगतामपि यो गुरुर्भवति ॥१॥" ભાવાર્થ-“ સ્ત્રી તેવા કોઈ ઉત્તમ ગર્ભ ધારણ કરે છે, કે જે ત્રણ જગતને પણ ગુરુ થાય છે. આથી વિદ્વાને જરાય અતિશયોકિત વિના સ્ત્રીની મોટાઈ મહત્તા-માને છે.
કેટલીક સ્ત્રીઓ તે પિતાના શીયલના મહિમાથી અને પાણીની જેમ (શીતલ), સર્પને દોરડાની જેમ (નિવિષ), નદીઓને સ્થલની જેમ (ખાંભાત) અને ઝેરને અમૃતની જેમ જીવન બનાવે છે, સુલસા વગેરે શ્રાવિકાઓ ઉત્તમ થઈ હતી, કે જેઓના ગુણે શ્રી તીર્થ કરત દેવોએ પણ સ્વમુખે ગાયા છે, ઈન્ડોએ પણ પિતાની સભામાં વારંવાર તેઓના ચારિત્રનાં બહુમાન કર્યા છે અને ગાઢ મિથ્યાદૃષ્ટિ દેવે પણ જેઓને સભ્યત્વાદિ સંપત્તિથી જરાય ચલાય માન કરી શકયા નથી. કેઈ તે તે જ ભવે મોક્ષમાં પણ ગઈ છે અને કઈ બે-ત્રણ ભલે પછી જશે–એમ શાસ્ત્રોમાં વર્ણન સંભળાય છે માટે માતાની જેમ, હેનની જેમ કે પિતાની પુત્રીની જેમ સીએનું પણ વાત્સલ્ય કરવું જોઈએ, એટલું જ કહેવું બસ છે.
પૂર્વે જણાવ્યાં તે સમ્યકત્વ અને અણુવ્રતનું પાલન કરવું તથા આ સાત ક્ષેત્રમાં ધન ખર્ચવું, એટલે જ ગૃહસ્થને વિશેષ ધર્મ છે એમ નહિ, ઉપરાંત ગૃહસ્થને કરણીય દીન-દુઃખીઆની દયા વગેરે અનકમ્પા:તેને વિશેષ ધર્મ છે. આંધળા, બહેરા, પાંગળા, રેગથી પીડિત વિગેરે નિર્ધન દીન-દુઃખીઆઓ પ્રતિ અનુકમ્મા કરવી, તેઓને ભકિતથી નહિ માત્ર દયાથી ધન, ખોરાક, વસ્ત્ર, ઓષધાદિ આપવું, તે અનુકમ્મા કહેવાય છે. સાત ક્ષેત્રમાં ભકિતપૂર્વક યાચિત દાન કરવું અને દીન-દુઃખીયા વગેરેને તે પાત્ર-કુપાત્રને વિવેક કર્યા વિના કે ક૯યઅ ને વિચાર કર્યા વિના માત્ર કરુણાભાવથી આપવું તે વ્યાજબી છે. એ પ્રમાણે દીનદુઃખીઆએમાં પણ અનુકમ્પાથી પિતાના ધનને વાવવું ન્યાય સંગત છે. શ્રીતીર્થકરદે પણ દીક્ષા પૂર્વે પાત્ર-કુપાત્રની અપેક્ષા વિના જ કરુણથી વાર્ષિક દાન આપે જ છે. ઉપર જણાવ્યા તેવા ગુણવાળા ગૃહસ્થ મહાશ્રાવક કહેવાય છે. કહ્યું છે કે
" एवं व्रतस्थितो भक्त्या, सप्तक्षेत्र्यां धनं वपन् ।
दयया चाऽतिदीनेषु, महाश्रावक उच्यते ॥१॥" ભાવાર્થ-“આ પ્રમાણે વતેમાં રહેલે (ત્રતધારી) શ્રાવક સાત ક્ષેત્રોમાં ભકિતથી અતિ દીન-દુઃખીઆઓમાં દયાથી પિતાના ધનને વાપરતા મહાશ્રાવક કહેવાય છે.”
તેને “મહાશ્રાવક” એથી કહેવાય છે કે–બીજાઓ કરતાં તે ચઢીયાતો છે, અવિરતિવાળા કે એક-બે વ્રતરૂપ અપ વિરતિવાળાઓને પણ “ધર્મનું શ્રવણ કરે તે શ્રાવક' એ વ્યુત્પત્તિથી શ્રાવક તે કહ્યા છે. તેઓની અપેક્ષાએ આ મહાશ્રાવક છે જ, કહ્યું છે કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org