SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ 334 આહાર કે પુસ્તક વિગેરેથી હમેશાં સહાય કરે છે, તે સર્વજ્ઞ થાય જ છે. ” વળી લખેલાં પુસ્તકાનું સ ંવેગી એવા ગીતા ગુરૂ ૧૨૭ પાસે વ્યાખ્યાન કરાવવું જોઇએ, વ્યાખ્યાન માટે તેને પુસ્તકા આપવાં જોઇએ અને વંચાતા તે આગમને હુ ંમેશાં સેાના-રૂપા વિગેરેથી પૂજીને સાંભળવુ જોઈએ. એ મુજબ ત્રીજા આગમ ક્ષેત્રમાં ગૃહસ્થે પેાતાના ધનનુ યથાશકિત વાવેતર કરવુ જોઇએ [ ધ૦ સ૦ ભા૦ કૃત્રિ૦ ૨–ગા પટે ૪, સાધુ-શ્રીજિનેશ્વરદેવની આજ્ઞાનુસાર જેએ ચારિત્રનું ઉત્તમ પાલન કરે છે, મળેલા દુ ભ મનુષ્યજન્મને સફળ કરતા જે સ ંસારસમુદ્રથી તરે છે અને અન્ય ભવ્યજીવાને તારવા પ્રયત્ન કરે છે, એવા શ્રીતીર્થંકરદેવ તથા શ્રીગણુધરદેવાથી માંડીને આજેજ દીક્ષિત થયેલા માત્ર સામાયિક ચરિત્રવાળા સુધીના સર્વે સાધુઓની સેવામાં યથાયેાગ્ય પેાતાનુ ધન ખર્ચવું ોઇએ. જેમકે--તેઓને સંયમમાં ઉપયેગી ચારેય પ્રકારને અશનાદિ આહાર, ઔષધ, વસ્ત્ર, પાત્ર, આશ્રય ( મકાન ) વિગેરે આપવાં, અર્થાત્ જે કાળમાં-જે ક્ષેત્રમાં જે વસ્તુઓ જે સયામાં તેને સંયમમાં બાધા ન કરે ( ઉપકારી અને ) તે કાળે તે સ્થળે તે વસ્તુ તે પ્રસંગે તેઓને આપવી; એટલું જ નહિ, સાધુતા માટે ચાગ્ય હાય તે પાતાનાં પુત્ર-પુત્રીએ વિગેરેને પણ વહેારાવવાં. અધિક કહેવાથી શું? જેમ જેમ પોતાની સંયમ-આરાધના નિર્વિઘ્નપણે કરે, તેમ તેમ પૂણ પ્રયત્ના કરી તેને તે તે સાધનાદિ પૂરાં પાડવાં જોઇએ અને જિનાગમના શત્રુ ભૂત તથા સાધુઓની નિંદા કરનારાઓને તેમ કરતાં અટકાવવા જોઇએ. કહ્યુ છે કે तम्हा सर सामत्थे, आणाभğमि नो खलु उवेहा । अणुकूले हिअरेहि य, अणुसट्ठी होइ दायव्वा ॥ १ ॥ " 46 ભાષા- માટે સામર્થ્ય છતે જિનાજ્ઞાથી ભ્રષ્ટ થયેલાની ઉપેક્ષા ન કરતાં અનુકૂળ કે પ્રતિકૂળ ઉપાયાથી તેને શિખામણ આપી સુધારવા જોઇએ. ૧૨૮ એ રીતિએ ચેાથા સાધુક્ષેત્રમાં ગૃહસ્થે પેાતાના ધનને વાવીને સફળ કરવુ જોઇએ. ૫. સાધ્વી–જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નાને ધારણ કરનારાં સાધ્વીઓને પણ સાધુઓની પેઠે થેાચિત્ત આહાર વિગેરે આપવાથી, તે ક્ષેત્રમાં પેાતાના ધનનું વાવેતર થઇ શકે છે. ૧૨૭, જેને સાચેસાચ સસારનાં સુખા ખાટાં લાગ્યાં છે, જેને મેાક્ષસુખની ઇચ્છા જાગી છે, તેવા કૃપાળુ શ્રાવત સંવેગી અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ-પુરુષ વિગેરેને એળખવાની જેનામાં બુદ્ધિ છે, તેવા ગીતાર્થી જ, લાભાલાભના વિવેક કરી ઉપદેશ દ્વારા અન્ય જીવને ઉપકાર કરી શકે છે. તેવી યાગ્યતા વિના વ્યાખ્યાન કરવાથી ઉલટા શ્રોતાઓને ધવિમુખ કરવાના પ્રસંગ પણ આવે છે. જૈનશાસનમાં દરેક વિષયમાં યાગ્યતાને પ્રથમ સ્વીકારવામાં માવી છે, ઘણું નહિ પણ સાચું કરવાની તેની તેમ હોય છે. ૧૨૮ તથાવિધ સ્વ-વનને યાગ્ય બનાવ્યા વિનાના કે સમાજમાં તેની પ્રતિભા વિગેરે પામ્યા વિનાના, જે અધિકારી જીવા આ વિષયમાં પ્રતિકાર કરવા માંડે, કે યોગ્ય-પ્રતિભાશાળી અધિકારી પુરુષ ઉપેક્ષા કરે, તે અન્ને વિરાધકભાવને પામે છે. માત્ર લખવા-મેાલવાથી કાર્ય થતું નથી, જેને સુધારવા છે તેના આત્મા સુધી અસર કરે તેવું માનનીય જીવન જીવવાની પ્રથમ આવશ્યકતા છે, તે માટે સદાચાર, લોકપ્રિયતા, ધારતા વિગેરે ગુણાની પૂણુ આવશ્યકતા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004501
Book TitleDharmasangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherAmrutlal Jesinghbhai Shah
Publication Year
Total Pages762
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy